SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसमहः । - અહીં શંકા થાય કે મૂલ અજ્ઞાનને સિદ્ધ કરવાના સંદર્ભમાં “મા” એ જે અનુભવ બતાવ્યો છે એ જ મૂલ અજ્ઞાનને સાધક છે જ્યારે આને જાણતા નથી” એ અનુભવ તે અવસ્થા-અજ્ઞાન વિષયક જ છે. અને આમ માનતાં પ્રકરણ વિરોધ થશે એવી પણ શંકા કરી શકાય નહીં. શુક્તિ-રજતાદિ પ્રકારના પરિણામોની ઉપપતિ માટે અવસ્થા-અજ્ઞાનની પણ સિદ્ધિ કરવી જરૂરી છે. તેથી મૂલ અજ્ઞાનની સિદ્ધિ માટેનું પ્રકરણ હોવા છતાં અવસ્થારૂપ અજ્ઞાનની સિદ્ધિ બતાવી હોય તે એ ઉપપન્ન છે. જેમ “ ન ગાનામિ' “ આને જાણતા નથી' એ અનુભવ તે તે વિષયથી અવછિન ચૈતન્યના અજ્ઞાનવિષયક છે, તેમ “પદમશ, તરંગ ન જ્ઞાનામિ' (‘હું અજ્ઞ છું, તત્વને જાણતા નથી) એ અનુભવ મૂલઅજ્ઞાનવિષયક છે એમ દષ્ટાન્તની રીતથી મૂલ-અજ્ઞાનના સાધનના પ્રસ્તાવમાં પણ વિષયવિશેષથી આલિંગિત અજ્ઞાનને અનુભવ બતાવે છે તે ઉપપન્ન છે. તેથી હું આને જાણ નથી', “હું શુક્તિને જાણતો નથી' વગેરે અનુભવોને મૂલ-અજ્ઞાનવિષયક માનવા માટે કોઈ પ્રમાણુ નથી; અને તે સિદ્ધ કરવા માટે આ અનુભવો અવસ્થા-અજ્ઞાનવિષયક છે એમ કહેવું જરૂરી છે. માટે એ સિદ્ધ થાય છે. હું શુક્તિને જાણ નથી' એ અનુભવ અવસ્થાઅજ્ઞાનવિષયક છે'. તેથી જે અજ્ઞાન વિષયગત જ હોય તે તેને સાક્ષી સાથે સંસર્ગ નહીં હેવાથી અજ્ઞાનને અનુભવ સંભવશે નહિ. • આવી શંકાને ઉલેખ કરીને કહ્યું છે કે “મરમશઃ' એ સામાન્યતઃ અજ્ઞાનને અનુભવ મૂલ-અજ્ઞાનવિષયક છે જ્યારે મિથું જ નાનામિ એ વિષયવિશેષથી આલિંગિત અજ્ઞાનને અનુભવ અવસ્થા–અજ્ઞાનવિષયક છે એ ભેદ સ્વીકારીએ તે પણ વિષયગત અજ્ઞાન માનવામાં કોઈ મુશ્કેલી નહીં રહે. અવસ્થા (શુફત્યાદિ–અજ્ઞાન) અને અવસ્થાવાન (મૂલ–અજ્ઞાન)ને અભેદ હોવાથી, વિષયગત અજ્ઞાન સાક્ષિસંસ્કૃષ્ટ મૂલ અજ્ઞાનની અવસ્થા છે માટે મૂલ અજ્ઞાનદ્વારા સાક્ષી સાથે તેને સંસગ છે. અથવા સાક્ષિચૈતન્ય અને અવસ્થારૂપ અજ્ઞાનના આશ્રયરૂપ વિષય-ચૈતન્ય વસ્તુતઃ એક હોવાથી સાક્ષીથી અભિન્ન ચૈતન્યને આશ્રિત હોવાથી સાક્ષીની સાથે વિષયગત અજ્ઞાનને સંસગ છે. જે દલીલ કરવામાં આવી હતી કે વિષયગત અજ્ઞાનની નિવૃત્તિ પરોક્ષવૃત્તિથી નહીં થઈ શકે કારણ કે પરોક્ષટત્તિ બહાર જઈ શકતી નથી, તેથી પ્રમામાત્ર અજ્ઞાનનું નિવતક છે એ નિયમ નહીં સંભવે–એ દલીલ બરાબર નથી કારણ કે આ મતમાં પક્ષજ્ઞાનને અજ્ઞાનનિયત માનવામાં આવ્યું નથી અને પ્રમામાત્ર અનાનનિવતક છે એ નિયમ સ્વીકારવામાં નથી આવ્યું તેથી તેના ભંગની સંકાને અવકાશ નથી. તે પછી હું શાસ્ત્રાર્થને જાણ નથી” એ અજ્ઞાનને અનુભવ થાય છે અને ઉપદેશની પછી એ અજ્ઞાનની નિત્તિને અનુભવ થાય છે તે કેવી રીતે સંભવે ? એનો ખુલાસો એ છે કે પક્ષવૃત્તિથી અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી; પણુએ પક્ષજ્ઞાનરૂપ પ્રતિબંધક કારણને લીધે અજ્ઞાનને અનુભવ થત નથી તેને કારણે એવી બ્રાપ્તિ થાય છે કે અજ્ઞાનની નિવૃત્તિ થઈ છે. શંકા થાય કે અહી કેઈ બાધક છે નહિ તે. પછી આ જાતિ છે એમ કેવી રીતે કલ્પી શકાય? આને ઉત્તર છે કે આ શંકા બરાબર નથી. વિષયગત અજ્ઞાનની અપેક્ષાએ પુરુષગત બીજાં અનન્ત અવસ્થા–અજ્ઞાન માનવામાં ગારવ દોષ છે એ બાધક છે જ. આમ અપ્રતિબદ્ધ અપક્ષપ્રમરૂપ જ્ઞાન જ અજ્ઞાનનિવતક છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy