SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચ્છેદ (દષ્ટિકવાદીને). શંકા થાય કે આમ (મિથ્યાત્વનું આવું લક્ષણ માનતા) આકાશ આદિની જેમ અહંકાર અને તેના ધર્મો કપિત (પ્રતિભાસિક) ન હોય તે પણ તેમનું ઉક્તરૂપ મિથ્યાત્વ સિદ્ધ થાય છે તેથી ભાષ્ય, ટીકા અને વિવરણમાં તેના અહંકારાદિ)ના અધ્યાસની બાબતમાં ત્રણ કારણેના સંપાદન આદિને વિષે જે યત્ન કર્યો છે તે વ્યર્થ છે. (આ શંકાને ઉત્તર છે કે એવું નથી. અહંકાર આદિ પણ કેવળ સાક્ષીથો વેદ્ય હોવાથી શુરિજતની જેમ તેમનું પ્રતિભાસિકત્વ માન્યું છે એમ થિસુખાચાય કહે છે. રામાદ્વયાચાર્ય કહે છે કે તે માત્ર અભ્યપેત્યવાદ છે. અદ્વિતીય અધિષ્ઠાનરૂપ બ્રહ્માત્મામાં ચૈતન્ય પ્રમાણ છે” ઈત્યાદિ ત્યાંના (ભાષ્ય, ટીકા, વિવરણમાં કહલા) ત્રણ કારણનું સંપાદન કરનાર ગ્રંથનું પ્રૌઢિવાદ હેવું સ્પષ્ટ છે, કારણ કે ચૈતન્ય પ્રમાનું કારણ હોય તે વેદાન્ત (બ્રહ્મપ્રમાનાં) કરણ છે ઈત્યાદિ કલપનાને ભગ પ્રસક્ત થાય છે. (એમ રામાદ્વયાચાર્યને મત છે.) (૭). વિવરણ : દષ્ટિ સૃષ્ટિવાદી શંકા કરે છે કે નાનકનિવર્યવ આદિ મિથ્યાત્વનું લક્ષણ જે આકાશ આદિની જેમ અહંકાર અને તેના ધર્મોમાં પણ હોય અને તે પ્રાતિભાસિક ન હોય તે ભાષ્ય, ટીકા અને વિવરણમાં અહકારાદિના અધ્યાસને માટે ત્રણ કારણો મેળવી આપવાને અને ચિદાત્મા તેનું અધિષ્ઠાન છે એમ સિદ્ધ કરવાને આટલે બધે. પ્રયત્ન કર્યો છે તે વ્યર્થ ઠરે છે. આને ઉત્તર ચિસુખાથાય અને રામાદ્વયાચીય જુદી જુદી રીતે આપે છે. ચિસુખાચા માને છે કે અહ કાર અને તેના ધર્મો શુરિજાતની જેમ કેવળ સાક્ષિવેદ્ય હેઈને પ્રતિભાસિક જ છે તેથી ત્યાં ભાષાદિગ્રંથમાં ત્રણ કારણના સંપાદનને પ્રયત્ન વ્યર્થ નથી. રામાયાચાર્ય માને છે કે અહંકાર અને તેના ધર્મો કેવળ સાક્ષિઘ હોવા છતાં શુક્તિરજત આદિની જેમ તેમને પ્રતિભાસિક માની શકાય નહિ, કારણ કે યવહારકાળમાં તેમને બાધ થતા જોવામાં આવતો નથી. આમ વસ્તુતઃ તે પ્રતિભાસિક છે એમ માની લઈને ત્યાં ભાષ્યાદિના ગ્રંથમાં કારણ–ત્રયસંપાદનને વિષે પ્રયત્ન કર્યો છે. આમ કામચલાઉ માની લેવું, અને વસ્તુના રવાપને ધ્યાનમાં ન રાખવું તેને કમ્યુચ વાઢ કે દ્રૌઢિયાય કહે છે તિયાધિષ્ઠાન... એવું પ્રતિપાદન કરનાર ટાકા, વિવરણ આદિમાંને ગ્રંથ પ્રોઢિવાદને આશ્રય લે છે એ સપષ્ટ છે. જે અહીં કહ્યું છે તેમ ચૈતન્ય બ્રહ્મ માં (બ્રહ્મના સમ્યગનુભવ)નું કરણ છે એમ માનવામાં આવે તે “તેં તુ મનિષ ગુહi વૃછામિ' એ શ્રુતિ અનુસાર વેદાન્ત જ બ્રહ્મપ્રમાનું કારણ છે એ જે ક૯૫ના છે, અને વેદાન્તવાકષજન્ય બ્રહ્મપ્રમા અપરોક્ષ છે એવી જ કલ્પના છે તેના ભંગને પ્રસંગ આવે. માટે વાસ્તવમાં અહ કાર અને તેના ધર્મો પ્રતિભાસિક ન હોવા છતાં તેમને તેવા માનીને ચર્ચા કરી છે એમ માયાચાર્ય કહે છે. " પ્રકૃત શંકા અને ચર્ચાનું બીજ છે તથાત જરાધન વામ દવવિવિદિસ્વાઇવसायादीन् । एवमहंप्रत्ययिनम् अशेषस्वप्रचारमाक्षिणि प्रत्यगात्मन्यध्यस्य तं च प्रत्यगात्मानं સિ-૪૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy