SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ अथ किमर्थो वर्णानामुपदेशः। અર્થ) બંધ બેસશે.વળી જે કહ્યું કે શબ્દનો બોધ નહીં થાય એ બાબતમાં) કહેવાનું કે સૂત્ર દ્વારા જ શબ્દોનું જ્ઞાન થાય તેમ નથી . તો શાથી થાય છે? વ્યાખ્યાન દ્વારા પણ થાય છે.” પરન્તુ સૂત્રના શબ્દોને છૂટા પાડવામાં આવે તે વ્યાખ્યાન થાય” એમ કહીને અમે તેનું ખંડન કર્યું હતું. અમે પણ (પ્રત્યુતરમાં) કહ્યું હતું કે કેવળ છૂટાં પાડેલાં પદો એ વ્યાખ્યાન નથી. તો પછી વ્યાખ્યાન એટલે શું? ઉદાહરણ, પ્રત્યુદાહરણ, વાકયમાં ખૂટતા શબ્દો પૂરવા એ સર્વ મળીને વ્યાખ્યાન થાય છે. આ પ્રમાણે તો જે અજ્ઞાની છે તેને માટે જરૂરી છે.... ખરું જોતાં શબ્દોનું જ્ઞાન તો સૂત્રો દ્વારા જ થાય છે. તેથી સૂત્રને અવગણીને કોઈ બીજું જ) કહે તે સ્વીકારાશે નહીં. તો હવે આ ( શિવસૂત્રોમાંના) વર્ગોનો ઉપદેશ શા માટે કરવામાં આવે છે? वृत्तिसमवायार्थ उपदेशः ॥१५॥ वृत्तिसमवायार्थो वर्णानामुपदेशः कर्तव्यः। किमिदं वृत्तिसमवायार्थ इति। वृत्तये समवायः वृत्तिसमवायः। वृत्यर्थो वा समवायः वृत्तिसमवायः। वृत्तिप्रयोजनो वा समवायः वृत्तिसमवायः। का पुनर्वृत्तिः। वर्णानामानुपूर्येण सन्निवेशः। अथ क उपदेशः। उच्चारणम्। कुत एतत् । दिशिरुच्चारणक्रियः। उच्चार्य हि वर्णानाह उपदिष्टा इमे वर्णा इति। अनुबन्धकरणार्थश्च ॥१६॥ अनुबन्धकरणार्थश्च वर्णानामुपदेशः कर्तव्यः। अनुबन्धानासझ्यामीति । न ह्यनुपदिश्य वर्णाननुबन्धाः शक्या आसङ्क्तम् । स एष • वर्णानामुपदेशो वृत्तिसमवायार्थश्चानुबन्धकरणार्थश्च । वृत्तिसमवायश्चानुबन्धकरणं च प्रत्याहारार्थम्। વૃત્તિ સમવાય માટે ઉપદેશ છે I ૧૫ા જ 9% એ ઉદાહરણ, પ્રત્યુદાહરણ વગેરે તો જે કશું ન જાણતો હોય અર્થાત્ કોઇ પણ પ્રકારની ભૂમિકા વગરનો હોય તેને માટે છે. વાસ્તવિક રીતે તો શબ્દનું જ્ઞાન સૂત્ર દ્વારા જ થાય છે. તે માટે વ્યતિરેક દૃષ્ટાન્ત આપતાં કહે છે કે જે સૂત્રથી વિપરીત કહે તેને કોઇ સ્વીકારતું નથી. તે કારણે પણ સિદ્ધ થાય છે કે સૂત્ર દ્વારા જ શબ્દોનો બોધ થાય છે. માતચ = મતશ હતો. અર્થાત્ એટલા માટે. શા.રે માને છે કે અહીં શ્લેષ દ્વારા માતા એ સૂત્રનો ઉલ્લેખ કરીને સૂચવે છે કે કેવળ સૂત્ર દ્વારા મૂળ વ્યાખ્યાનનો બોધ થાય છે.(પ.૧૨૯). વાસ્તવમાં ભાગાકાર આ પ્રકારનો પ્રયોગ અનેક વાર કરે છે (જુઓ : મતક્ષત વત્ત-દક્ષતિ (૧-૪-૫૦ ઉપરનું મહા.ભા.). નાઃિ ન મ તે (કથન) નથી સ્વીકારાતું. ન તત્ (ગૃહાત) (ભર્તુ.) અર્થાત્ એવા ઉસૂત્ર કથનનો કોઇ સ્વીકાર કરતું નથી. નઃિ ગુuતો અન્ય રીતે પણ સમજાવવામાં આવે છે : ઉસૂત્ર કથન અર્થ રહિત હોવાથી તે માત્ર ઘોષ રૂપ જ છે (ના = ઘોઘાટ સમું જ છે.) (પ્ર.પૃ. ૭૨) લોક વ્યવહારમાં ક, ખ, ગ વગેરે મૂળાક્ષરો રૂપ કક્કાના પાઠ દ્વારા પણ વણનું જ્ઞાન મળી શકે છે પછી માહેશ્વર વર્ણસમાપ્નાયનું શું પ્રયોજન છે? વળી વણના ઉપદેશ દ્વારા કોઈ સાધુ શબ્દનું અનુશાસન થતું નથી તો પછી મહાદેવે પાણિનિને આ વર્ણસમાપ્નાયનો ઉપદેશ શા માટે કર્યો? એ પૂછવા માગે છે. જ વર્ગોનું પોતાનું સ્વરૂપ નિશ્ચિત કરવા માટે તેમનો ઉપદેશ કરવામાં આવતો નથી, પરંતુ વિશિષ્ટ આનુપૂર્વી--નિયતકમ-- માટે તે જરૂરી છે. આ કમને કારણે શાસ્ત્રમાં પણ ઉપયોગી થાય તે માટે તેમનો ઉપદેશ કરવામાં આવ્યો છે એથી લાઘવપૂર્વક, સરળતાપૂર્વક શાસ્ત્રપ્રવૃત્તિ થઇ શકે.અહીં શિમિ વૃત્તિસમવાય તિ? એમ પાઠ લઇશું? એમ ચેટર્જી પ્રશ્ન કરે છે. (પૃ.૧૦૫). વૃત્તવે સમવાય એ માત્ર સ્પષ્ટીકરણ છે, વિગ્રહ નથી, કારણ કે વૃત્તિસમવાય એ અશ્વાસઃ ની જેમ ષષ્ઠીસમાસ છે. વૃાર્થ સમવાય એ શાકપાર્થિવાદિ (મધ્યમપદલોપી) પ્રમાણેનો વિગ્રહ છે. અહીં વૃત્તિ એટલે શાસ્ત્રની પ્રવૃત્તિ. તે માટે સમવાય અર્થાત વર્ગોનો વિશિષ્ટ કમ નિમિત્તભૂત છે. વિશિષ્ટ સન્નિવેશને પ્રતાપે જ રથ: જેવામાં યથાસંખ્ય પ્રવૃત્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy