SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ ૬૯ સક્ષેપશારીરકમાં તે કહ્યું છે કે ‘કાર્યપાધિક આ જીવ અને કારણેાપાધિક ઇશ્વર' : શ્રુતિ અનુસાર (કારણુ) અવિદ્યામાં ચિત્ નુ· પ્રતિષિ’ખ એ ઇશ્વર અને (અવિદ્યાના કાર્યાં) અન્તઃકરણમાં ચિત્નું પ્રતિબિંબ તે જીવ. એવી શંકા ન કરવી જોઇએ કે જેમ ઘટથી આકાશના અવચ્છેદ થાય છે તેમ અન્ત:કરણરૂપ દ્રવ્યથી ચૈતન્યને અવચ્છેદ સભવે છે તેથી અન્ત:કરણથી અવચ્છિન્ન જ (—અર્થાત્ તેમાં પ્રતિબિ ંબિત નહીં”—) ચૈતન્ય તે જીવ એમ ભલે હૈં।. ( આ શકા ખરાખર નથી) કારણ કે (આમ માનીએ તે!) આ લેાકમાં અને પરલેાકમાં જીવભાવે અવચ્છેદ્ય રીતન્યપ્રદેશના ભેદ હાવાથી કૃતહાન અને અકૃતાભ્યાગમને પ્રસંગ થશે. જ્યારે ઉપાધિનું ગમન અને આગમન થાય તે પણ અચ્છેદ્યની જેમ પ્રતિબિંબ ભિન્ન બનતુ નથી તેથી પ્રતિષિ’બ-પક્ષમાં આ દોષ નથી. (આ સક્ષેપશારીરકકારના મત છે). આમ આ ઉપર કહેલા પદ્મા જેમાં જીવ અને ઈશ્વર પ્રતિબિંબવિશેષ છે તેમાં જે ખિ બસ્થાનીય બ્રહ્મા છે તે મુક્તોએ પ્રાપ્ત કરવાનું શુદ્ધ ચૈતન્ય છે. વિવરણ : ‘નીલેશયામાણેનોતિ માયા ચાવિયા અમેય મતિ' એ શ્રુતિથી જીવ અને ઈશ્વર બન્ને પ્રતિબિંબ તરીકે જ્ઞાત થાય છે. જ્યાં બિંબ (ચૈતન્ય) એક હ્રાય ત્યાં ઉપાધિના ભેદ વિના પ્રતિબિંબના ભેદ સલવે નહિ તેથી જીવ–પ્રતિબિબને માટેની ઉપાધિ માયા છે. અને ઇશ્વર–પ્રતિબિંબને માટેની ઉપાધિ અવિદ્યા છે, અને માયા' પરથી માયાનું કાર્યં અન્તઃકરણ વિવક્ષિત છે. આ શ્રુતિમાં માયા અને અવિદ્યાને મૂલપ્રકૃતિથી અભેદ કહ્યો છે તે બાબતમાં એમ સમજવાનુ` છે કે મૂલપ્રકૃતિ અને અવિદ્યાના મુખ્ય અભેદ છે તેવા માયા શબ્દથી વિવક્ષિત અન્તઃકરણ અને મૂલપ્રકૃતિ વચ્ચે નથી તેા પણ પ્રકૃતિવિકારભાવથી પ્રયુક્ત અભેદ તેા છે જ તેથી કોઈ મુશ્કેલી નથી. વરચ્છેદવાદી એવી દલીલ કરી શકે કે અવિદ્યાથી અવચ્છિન્ન ચૈતન્ય જ ઈશ્વર અને અન્ત:કરણથી અવચ્છિન્ન ચૈતન્ય જ જીવ એમ ઉપપત્તિ બતાવીએ તે વધારાના પ્રતિબિંબની કલ્પના કરવાની જરૂર ન રહે; પ્રતિબિંબ માનવામાં તા ગૌરવના દોષ છે પણ આ દલીલ બરાબર નથી કારણ કે અવચ્છેદ માનીએ તા આ લાકમાં બ્રાહ્માદિ શરીરમાં રહેલા અન્તઃકરણથી અવચ્છિન્ન ચૈતન્યપ્રદેશ ક'ના કર્તા છે અને પરલેાકમાં દેવાદિશરીરમાં રહેલા અન્તઃકરણથી અવચ્છિન્ન ચૈતન્યપ્રદેશ કમ” કર્યા વિના ભાક્તા છે. આમ જેણે કમ' ક' છે તેન તેના ફ્ળતા ભેગ નથી (કૃતહાનિ) અને જેણે ક્રમ" નથી કયુ તેને પોતે નહી કરેલા કમના ફળની પ્રાપ્તિ થાય છે (અકૃતાભ્યાગમ). આમ કૃત-હાનિ અને અકૃત-અભ્યાગમ એ દેષ આવી પડે છે. અવચ્છેદક ઘટનુ સ્થાન-પરિવત ન થાય પણ તેનાથી અવચ્છિન્ન આકાશ પ્રદેશનું ગમન જોવામાં નથી આવતું; તેમ બ્રાહ્મણુ શરીરમાં રહેલુ અન્તઃકરણ પરલોકમાં જાય છે એમ માની શકાય પણ તેનાથી વચ્છિન્ન ચિપ્રદેશનું પણ ત્યાં ગમન માની શકાય નહિ (− ંઆકાશ અને ચૈતન્ય વિભુ, સર્વાંગત હોઈને ગમન આગમન સભવતાં નથી). તેથી વચ્છિન્ન ચિત્પ્રદેશ જુદા છે અને કમ' કરનાર એક અને તેનું ફળ ભાગવનાર ખીજો એવું થઈ જાય. પણ પ્રતિષે બ તરીકે ઉપપાદન કરવામાં આ દોષ નથી. સૂર્યાદિના પ્રતિબિંબવાળા જળથી ભરેલા ઘડાને ખીજી જગ્યાએ લઈ જવામાં આવે તે પણ પ્રતિબિંબમાં ભેદ દેખાતા નથી. તેમ અન્તઃકરણુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy