SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ सिद्धान्तलेशसङ्ग्रहः ઐકય જ છે—)ની જેમ ભેદની કલ્પનાથી ધ ધમિ ભાવથી ઉપપન્ન છે (તેમને ભિન્ન માની એકને ધમ' અને બીજાને ધી” માનવામાં આવે છે એ રીતે સમાવવાનુ છે). ફ્રૂટસ્થના ‘સ્વયંવ' સામાન્ય રૂપથો સદા પ્રકાશ છે તેથી અહમરૂપ ચિદાભાસને માટે એ અધિષ્ઠાન હાય એમાં કોઈ વિરાધ નથી. અર્હત્વ એ રજતની જેમ વિશેષરૂપ છે કારણ કે દરેકમાં એ હાતુ નથી. એક પુરુષ બીજા પુરુષને માટે ‘મન્નુમ્' એ વ્યવહાર કરતા નથી. તેથી એ વ્યાવૃત્ત છે એમ સમજાય છે. જ્યારે ‘ સ્વયંત્વ” સામાન્યરૂપ છે કારણ કે પ્રત્વની જેમ તે અનુગત છે: ‘દેવદત્ત સ્વય (પોતે) જાય', 'તું પેતે ન', ‘હું પાતે જાઉં' એમ દરેકને માટે તેના વ્યવહાર થાય છે. શકા—યમહમ્' એમ પ્રકાશતા ફૂટસ્થ અને જીવના શક્તિ અને રજતની જેમ ભેદ હાય તા એ ભેદ સવને ઉપલબ્ધ કેમ થતા નથી ? ઉત્તર-અહમ જીવને ફૂટસ્થમાં અભ્યાસ હોય ત્યારે પરસ્પર અભ્યાસને લીધે અર્થાત્ તેમનામાં અભેદના અભ્યાસ થાય છે તેથી જ તેમનામાં વિવેકના અભાવ ડાય છે, ભેદના અનુભવ થતા નથી. શકા—કમ રગતમ્ એ ભ્રમ થાય છે ત્યાં ચ ક્રુત્તિઃ એ વિશેષ દૃશ નથી સમજાય છે કે ચમ તરીકે સામાન્યરૂપ પદાર્થમાં શુક્તિત્વ અને રજતસ્વરૂપ વિરુદ્ધ ધર્માં છે તેથી તેમના ભેદ સ્વીકારવામાં આવે છે. પણ અહીં જીવ અને ફૂટસ્થના ભેદ કેવી રીતે જાણી શકાશે? અને ભેદનુ જ્ઞાન ન હોય તે વચમજૂમ્ એમ સામાન્યવિશેષભાવથી પ્રદ્મશતા તેમનું, સત્ય રજત'ની બાબતમાં જેમ રજત અને ફ્થૅનું વસ્તુત: ઐકય છે તેમ, ઐકય માનવું પડશે. તેથી અહમથ་રૂપ જીવની સ્વયં’શબ્દા་ભૂત ફૂટસ્થમાં કલ્પના કરવામાં આવે છે. એ સિદ્ધ થતું નથી. સાચા રજતને તા ની સાથે આપણે અન્યત્ર જોયુ છે તેથી શુક્તિ અને રજતના ભેદ સમજાય છે અને શુક્તિમાં રજતના ભ્રમ છે એ સમજાય છે. પણ ફ્રૂટસ્થતા અનુભવ થતા જ નથી તો પછી જીવને આરાપ છે, ભ્રમ જ છે એ શી રીતે સમજાશે ? ઉત્તર—તેમના વિવેક, ભેદના અનુભવ શ્રુતિથી સ્પષ્ટ રીતે થાય છે. બૃહદારણ્યક ઉપનિષમાં જીવની વાત કરતાં કહ્યું છે કે દેહાસિધાત રૂપથી પરિણત થયેલાં એવાં ઉપાધિરૂપ ભૂતામાંથી સમ્રુત્થાન પામીને અર્થાત્ સામ્યથી ઉદ્ભવીને, ઉપાધિરૂપ બુદ્ધિ આદિની ઉત્પત્તિથી ઉત્પત્તિ પામીને, જ્યારે એ ઉપાધિભૂત બુદ્ધિ આદિ તત્ત્વજ્ઞાનથી નાશ પામે છે ત્યારે તેમને અનુસરીને એ નાશ પામે છે. આમ શ્રુતિથી ઔપાધિક આત્માના વિનાશિત્વનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અન્તઃકરણમાં પ્રતિબિંબરૂપ અને ઉપાધિપર આયત્ત જીવ મિથ્યા હોય તા જ આ સંભવે. ઔપાધિક વ સત્ય હોય તે તેમા વિનાશિવનુ યન સંગત ન બને. એ જ પ્રમાણે શ્રુતિએ અવિનાશી આત્મા ફૂટસ્થ ચૈતન્યના નશાભાવનું પણ પ્રતિપાદન કર્યુ છે. તાત્પય" એ છે કે ચિદાત્માનાં સ્વત: વિનાશાદિ નથી, તે તે સ્વરૂપે અવિનાશી છે. તેથી ચિદાત્માનું પ્રતિબિંબચૈતન્યરૂપ જીવની સાથે તાદાત્મ્ય લઈ તે વિનાશાદિવચનની ઉપપત્તિ કરવાની છે. આમ રજતના ભ્રમ પ્રસ ંગે થાય છે તેમ વિનાશિક્ય અને અવિનાશિવરૂપ વિરુદ્ધ ધર્મના નિશ્ચય છે જ તેથી જીવ અને કૂટમ્યા ભેદ્ સ્પષ્ટ ભાસે છે, તેથી પહેલાં ફૂટસ્થ ચૈતન્યમાં જીવરૂપ અહમયના અભ્યાસની સિદ્ધિ છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy