SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચ્છેદ ૨૭૯ (શકા) જળમાં ગધાદિનું પ્રત્યક્ષ થાય છે તે અપ્રામાણ્યરૂપ દોષની શંકાથી કલ`તિ છે તેથી આગમથી સાચી હકીકત જાણવા મળે એ બરાબર છે. પણ પ્રપંચના સત્ત્વનું ગ્રહણ કરનાર પ્રત્યક્ષ તેા એ શંકા વિનાનું છે તેથી તેને ખાધ આગમથી કઈ રીતે થાય ? પૃથ્વી આદિ એકબીજા સાથે સેળભેળ હેાય છે તેથી એકન ગુણ અન્યમાં ભાસે એ સભવે છે અને આવા પ્રત્યક્ષ જ્ઞાન વિષે આપણને શંકા રહ્યા કરે છે. પશુ પ્રપંચના સત્ત્વના પ્રયક્ષજ્ઞાન વિષે તે! આવી શંકા નથી થતી (ઉત્તર) આ બાબતમાં પણ પરિસ્થિતિ સમાન જ છે. બ્રહ્મ ઉપાદાનકારણ છે અને પ્રપંચ ઉપાય છે; આમ બ્રહ્મ અને પ્રપંચ પરસ્પર સહઁસુષ્ટ, તાદાત્મ્યાપન્ન છે. સત્તા એ શ્રુતિસિદ્ધ સવસ્તુ બ્રહ્મના ધમ' છે, તેના સંસ્'ટ પ્રપંચમાં અવભાસ થાય એ સંભવે છે. તેથી પ્રપંચના સત્ત્વનું ગ્રહણ કરનાર પ્રત્યક્ષ વાસ્તવમાં અન્યસત્તાવિષયક છે અને તેથી ભ્રાન્તિરૂપ છે; કે પ્રપંચની સ્વાભાવિક સત્તાને જ વિષય કરનારું છે અને તેથી પ્રમારૂપ છે— એવી શંકા પ્રપંચના સત્ત્વનું ગ્રહણ કરનાર પ્રત્યક્ષ વિષે થયા કરે છે તેથી તે। ખાધ આગમથી સભવે છે. અને વૃદ્ધવચન છે કે ટાદિમાં સત્તા (પ્તિ ઘટ:), ચૈતન્ય (માતિ ઘટ:), અને આનંદ ( પ્રિય: ઘઃ: )ના અનુભવ થાય છે; તે જ રીતે નામ ( ધટશાદિ) અને વસ્તુરૂપ ( ધટાદિનાં ગરદન, પેટ વગેરે)ના અનુભવ થાય છે. સમગ્ર જગત્માં આ પાંચ અંશના અનુભવ થાય છે. તેમાં સત્તા, ચૈતન્ય, આનંદ બ્રહ્મરૂપ છે. (—આ કૃતિથી સિદ્ધ છે) અને નામ અને રૂપ જગરૂપ છે. ( " સર્વાળિ કાળિ વિન્નિત્ય ધીરઃ— તૈત્તિરીય આરણ્યક ૩.૧૩.૭ વગેરે શ્રુતિથી આ સિદ્ધ છે); આમ જોઈ શકાશે કે પ્રપંચસત્ત્વનું ગ્રહણ કરનાર પ્રત્યક્ષ જગતની સ્વાભાવિક સત્તા વિષય નથી પણ બ્રહ્મ જગત્ત્તુ અધિષ્ઠાન હોવાથી જગમાં અનુગત બ્રહ્મની સત્તાને વિષય કરનારુ છે એમ શ્રુતિથી વ્યવસ્થા કરવામાં આવે છે. (શા થાય કે પ્રિય—આનંદ—સિવાય દુખ પણ છે અને દુ:ખ પ્રિય છે એવા અનુભવ જોવામાં નથી આવતા તો પછી પાંચ અંશ જ કેમ ? તેના ઉત્તર છે કે પારકાના શત્રુના દુ:ખતે વિષે ‘પ્રિય’ના અનુભવ થાય છે). પ્રત્યક્ષ આગમથી સ્વતઃ પ્રાળ છે એ આધારે પ્રત્યક્ષના પ્રાબક્ષ્યની શ કા રજૂ કરીને શ ંકાનું ખંડન કરીને હવે ઉપ∞વ્યત્વના તેનુ ખંડન કરે છે. (શ'કા) શ્રુતિથી મિથ્યાત્વના મેધ ઉત્પન્ન થાય છે પણ તેને માટે શ્રુતિએ વણુ, પદ, વાકયરૂપ શબ્દ–પ્રત્યક્ષને ઉપ∞ન્ય બનાવવુ' પડે છે, તેને આધાર લેવા પડે છે. કાનથી શબ્દજ્ઞાન રૂપી પ્રત્યક્ષ ન થાય તેા તેના વિના શાબ્દોાધના ઉધ્ય ન થાય. હવે જે શ્રુતિથી પ્રત્યક્ષમાત્રા બાધ થતા હોય તે। આ શબ્દપ્રત્યક્ષના ખાધ પણ થવા જોઈએ. અર્થાત્ આ તા પેાતાના ઉપજીન્ય, જેના પર પાતે નભે છે એના જ બાધ થાય! (ઉત્તર) શ્રેાત્રેન્દ્રિયથી જે પ્રત્યક્ષ ઉત્પન્ન થાય છે તે શબ્દસ્વરૂપને અને તેના સત્ત્વને વિષય કરે છે. અને શ્રુતિ સત્ત્વાંશના પ્રત્યક્ષના જ ખાધ કરે છે, જે શ્રુતિનું ઉપન્ય નથી, કારણ કે કલ્પિત શબ્દ પણ એધ કરાવી શકે છે; શાશ્વમેાધને માટે શબ્દના સ્વાભાવિક સત્ત્વની અપેક્ષા નથી. શ્રુતિ જે શબ્દસ્વરૂપાંશના પ્રત્યક્ષને ઉપન્ય બનાવે છે તેના બાધ થતા નથી કારણ કે તેની સાથે કાઈ વિરોધ નથી. તેથી ઉપજ્યના વિરોધ નથી. (૧) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy