SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પચ્છિક ૩૪૭ અનુવિધાન કરનારી વૃત્તિના અધ્યાસ કરવામાં આવે છે એમ જે લાગે છે તે શ્રમમાત્ર છે. આ દુધટ ભ્રમ છે એવી શંકા કરવી નહિ કારણ કે માયા કયા શ્રમ ઊભું કરી શક્તી નથી ? નદુગરનો માયાની બાબતમાં આ જાણું તું છે. આકાશદિપ્રપંચશ્રમની હેતુમ્રુત માયા દુધઈટ એના પ્રપંચશ્રમ વ્યવસ્થિત રૂપવાળા કરે છે, જ્યારે નિદ્રા પથી પરિણત થયેલી માયા તેથી વિક્ષક્ષણ જ શ્રમ કરે છે. આમ સ્વપ્નાવસ્થામાં ગજાદિના ચાક્ષુષત્વને અનુભવ છે તે તા શ્રમ જ છે; જો કે જાગ્રતત્કાળમાં અને સ્વપ્નકાળમાં બન્નેમાં ચક્ષુ આદિ સાથે અન્વયયતિરેકની પ્રતીતિ થાય છે તેમ છતાં સ્વપ્નમાં ચાક્ષુષત્વની પ્રતીતિ ભ્રમ છે. दृष्टिसृष्टिवादिनस्तु कल्पितस्याज्ञातसश्वमनुपपन्नमिति कृत्स्नस्य जाग्रत्प्रपञ्चस्य दृष्टिसमसमयां सृष्टिमुपेत्य घटादिदृष्टेश्चक्षुः सन्निकर्षानुविधानप्रतीतिं दृष्टेः पूर्वं घटाद्यभावेनासङ्गच्छमानां स्वप्नदेव समर्थयमानाः जाग्रद्गजाद्यनुभावोऽपि न चाक्षुष इत्याहुः ||६|| દૃષ્ટિસૃષ્ટિવાદીઓ તે જે કલ્પિત છે તેની સત્તા અજ્ઞાત હાઈ શકે નહિ માટે સમગ્ર જાગ્રત્પ્રપંચની દૃષ્ટિસમકાલીન સૃષ્ટિ માનીને ઘટાદિષ્ટ (પ્રત્યક્ષજ્ઞાન)ને વિષે જે ચક્ષુઃસનિકના અનુવિધાનની પ્રતીતિ થાય છે તે દૃષ્ટિની પહેલાં ઘટાભાત્ર હોય છે તેની સાથે સંગત થતી નથી તેથી સ્વપ્નની જેમ જ તે તેનું સમર્થન કરતાં કહે છે કે જાગ્રત્કાલીન ગજ આદિના અનુભવ પશુ ચાક્ષુષ નથી. (૬) વિવરણ: દૃષ્ટિસૃષ્ટિવાદીએ જામ્રત્કાળ અને સ્વપ્નકાળના પદાર્થાના ચાક્ષુષત્વાદિના અનુભવને સમાન ગણે છે અને બન્નેને ભ્રમરૂપ માને છે. વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીથ' કહે છે કે જે અધિકારીઓને બહુવિધ જ્ઞાનકમના અનુષાનથી નિરતિશય એવી પરમેશ્વરની કૃપા પ્રાપ્ત થઈ છે અને તેના મહિમાથી જૅમનાં અન્તઃકરણ નિતાન્ત નિમ`ળ થયાં છે તેમને જામ્રહ્માં પણ સ્વપ્નથી કોઈ વિલક્ષણતા દેખાતી નથી, આવા બ્રહ્મવિદ્યાભિલાષીઓને ધ્યાનમાં રાખીને પ્રવૃત્ત થયેલી ભમત અને સ્વપ્નકાળમાં સમગ્ર જગતની ઉત્પત્તિ અને તેના પ્રલયનુ પ્રતિપાદન કરતી શ્રુતિને અનુસરીને પૂર્વાચાર્યાએ દૃષ્ટસૃષ્ટિવાદનું નિરૂપણ કર્યુ છે. સ્વપ્નના વિચાર કરતાં એ વાદને ખ્યાલ આવી ગયા તેથી અય્યદોક્ષિન તેને અહીં રજૂ કરે છે. કોઈ કલ્પિત વસ્તુ અજ્ઞાત સત્તા વાળી તે હોય જ નહિ . એ સિદ્દાન્ત માનીને આ આચાર્યાં કહે છે કે દૃષ્ટિની સમકાળ સમગ્રજગપ્રપ ની સુષ્ટિ છે, જો જ્ઞાનની પહેલાં ધટાદિ પદાથ હાય જ નહિ તેા ચક્ષુઃસનિક સાથે જ્ઞાનના અનુવિધાન–સંબંધ (ચક્ષુ ટાદિ સાથે સંપર્કમાં આવે પછી જ્ઞાન થાય છે એમ) માની શકાય નહિ તેથી ધટાદિ-ચાક્ષુષજ્ઞાનનું પણ સ્વપ્નનો જેસ ભ્રમમાત્ર તરીકે તે સમથન કરે છે. આમ જાકાલીન ધટાદિના અનુભવ પણ સ્વપ્નના અનુભવની જેમ દેવળ સાક્ષીરૂપ જ છે. (૬) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy