SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચ્છેદ ૩૫૩ વિવરણ : કેટલાક ચિંતા અહંકારથી અનવચ્છિન્ન ચૈતન્ય દેહની અંદર જ સ્વપ્નપ્રપંચનું અધિષ્ઠાન છે એમ પ્રતિપાદન કરીને પ્રથમ પક્ષનું સમર્થન કરે છે. વ્યાખ્યાકાર કૃષ્ણાનંદીથ' કહે છે કે અવિદ્યામાં બિ ભભૂત ઈશ્વર-ચૈતન્યને અહીં. અનવચ્છિન્ન ચૈતન્ય કર્યુ છે, કારણ કે ઈશ્વરચૈતન્ય જ સ`નુ અધિષ્ઠાન છે, અવિદ્યામાં પ્રતિબિંબરૂપ જીવચૈતન્ય નહિ કારણ કે તે ઉપાદાન નથી એમ સમજવું. દેહમાં રહેલું આવું અનવચ્છિન્ન ચૈતન્ય સ્વપ્નાધ્યાસનું અધિષ્ઠાન છે એમ આ મતમાં સ્વીકાયુ છે. જે તે પરિમાણવાળાં હાથી વગેરેને માટે પૂરતી જગ્યા શરીરની અંદર નથી તેથી આ હાથી વગેરેને પ્રાતિભાસિક માનવામાં આવે છે. શરીરની બહારનું ચૈતન્ય જો અધિષ્ઠાન હોત તા જામકાળનાં હાથી વગેરેની જેમ સ્વપ્ન-ગજ વગેરેને પણ યાગ્ય દેશ પ્રાપ્ત થવાથી એ પણ વ્યાવહારિક જ હેત અને એમ હોત તે। સૂત્રાડેમાં (બ્રહ્મસૂત્ર ૩.૨.૩ અને તેના પર શાંકરભાષ્ય) સ્વપ્નપ્રપચને મિથ્યા કહ્યો છે તેના વિરોધ થાત. શકા : આમ હોય તે શરીરમાં અંદર રહેલું બ્રહ્મચૈતન્ય આવૃત છે તેથી ત્યાં અભ્યસ્ત સ્વપ્ન-ગજ આદિના અવભાસ થઈ શકે નહિ. ષમ પણ નહીં કહી શકાય કે અન્તઃકરણ વૃત્તિથી આવરણને નાશ થતાં તેમને અવભાસ સંભવે છે, કારણ કે સ્વપ્નમાં ચક્ષુ આદિ કામ કરતાં નથી તેથી આ વૃત્તિ સ ંભવતી નથી. અન્તઃકરણવૃત્તિ પોતાની મેળે (ચક્ષુ આદિની મદદ વિના) સ્વપ્નકાળમાં સંભવે છે. એમ પણ માની શકાય નહિ કારણ કે જાગ્નકાળમાં પણ તેવું થવું જોઈએ અને એમ હોય તા ચક્ષુ આદિની અપેક્ષા ન રહે. ઉત્તર : દેહાદિની બહાર અન્તઃકરણુ સ્વતંત્ર નથી તેથી વૃત્તિના ઉત્પાદનને માટે ચક્ષુ આદિની અપેક્ષા રહે છે, જ્યારે દેહની અંદર અન્તઃકરણુ સ્વત ંત્ર છે તેથી ચક્ષુ આદિની અપેક્ષા વિના વૃત્તિ સભવે છે અને આ અન્ત કરણવૃત્તિથી અભિવ્યક્ત થયેલું અનવચ્છિન્ન ચૈતન્ય સ્વપ્નપ્રપંચાધ્યાસનું અધિષ્ઠાન હોય તેમાં કોઈ અનુપપત્તિ નથી. આન્તર અભિવ્યક્ત ચૈતન્યને અધિષ્ઠાન માનવામાં કે સ્વપ્ન-પ્રપંચના અવભાસમાં કે તેના પ્રાતિમાસિકત્વમાં કોઈ અનુપત્તિ કશુ અસંભવિત, ન માની શકાય તેવુ નથી અને તેથી જાગ્રત્કાળમા જેમ ઇન્દ્રિય-સ નિકથી ઉત્પન્ન થયેલી વૃત્તિથી અભિવ્યક્ત થયેલા અને શુક્તિના છંદમ્’ અશથી અવચ્છિન્ન થયેલા ચૈતન્યમાં રહેલી અવિદ્યા રજત આકારે વિવ` પામે છે—અહી પરિણામ પામે છે એવા અથ કરવે જોઈએ—તેમ સ્વપ્નમાં પણુ દેહની અંદર નિદ્રા, પિત્તના ઉદ્રક આદિ દોષથી દૂષિત અન્ત કરણવૃત્તિથી અભિવ્યક્ત થયેલા ચૈતન્યમાં રહેલી અવિદ્યા સ્વપ્નપ્રપંચ આકારે વિવત પામે છે, અર્થાત્ પરિણમે છે એમ માનવામાં શે વાંધા હાઈ શકે ! સ્વપ્નપ્રપંચમાં જે વૈચિત્ર્ય છે, જાતજાતનું જોવામાં મળે છે તેનું કારણ એ છે કે જાગ્રત્-કાળમાં નાના પ્રકારના અનુભવેા થયા હોય છે તેના સંસ્કારા અન્તઃકરણમાં રહે છે; તે સારા અદૃષ્ટવશાત્ ઉધિત થતાં તે ઉદ્બાધિત સંસ્કારોથી યુક્ત અવિદ્યા વિચિત્ર પ્રચાકારે પરિણમે છે—આની ચર્ચા ભારતીતીથે વિવાપન્યાસમાં કરી છે. અહીં વર્ પ્રમેયસ ંગ્રહ તરીકે જાણીતા ગ્રંથના ઉલ્લે " જાય છે. જુએ પૃ. ૧૪૧થી, અચ્યુત ગ્રંથાલા, સંવત્ ૧૯૯૬ ). સિ-૪૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy