SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ सत्यन्यस्मिन्नाद्यन्तवद्भावादेकस्मिन्नद्यन्तवद्ववनम् ॥१॥ सत्यन्यस्मिन्यस्मात्पूर्व नास्ति परमस्ति स आदिरित्युच्यते। सत्यन्यस्मिन्यस्मात्परं नास्ति पूर्वमस्ति सोऽन्त इत्युच्यते। सत्यन्यस्मिन्नाद्यन्तवद्भावादेतस्मात्कारणादेकस्मिन्नाद्यन्तापदिष्टानि कार्याणि न सिध्यन्ति। इष्यन्ते च स्युरिति। तान्यन्तरेण यत्न न सिध्यन्तीत्येकस्मिन्नाद्यन्तवद्वचनम्। एवमर्थमिदमुच्यते ॥ अस्ति प्रयोजनमेतत् । किं तहीति । तत्र व्यपदेशिवद्वचनम् ॥२॥ तत्र व्यपदेशिवद्भावो वक्तव्यः। व्यपदेशिवदेकस्मिन्कार्य भवतीति वक्तव्यम्। किं प्रयोजनम्। एकाचो द्वे प्रथमार्थम् ॥३॥ બીજો વર્ણ સાથે) હોય ત્યારે જ આદિ કે અન્ત’ એ (વ્યવહાર) સંભવિત છે. તે રીતે માત્ર એક (વર્ણ) હોય ત્યારે પણ તેને વિશે “આદિ કે અન્ત’ એ વ્યવહાર થઇ શકે) તે માટે માન્તવત્ (રિમ ) એમ કહ્યું છે ૧ અન્ય (વર્ણ જોડે) હોવા છતાં જેની પૂર્વે કોઇ (વર્ણ) હોય પરંતુ પાછળ હોય તે આદિ કહેવાય છે. અન્ય (વર્ણ જોડે) હોવા છતાં જેની પાછળ કોઇ(વર્ણ)હોય પણ પૂર્વે હોય તે અન્ત કહેવાય.(આમ) અન્ય મોજુદ હોય ત્યારે જ આદિ અને અન્ત રૂપ સંબંધ શક્ય છે તેથી આદિ અને અન્તને અનુલક્ષીને એકને વિશે કહેવામાં આવેલાં કાર્યો સિદ્ધ થઇ શકતાં નથી પરંતુ એકને પણ તે કાર્યો) થાય તે ઇષ્ટ છે. અને તે ખાસ પ્રયત્ન વિના સિદ્ધ ન થઇ શકે તેથી જયારે એક જ (વર્ણ) હોય ત્યારે તે(એક વર્ણ) જ આદિભૂત અને અન્તભૂત સમજાય તે માટે આ(સૂત્ર) કરવામાં આવ્યું છે. શું એ પ્રયોજન છે? તો પછી શું પ્રયોજન) છે? ત્યાં તેને માન્તવત્ ને બદલે) વ્યપદેશીની જેમ (વ્યપરિવ૬) એમ કહેવું જોઇએ પરા ત્યાં વ્યપદેશિવભાવ કહેવો જોઇએ, એટલે કે વ્યપદેશિર્ભાવદારામ (અર્થાત્ મુખ્યાર્થમાં જે આદિ કે અંત નથી તેવા) એકને (મુખ્યની જેમ) કાર્ય થાય છે એમ કહેવું જોઇએ. શા માટે? Iો છે પ્રથમા (પ્રમાણે કાર્ય થઇ શકે તે માટા ને? અહીં માદ્યન્તમાવત્ એમપાઠાન્તર નોંધે છે, અર્થાત્ “આદિ અને અન્ત’ એમ વ્યવહાર થાય છે. એટલે કે આગળ પાછળ અન્ય કંઈ હોય ત્યારે “આ આદિ છે” અથવા “આ અન્ય છે” એમ પ્રયોગ થઇ શકે છે પણ જયારે કોઇ વર્ણ એકલો જ હોય , આગળ કે પાછળ અન્ય વર્ણ ન હોય ત્યારે પણ માન્તભાવ થાય એ આ સૂત્રનું પ્રયોજન છે. છાયા આપાઠને યોગ્ય ગણે છે. 14. જયારે કોઇ પણ વર્ણની પછી એક અથવા વધુ વર્ણ હોય પણ તેની પૂર્વે એક પણ વર્ણ ન હોય ત્યારે તે વર્ણને વિશે મારિ એમ વ્યવહાર, શબ્દ પ્રયોગ, વ્યપદેશ કરી શકાય, તે જ રીતે જયારે કોઇ વર્ણની પૂર્વે એક અથવા વધુ વર્ણ હોય પરંતુ તેની પછી એક પણ વર્ણ ન હોય ત્યારે તે વર્ણને વિશે સન્ત એમ વ્યપદેશ કરી શકાય અને તે આદિ કે અંત્ય વર્ણને વ્યપદેશી કહેવાય. પરંતુ જયારે એક જ વર્ણ હોય અને તેની આગળ કે પાછળ બીજો કોઇ વર્ણ ન હોય તેવા એક અર્થાત્ અસહાય વર્ણને વિશે આદિ કે અંત એવો વ્યવહાર થઇ ન શકે છતાં આદિ અને અંતને અનુલક્ષીને કહેલું કાર્ય એક વર્ણને પણ થઇ શકે તે માટે તેવો વર્ણ સાચા અર્થમાં આદિ કે અંત નથી છતાં તેને આદિ કે અંત જેવો વ્યપદેશી જેવો (ચરાવતુ) ગણીને કાર્ય કરી શકાય એમ કહેવું જરૂરી છે એમ અહીં દલીલ છે. 142 પ્રો ટ્રે પ્રથમ પ્રમાણે જેમાં અભ્યાસ નથી થયો તેવા ધાતુના પ્રથમ વિશ્ (એક -યુક્ત ભાગનો) અભ્યાસ થાય છે. તેથી તું , ત્, નાગુ જેવા ધાતુઓમાં અભ્યાસ થઇ શકશે, પરંતુ સ્ત્ર જેવા એક વર્ણવાળા ધાતુઓમાં કયા ભાગનો બ્દિભવ થશે અથવા થશે કે નહીં એ પ્રકારની શંકા થાય છે તેનું પ્રસ્તુત સૂત્ર દ્વારા નિરાકરણ થાય છે, એમ ભાવ છે. २१५ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy