SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ -भूमिवासिनः केचिदुभयवासिनः। ये प्रासादवासिनो गृह्यन्ते ते प्रसादवासिग्रहणेन। ये भूमिवासिनो गृह्यन्ते ते भूमिवासिग्रहणेन। य उभयवासिनो गृह्यन्ते ते प्रासादवासिग्रहणेन भूमिवासिग्रहणेन च। एवमिहापि केचिन्मुखवचना केचिन्नासिकावचनाः केचिदुभयवचनाः। तत्र ये मुखवचना गृह्यन्ते ते मुखग्रहणेन। ये नासिकावचनाः गृह्यन्ते ते नासिकाग्रहणेन। य उभयवचना गृह्यन्त एव ते मुखग्रहणेन नासिकाग्रहणेन च। भवेदुभयवचनानां सिद्ध यमानुस्वाराणा -मपि प्राप्नोति। नैव दोषो न प्रयोजनम् ॥ इतरेतराश्रयं तु भवति । केतरेतरश्रयता। सतोऽनुनासिकस्य संज्ञया भवितव्य संज्ञया च नामानुनासिको भाव्यते तदितरेतराश्रयं भवति। इतरेतराश्रयाणि च कार्याणि न प्रकल्पन्ते। अनुनासिकसंज्ञायामितरेतराश्रय उक्तम् ॥१॥ ભોયતળિયે રહેતા હોય (અને) કેટલાક બન્ને માળમાં રહેતા હોય ત્યારે જે ઉપલે માળે રહે તેનું પ્રાસાદવાસી (ઉપરવાળા) એ શબ્દ દ્વારા ગ્રહણ થાય છે, જે ભોયતળિયે રહે છે તેમનું ભૂમિવાસી (નીચેવાળા) શબ્દ દ્વારા ગ્રહણ થાય છે, પરંતુ જે બન્ને માળે રહેતા હોય તેમનું પ્રાસાદવાસી તેમ જ ભૂમિવાસી એ બન્ને શબ્દો દ્વારા ગ્રહણ થાય છે, એ જ રીતે અહીં પણ કેટલાક (વણ) નાં ઉચ્ચારણનું સાધન મુખ છે અર્થાત્ તે મુખવચન છે, કેટલાક (વર્ગો) ના ઉચ્ચારણનું સાધન નાસિકા છે અર્થાત્ તે નાસિકાવચન છે, જયારે કેટલાક (વર્ગો) ના ઉચ્ચારણનાં સાધન મુખ અને નાસિકા બન્ને છે, અર્થાત્ તેઓ ઉભયવચન (મુનાસિવાવાની છે. તેમાં જે મુખવચન છે તેમનું ગ્રહણ સૂત્રમાં મુખ શબ્દ મૂક્વાથી થાય છે. જે નાસિકાવચન છે તેમનું ગ્રહણ સૂત્રમાં નાસિકા શબ્દ મૂકવાથી થાય છે. જયારે જે ઉભયવચન છે તેમનું તો સૂત્રમાંના મુખ શબ્દ દ્ધારા તેમ જ નાસિકા શબ્દ દ્વારા (મુખનાસિકાવારા) થાય છે.(આથી) જે ઉભયવચન છે તેમની (અનુનાસિક સંજ્ઞા) સિદ્ધ થશે, પરંતુ યમ અને અનુસ્વારને પણ (અનુનાસિક સંજ્ઞા) થવાનો પ્રસંગ આવશે. તેમ થાય તો) કોઈ વાંધો એ નથી અને ન થાય તો કોઈ ફાયદો એ નથી. પરંતુ તેથી ઇતરેતરાશ્રય દોષ આવશે.(એમાં) કેવી રીતે ઇતરેતરાશ્રય દોષ થશે ? (આ રીતે કે) અનુનાસિક વર્ણ હોય તો તેને (અનુનાસિક) સંજ્ઞા થશે અને સંજ્ઞાને કારણે તો (વર્ણ) અનુનાસિક બને છે, તેથી. ઇતરેતરાશ્રય દોષ આવે છે 20 અને એક બીજા પર આધાર રાખતાં કાર્યો સિદ્ધ થઇ શકતાં નથી. અનુનાસિક સંજ્ઞામાં આવતા ઇતરેતરાશ્રયની બાબતમાં (પૂર્વે)કહ્યું છે ||૧| 1 છે કે પ્રસાદવાસિન્યાય માત્ર કિયા શબ્દોને લાગુ પડે છે રૂઢિ શબ્દોને લાગુ પડતો નથી. મનુનાસિક પણ રૂઢિ શબ્દ છે, કારણ કે મનુ સ્થાન નસિક વ્યાબિત્તેિ રમના એ પ્રમાણેની વ્યુત્પત્તિ ન્, ૫, ર્ન અને ન્ ની બાબતમાં દર્શાવી શકાય તેમ નથી, કારણ કે તે માટે કોઇ આધાર નથી.તેથી પ્રથમ મતમાં પ્રાસાદવાસિન્યાય લાગુ પડશે, પરંતુ પાછળના બે મતમાં એ ન્યાય લાગુ પડતો નથી. વાસ્તવમાં ભાષ્યકારે લાઘવનો ત્યાગ કરીને મનુનાસિનઃ એમ જે મોટી સંજ્ઞા (દતી સંજ્ઞા) કરી છે તેની પાછળ એ જ આશય છે કે અન્યર્થ સંજ્ઞા થઇ શકે તેથી જેમાં મુખ પછી નાસિકાનો ઉપયોગ થાય છે અથવા જેમાં નાસિકા પછી મુખનો ઉપયોગ થાય છે તે મનુનાસિક. (ન્યા.ભા.૧. પૃ. ૯૪, શ.કો.પૃ.૧૧૫, પ્ર.ઉ. પૃ. ૨૧૩) TIક પ્રથમ મત પ્રમાણે પ્રાસાદવાસિન્યાય લાગુ પડી શકે છે તેથી સૂત્રમાં મુવિ શબ્દનું ગ્રહણ ન કર્યું હોય, એટલે કે નાસિવિનોડનુનાસિનઃ એટલું જ કહ્યું હોય તો પણ ગૂ, ન્ , ર્ ર્ અને ન્ નું તેમ જ માઁ જેવા અનુનાસિક સ્વરોનું ગ્રહણ થશે T? કારણ કે યમ અને અનુસ્વારને અનુનાસિક સંજ્ઞા થાય તો તેથી કોઇ દોષ થતો નથી અને તેમને અનુનાસિક સંજ્ઞા થતી અટકાવવાથી કોઇ લાભ થતો નથી. 120 જ વર્ણ અનનાસિક સિદ્ધ થયો હોય તેને ૩નુનાસિક સંજ્ઞા આપવામાં આવે છે અર્થાત્ સંજ્ઞાનો આધાર અનુનાસિક વર્ણ બને છે અને જો સંજ્ઞા આપવામાં આવે તો વર્ણ અનુનાસિક ગણાય છે, એટલે કે સંજ્ઞાને આધારે વર્ણ અનુનાસિક બને છે. આમ સંજ્ઞાનો આધાર અનુનાસિક વર્ણ પર છે અને અનુનાસિક વર્ણનો આધાર સંજ્ઞા ઉપર છે તેથી તરેતરાત્રથ દોષ આવે છે, એમ અહીં દલીલ છે. 12. પૂર્વે આવેલા વૃદ્ધિ સૂત્રમાં કહ્યું છે. અહીં માત્ર પુનરુચ્ચારણ કરવામાં આવે છે (ભર્તુ. પૃ.૧૬૩). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy