SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ गौर्विशेषो भवति। भवति च। यदि तर्हि सामान्यमपि विशेषो विशेषोऽपि सामान्य सामान्यविशेषौ न प्रकल्पेते। प्रकल्पेते च। कथम्। विवक्षातः। यदास्य गौः सामान्येन विवक्षितो भवति तदा गौः समान्य कृष्णो विशेषः। यदा कृष्णः सामान्येन विवक्षितो भवति गौविशेषत्वेन विवक्षितस्तदा कष्णः सामान्यं गौर्विशेषः॥ अपर आह। प्रकल्पेते च। कथम्। पिता पुत्रवत्। तद्यथा। स एव कंचित्प्रति पिता भवति कंचित्प्रति पुत्रो भवति। एवमिहापि स एव कंचित्प्रति समान्य कंचित्प्रति विशेषः॥ एते खल्वपि नैर्देशिकानां वार्त्ततरका भवन्ति ये सर्वनाम्ना निर्देशाः क्रियन्ते। एतैर्हि बहुतरक व्याप्यते ॥ નૌઃ એ વિશેષ ન થાય ? થાય છે ને. જો સામાન્ય પણ વિશેષ અને વિશેષ પણ સામાન્ય (એમ) હોય તો આ સામાન્ય અને આ વિશેષ એમ ન થઇ શકે? પણ એ બેનો ભેદ થઇ શકે છે. કેવી રીતે? વિવક્ષા પ્રમાણે. જયારે એ (વા) જોને સામાન્ય તરીકે કહેવા માગતો હોય અને કૃષ્ણ ને વિશેષ તરીકે ત્યારે જે સામાન્ય (થશે). જયારે એ (વક્તા) Mા ને સામાન્ય તરીકે કહેવા માગતો હોય અને જો ને વિશેષ તરીકે ત્યારે કૃષ્ણ સામાન્ય થશે અને) નો વિશેષ (થશે ). બીજો કહે છે કે (સામાન્ય અને વિશેષ વ્યવહાર) જરૂર બની શકે છે. કેવી રીતે ? પિતા પુત્રની જેમ.? તે એ રીતે કે એક જ વ્યક્તિ) કોઇનો પિતા હોય છે, જયારે) કોઇ (અન્ય)નો પુત્ર હોય છે. એ પ્રમાણે અહીં પણ એ જ (વસ્તુ) કોઈને વિશે સામાન્ય અને કોઇ (અન્ય)ને વિશે વિશેષ થાય છે. નિર્દેશ કરવા માટે પ્રયોજવામાં આવતા શબ્દોમાં એ (સર્વનામો નિર્દેશ કરવા માટે) સૌથી યોગ્ય છે, કારણ કે એમના વડે ઘણું બધું આવરી લેવાય છે. 18 ૌ ને ઉપકારક છે. તેને વિશિષ્ટ કરે છે તેથી તે વિશેષણ હોવાથી વિશેષ છે. એ રીતે પ્રસ્તુત સૂત્રમાં તરિમનું એમ કહ્યું છે તેથી સામાન્ય રૂપ સપ્તમીના અર્થનો જ નિર્દેશ થાય છે, જયારે સૂત્રોમાં કરેલ , વિગેરે સપ્તમ્મન્તો વિશેષ છે. એ સર્વને તમિ7 આવરી લે છે. તેથી જ તથાપત્યમ્ તત્ર મવા જેવાં સૂત્રોની જેમ અહીં પણ સ્વતંત્ર સર્વનામ તરિમન્ નું ગ્રહણ કર્યુ છે. 216 શંકાકારનું કહેવું છે કે નૌઃ એ સામાન્ય પણ હોય અને વિશેષ પણ હોય , વUઃ એ વિશેષ પણ હોય અને સામાન્ય પણ હોય એમ જો સિદ્ધાન્તીનું કહેવું હોય તો પછી આ સામાન્ય અને આ વિશેષ એવો ભેદ કેવી રીતે શક્ય બને? અને પરિણામે સામાન્ય અને વિશેષ એ પ્રકારનું નામાભિધાન પણ થઈ નહીં શકે. સિદ્ધાન્તી કહેશે કે એમ છતાં એ શક્ય છે, કારણ કે કહેનાર વ્યક્તિના મનમાં શું છે તે ઉપર આ બાબતનો આધાર છે. જો નો ને બુદ્ધિસ્થ રાખીને, તેને પ્રાધાન્ય આપીને, કહેવા માગતો હોય તો નો સામાન્ય થશે અને ઃ ને ગૌણ ગણીને નો ના ઉપકારક તરીકે, તેના વિશેષણ તરીકે ગણીને કહેવા માગતો હોય તો તે વિશેષ થશે, પરંતુ વિપરીત સ્થિતિમાં એટલે કે વક્તા કૃષ્ણ ને પ્રધાન ગણીને નો ને વિશેષણ તરીકે કહેવા માગે તો | સામાન્ય અને જો વિશેષણ થશે. જેમ કે બળદને લાવ’ એમ કહેવામાં આવે ત્યારે સ્પષ્ટતા ખાતર ‘કાળા બળદને લાવ” એમ કહે તો નો સામાન્ય અને કૃષ્ણ વિશેષ થશે. પરંતુ કાળિયા -ને લાવ’ એમ કહેવામાં આવે અને કહેનાર પાસે કાળો બળદ, કાળો ઘોડો અને કાળો કૂતરો હોય તો ત્યારે સ્પષ્ટતા ખાતર એ કહે બળદને લાવ’ તો અહીં wા સામાન્ય થશે અને તે વિશેષ. આમ વક્તાની ઇચ્છા, તે શેના ઉપર ભાર મૂકે છે, કોને પ્રાધન્ય આપે છે તેના ઉપર, તેની વિવક્ષા ઉપર, સામાન્ય-વિશેષ વ્યવહારનો આધાર છે તેથી સામાન્ય વિશેષ એમ શબ્દ વ્યવહાર જરૂર થઈ શકશે. ? સામાન્ય-વિશેષ ભાવ વારાફરતી થઇ શકે તે સિદ્ધ કર્યું. હવે પિતાપુત્રનું દૃષ્ટાન્ત આપીને અન્ય રીતે સિદ્ધ કરે છે. જેમ કે પર રાત્મિન વન્ટે તત્ત તનિધિમ્ અહીં વ્યાસને વંદન કરે છે તેમાં વ્યાસ એ એક જ વ્યક્તિ પરાશરની દૃષ્ટિએ વિચારતાં તે પુત્ર છે અને શુકની દૃષ્ટિએ વિચારતાં એ પિતા છે. આમ એક જ વ્યક્તિ અમુક સંજોગોમાં પિતા હોય અને તેથી ભિન્ન સંજોગોમાં પુત્ર હોય તેમ એક જ વસ્તુ સામાન્ય પણ હોઇ શકે અને વિશેષ પણ હોઇ શકે. જેમ કે રાનપુરુષાશ્વઃ (રાજાના પુરુષનો ઘોડો) માં રાજાની અપેક્ષાએ પુરુષ વિશેષ્ય છે પરંતુ ઘોડાની અપેક્ષાએ પુરુષ વિશેષણ છે. આમ સામાન્ય-વિશેષ્ય વ્યવહાર અવશ્ય થઈ શકે. અહીં પણ વગૂ વગેરેની દૃષ્ટિએ જે સૂત્ર સામાન્ય છે તે તમન્ના એ સૂત્ર તાર્મિતિ નિર્વિરે પૂર્વવા ની અપેક્ષાએ વિશેષ છે. 218 સૂત્રમાં તસ્મિન નું ગ્રહણ ન કરતાં સપ્તમનિર્વિરે પૂર્વસ્યા એમ કહ્યું હોય તો? એ પ્રશ્નને લક્ષમાં રાખીને ભાષ્યકાર કહે છે કે જે શબ્દો દ્વારા નિર્દેશ કરવામાં આવે છે તેમાં સર્વનામ સર્વથી યોગ્ય છે કારણ કે સર્વનામ સામાન્યવાચી હોવાથી (સરખવો: સર્વેષાં નામાનીતિ વતઃ સર્વનામનિ તિા મબ૦) ઘણા બધાને આવરી લે છે. પરંતુ સતીનિર્વિષ્ટ એમ કહ્યું હોય તો ‘સપ્તમી શબ્દ વડે જેનો નિર્દેશ ५७४ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy