SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसङ्ग्रहः વિવરણ : અવિદ્યામાં ચૈતન્યના પ્રતિબિંબરૂપ જીવને જ સાક્ષી માનીને તેમાં થેઢી વિશેષતા બતાવવા માટે બીજો મત અહીં રજૂ કર્યાં છે. એ વાત સાચી છે કે જીવ એ જ સાક્ષી છે. વિદ્યાને વિષે ચિબિ ંબભૂત ઈશ્વર સાક્ષી નથી, કારણ કે તે અપરાક્ષ હોઈ શકે નહિ. પણ આ જીવ અવિદ્યાથી ઉપહિતરૂપે સાક્ષી નથી. સવ*શરીરને માટે સાધારણ એવી અવિદ્યા તેની ઉપાધિ હાય ! દેવદત્તના અન્તઃકરણના અવભાસક જે સાક્ષી ડ્રાય એ સાક્ષીની સાથે જેમ દેવત્તના અન્ત:કરણના સસગ` હોય તેમ યજ્ઞદત્તના અન્તઃકરણુ વગેરેને પણ સમાન રીતે સસ` હોય તેથી દેવદત્તને જેમ પેાતાનું અન્તઃકરણ પ્રત્યક્ષ છે તેમ યજ્ઞદત્તનું અન્ત:કરણ અને તેની વૃત્તિએ પણ દેવદત્તને પ્રત્યક્ષ હાવાં જોઈએ. સ`શરીરે!માં સાક્ષી એક હાવા છતાં પ્રત્યેક શરીરમાં અન્તઃકરણ જુદું હોવાથી પ્રમાતાને ભેદ રહેશે. તેથી ઉપર કહેલી આપત્તિ નહીં આવે એવી દલીલ બરાબર નથી. દેવદત્તને તેનું અન્તઃકરણાદિ પ્રત્યક્ષ હાય તે તેમાં દેવદત્તના સાક્ષીના સંસગ પ્રયોજક છે. અને આમ યજ્ઞદત્તના અન્તઃકરણાદિને પણ દેવદત્તની પ્રતિ અપરોક્ષ બનાવવામાં પ્રયાજક દેવદત્તના સાક્ષીના સંસગ સમાન રીતે હાવાથી યજ્ઞદત્તનાં અન્ત:કરણાદિ દેવદત્તને પ્રત્યક્ષ અને—એવી આપત્તિ કરનાર દોષ પ્રત્યક્ષત્વના પ્રયાજક એવા જે સાક્ષીને સંસગ તેને ભેદ માનીને જ દૂર કરવા પડશે. અપ્રયાજક એવા પ્રમાતાના ભેદ તેની બાબતમાં કશું કરી શકે નહિ. તેથી અપરિચ્છિન્ન અવિદ્યાપ્રતિબિંબરૂપ ચૈતન્ય સાક્ષી નથી. એકનાં અન્ત:રણાદિ બીજા પુરુષાને પ્રત્યક્ષ નથી એની ઉપપત્તિ કરવા માટે અન્ત:કરણથી ઉપહિત જીવ સાક્ષી છે એમજ માનવું પડશે. અને આમ પ્રત્યેક પુરુષને પોતાના જુદો સાક્ષી હરો તેથી દરેક પુરુષના સાક્ષીને બીજા પુરુષનાં અન્ત.કરણાદિ પ્રત્યક્ષ નહીં બને કારણ કે તેના સાક્ષી સાથે તેમનેા સ'સગ નહી' હેાય; અથવા અન્ય પુરુષની પ્રતિ તેમને પ્રત્યક્ષને માટે અયેાગ્ય માની શકાય. ૧૭: શ‘કા : અવિદ્યામાં પ્રતિબિંબરૂપ જીવ અવિદ્યારૂપ ઉપાધિવાળા રૂપથી સાક્ષી હોય તે તે સુષુપ્તિમાં સાધારણ બને; (સવ અવસ્થામાં તે સાક્ષી રહે), પ્રતિશરીર સાક્ષીના ભેદ સિદ્ધ કરવા માટે તેને અન્ત:કરણથી ઉપહિત તરીકે સાક્ષી માનવામાં આવે તે તેનું સુષુપ્તિમાં સાધારણ નહીં રહે (-સુષુપ્તિમાં સાક્ષી તરીકે રહેશે નહિ) કારણ કે સુષુપ્તિમાં અન્તઃકરણુને લય થાય છે એવું શ્રુતિવચન છે. ઉત્તર : સુષુપ્તિમાં પણુ સૂક્ષ્મરૂપથી અન્તઃકરણ હોય જ છે; તેનાથી ઉપહિત જીવ સાક્ષી તરીકે ત્યારે પણ હશે જ. શંકા : અન્તઃકરણથી ઉપહિત અવિદ્યાપ્રતિબિંબરૂપ જીવ તે પ્રમાતા છે તેથી અન્ત:કરણથી ઉપહિત છત્ર સાક્ષી હાઈ ન શકે. અન્યથા સાક્ષી અને પ્રમાતાના ભેદ જ ન હાય. પણ સુષુપ્તિમાં પ્રમાતા હોતા નર્થી છતાં સાક્ષી હોય જ છે તેથી તેમને ભેદ માનવા પડશે. થાસ્મિન્ત્રાળવા મતિ (કૌપીકિ ૪.૧૮) (એ પ્રાણમાં જ એક થઈ જાય છે) એ શ્રુતિમાં ‘પ્રાણ’શબ્દથી ઉક્ત પરમાત્મામાં એકીભાવ પ્રકારના પ્રમાતાના લય ક્યો છે. જ્યારે ત્રણ ધામ કે ત્રણ અવસ્થા અંગે અનેક શ્રુતિએથી સુષુપ્તિમાં સાક્ષી સદ્ભાવ સિદ્ધ છે. અને એ કાળે સાક્ષીએ અનુભવેલાં અજ્ઞાન, સુખ, સુષુપ્તિનું જાગેલાને સ્મરણુ થતું જોવામાં આવે છે—મને એટલા વખત કોઈ વસ્તુનું જ્ઞાન થયું નહિ,' ‘હું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy