SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ પાણિનિની અષ્ટાધ્યાયના પ્રથમ પાદ પરના પતંજલિ વિરચિત મહાભાષ્ય (=નવાહિનકી) ના, વિસ્તૃત ટીકા સહિત, અનુવાદ અત્રે રજુ કરવામાં આવ્યો છે. અહીં પાણિનિના રચ, અષ્ટાધ્યાયીની સૂત્રસંખ્યા, તેના ભિન્ન સ્તર, તેમાં થએલ પ્રક્ષેપા, એ સમગ્ર કૃતિ ભગવાન પાણિનિની છે કે કેમ તે વગેરે પ્રશ્નોના ઉલ્લેખ કરવામાં આવ્યો , પરંતુ તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી નથી.અનુવાદ બને ત્યાં સુધી શબ્દશઃ છે, છતાં ગુણ, પર્ ર્ વગેર મૂળ પારિભાષિક શબ્દા રાખીને ટીકામાં ખુલાસા કર્યો છે. અહીં જ સ્થળ, મુક્ત અનુવાદ જવામાં આવશે. ક્વચિત્ વગેરે, પ્રમાણે, અનુસાર’ જેવા શબ્દો તથા સ્પષ્ટતા ખાતર કોસમાં વિશેષ અર્થ ઉમેરલા છે. સંશય ન થાય તે હેતુથી માટે ભાગે સંશા આ દેવનાગરીમાં મૂકેલ છે. અષ્ટાધ્યાયી મહદંશ મૂળ સ્વરૂપે જળવાઇ રહી છે છતાં તેમાં પ્રક્ષેપો થયા છે તે નિર્વિવાદ છે પરંતુ અહીં પાણિનિ, કાત્યાયન અને મહાભાષ્યકારને વિશે જે કંઇ ચર્ચા છે તે મહાભાષ્યની બાબતમાં સૌથી ખતમ એવા પ્રાચીન ભારતીય વ્યાખ્યાકારાના આધાર લઈને કરી છે, કારણ કે મહાભાષ્ય સાથે તેમના જેટલા પરિચય છે તેટલા કદાપિ કોઇ પણ નહીં મેળવી શકે. તેથી આધુનિક સંશાધના પ્રમાણ ક્વચિત્ અસંગતિ જણાય ત સંભવિત છે. આ અનુવાદ અને તેની ટકા અને સંસ્કૃત ભાષા અને પાણિનીય પદ્ધતિની ભૂમિકા હોય તેવા વિદ્યાર્થીને લક્ષમાં રાખીને કરી છે. સંસ્કૃત ભાષા, તના વ્યાકરણ અને પાણિનીય પદ્ધતિમાં મને પ્રવેશ કરાવનાર મારા પૂજય ગુરુવર્યા, મારા રવ. પિતા પૂજય શ્રી રંગરાય વ્રજરાય વારા, તથા સ્વ.પૂ. પ્રા. એ.જી. ભટ્ટ સાહેબ, સ્વ.પૂ.પ્રા.આર.બી આઠવલે સાહેબ અને સ્વ.પૂ.પ્રા. ક.વી.અભયંકર સાહેબને તેમ જ સ્વ.૫.૫ બહેચરદાસજી સાહેબ તથા કાલધર્મી,પ.પૂ.મહારાજ સાહેબ ન્યાયવિજયજીને હું સાદર પ્રણામ કરું છું. અહીં મૂળ સંસ્કૃત પાઠ માટે મહદંશે એ કિલ્લાર્નની આવૃત્તિ (B.C.R.J.1958)ના આધાર લીધો છે.(પાઠભદાની ચર્ચા તે સ્થળ કરી છે. વિચિત્ અન્ય પાઠ લીધા છે.) અનુવાદ અને ટીકા વગર માટે મને સંસ્થા તરફથી સૂચવવામાં આવેલ તે પ્રમાણે ઉપાધ્યાય કંટના પ્રદીપ અને મ.મ.નાગેશ ઉપાધ્યાયના ઉદ્યાત તથા તેના સંપાદક પં. દાધિમથ (મ.મ.પ શિવદત્ત. શર્મા) અને અન્ય વિદ્વાન સંપાદક મહાશયોની ટિપ્પણીઓના આધાર લીધો છે [નિ.સા. (૧૯૧૭), ચ,ખે (૧૯૯૨)]. તદુપરાંત કાશિકા, ભર્તુહરિની મહાભાર્થદીપિકા, કાશિકા ન્યાસ, પદમંજરી, શબ્દ- કૌસ્તુભ, સિદ્ધાન્ત કૌમુદી, પ્રોઢ મનારમાં, પરિભાષન્દ્રશેખર, આ બંન્દ્રશેખર, તત્ત્વબોધિની, બાલમનારમાં વગેરે પ્રાચીન ગ્રન્થા તથા અનેક પુરાગામી વિદ્વાનોને ગ્રન્થાની સાથે લીધી છે. તેમાં પુ.મ.મ.વાસુદેવ શાસ્ત્રી અભયંકરના મરાઠી (તથા હિન્દી અનુવાદના વિશિષ્ટ આધાર લીધા છે. તદુપરાંત પૂ.પં. યુધિષ્ઠિર મીમાંસક, પં. ચારુદેવ શાસ્ત્રી વગેરેની હિન્દી તથા શ્રી. સુબ્રહ્મણ્ય શાસ્ત્રી, શ્રી. કુમુદરંજન ર. શ્રી ચટ વગરના અંગ્રેજી ગ્રન્થાનો આધાર લીધા છે તે સર્વ વિદ્વાનોના અત્ર ત્રણ સ્વીકાર કરું છું. આ અનુવાદ અને ટીકાનો કેટલોક ભાગ રસ અને સૂક્ષ્મક્ષિકાપૂર્વક વાંચી જઇને તેમનો સ્પષ્ટ અભિપ્રાય દર્શાવનાર અને ઉપયોગી સુચના કરનાર તથા તેમની પિએચ.ડી થિસિસ સૌહાર્દપૂર્વક મોકલી આપનાર શ્રી. . સદામિની બાહલીકર cf. In making this attempt to separate Vartikas of Katyayana and Bhashya of Patanjali) we may avail ourselves of the assistance rendered by the later native grammarians ---because they evince a famliarity with the work of Patanjali in which they will never be equalled. -Katayyana and Patanjali (p. 7).(brackets & itales mine) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy