SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચ્છેદ ૪૫ પશુ જીવની ગતિ સ ંભવે છે. તેથી જીવના વિભુત્વને પણ વિશેષ થતા નથી. બ્રહ્મ જગતનું ઉપાદાન છે તેથી વિભુ છે એમ પણ ન કહી શકાય. તેનું પહેલું કારણ એ કે પરમતમાં પ્રકૃતિને જગતનું ઉપાદાન માની છે. બીજુ એ કે જીવ અણુ હોવા છતાં કાયવ્યૂહનાં સુખદુઃખનું ઉપાદાન બની શકતા હોય તે બ્રહ્મ અણુ હોઈને પણ જગત્ત્તુ ઉપાદાન બની શકે. આમ જગત નુ` ઉપાદાન છે માટે વિભુ છે એ દલીલ બરાબર નથી. જીવ અને ઈશ્વર બન્ને ગુફામાં પ્રવેશેલા છે એમ કહ્યું છે તેના આધારે જો જીવતું અણુત્વ મનાતુ હેય તે ઈશ્વરને પણુ અણુ માનવા જોઈએ. એક જ સ ંદર્ભમાં પ્રયેાાયેલુ પ્રષ્ટિ' પદ એકની બાબતમાં સ્વાભાવિક પ્રવેશ દર્શાવે અને બીજા (ઈશ્વર)ની બાબતમાં ગૌણ કે ઔપાધિક પ્રવેશ એમ માનવુ બરાબર નથી. આમ જ્વનુ અણુત્વ અને ઈશ્વરનુ` વિભુત્વ પરમતમાં સિદ્ધ થતું નથી અને તેને આધારે જીવ અને ઈશ્વરના ભેદ સિદ્ધ કરવાની તો આશા જ રાખી શકાય નહિ. अस्मन्मते ब्रह्मात्मैक्य परमह। वाक्य । नुरोधेनावान्तरवाक्यानां नेयत्वात् स्वरूपेण जीवस्य विभुत्वम्, औपाधिकरूपेण परिच्छेद इत्यादिप्रकारेण जीवब्रह्मभेदप्रापश्रुतीनामुपपादनं भाष्यादिषु व्यक्तम् । અમારા મતમાં બ્રહ્મ અને જીવના ઐકયનાં બેાધક મહાવાકયના અનુરોધથી અવાન્તર વાકયાનેા અર્થ ઘટાવવાના હાવાથા, જીવ સ્વરૂપથી વિભુ છે, ઔપાધિક રૂપથી તે પરિચ્છિન્ન છે ઇત્યાદિ પ્રકારે જીવ અને બ્રહ્મને જોઇ (આપણી પાસે) ગ્રહણુ કરાવનાર શ્રુતિઓનું ઉપપાદન ભાષ્યાઢિમાં સ્પષ્ટ છે. વિવરણઃ- પૂર્વ પક્ષી દલીલ કરી શકે કે જેમ પરમતને માટે તમે કહ્યું કે જીવ અને ઈશ્વર બન્નેના અણુત્વ તેમજ વિભુત્વ વિષયક શ્રુતિ અને લિ ંગ સમાન રીતે હોવાથી બન્ને વિભુ સિદ્ધ થાય કે બન્ને અણુ સિદ્ધ થાય પણુ જીવ અણુ અને ઈશ્વર વિભુ એમ સિદ્ધ થતું નથી, તેમ સિદ્ધાન્તમાં પણ જીવને પરિચ્છિન્ન કહેનારી અને તેને વિભુ કહેનારી શ્રુત હાવાથી છત્રનુ વિભુત્વ સ્વાભાવિક છે અને અણુત્વ ઔપાધિક છે એવી વ્યવસ્થા મિ થતી નથી તેથી દ્વેષ પ્રસક્ત થાય જ છે. આતા ઉત્તર આપતાં સિદ્ધાન્તી કહે છે કે બ્રહ્માત્મકષજ્ઞાનમુક્તિનુ સાધન છે તેથી તે જ જ્ઞાન ઉત્પન્ન કરનાર તત્ત્વમસિ આદિ વાકયેા મહાવાય છે અને તે વાકયાના અથના જ્ઞાનમાં કારણીભૂત તત્, ત્યમ્ જેવાં પદે ! જ્ઞાનની પ્રતિ જે સાધનભૂત છે એવાં જીવનાં સ્વરૂપનાં પ્રતિપાદક વાકયા એ અવાન્તર વાકયા છે. આ અવાન્તર વાકષો મહાવાકયાતે શેષ હાવાથી અમારા મતમાં આ પ્રધાન વાક્યાના અથ' અનુસાર જ આ ગુણભૂત વાકયોના અથ કરવાના હોય છે તેથી કોઈ મુશ્કેલી નથી. જીવ જો સ્વરૂપથી અણુ હોય તો મહાવાકયમાં પ્રતિપાદ્ય તેને બ્રહ્મથી અભેદ ઉપપન્ન અને નહિ. તેથી એમ જ માનવાનું રહે છે કે જીવ સ્વરૂપથી વિભુ છે અને તેનું રિચ્છિન્નવ ઔપાધિક છે. જીવ અને ભ્રાતા ભેદ માનીને કથન કરનાર શ્રુતિના અથ આ અને આવી રીતે જ કરવાને છે એમ ભાષ્યાદિ ગ્રંથોમાં સ્પષ્ટ બતાડ્યું છે, સિ૫૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy