SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ परिशिष्ट - २ शब्दार्थविचारणाधिकारः १७ यदा तु ते अपि वस्तूनि अतीताजातरूपतयाऽभिधत्ते तदा तद्विषयः सार्वज्ञज्ञानमिव सद्भूतार्थविषयत्वात् प्रामाण्यमश्नुत एव, अन्यथा अतीतकल्पान्तरवर्तिपार्वादिसर्वज्ञदेशना भविष्यच्छङ्खचक्रवर्त्यादिदेशना च सर्वथा नोपपद्येत, तेषामभावेन तद्विषयज्ञानतन्निबन्धशब्दप्रवृत्ययोगात् । (९) स्यादेतत्-अनले अनलशब्दस्तदभिधानस्वभावतया यमभिधेयपरिणाममाश्रित्य प्रवर्त्तते स जले नास्ति, जलानलयोरभेद प्रसङ्गात्, प्रवर्त्तते च संकेतवशात् जलेऽप्यनलशब्दस्तत्कथं शब्दार्थयोर्वास्तवः संबन्ध उद्घष्यत इति, तदयुक्तं, शब्दस्यानेकशक्तिसमन्विततया उक्तदोषानुपपत्तेः, तथाहि - नानलशब्दस्य अनलवस्तुगताभिधेयपरिणामापेक्षी तदभिधान एवैकः स्वभावः, अपि तु समयाधानतत्स्मरणापेक्षितया विलम्बितादिप्रतीतिनिबन्धनं, સંબંધ ન હોવાથી પ્રમાણભૂત નથી' તેમ માનવામાં અમને કોઈ વાંધો આવતો નથી. જયારે તે શબ્દો અતીતઅર્થને અતીતરૂપે અને અનાગત અર્થને અનાગતરૂપે નિરૂપે છે. ત્યારે તે શબ્દનો વિષય સર્વજ્ઞજ્ઞાનના વિષયની જેમ સભૃતાર્થવિષયરૂપ હોવાથી તે શબ્દો પ્રમાણભૂત બને છે. અન્યથા “અતીત કલ્પાન્તરમાં પાર્શ્વનાથ સર્વજ્ઞ થઈ ગયા' તેવી દેશના કે “અનાગતકાળમાં શંખચક્રવર્તી થશે તેવી દેશના ઉપપન્ન જ નહીં થાય. કેમકે અતીત અને અનુત્પન્ન વસ્તુઓ અસતું હોવાથી તે બધાના જ્ઞાનમાં અને એ જ્ઞાનથી બોલાતા શબ્દોમાં પ્રવૃત્તિ જ સંભવે નહીં. જે બૌદ્ધને પણ ઈષ્ટ નથી. તેથી માનવું જ રહ્યું કે, અતીતાદિ અર્થો અતીતાદિરૂપે સત્ છે અને તે રૂપે જ્ઞાન અને શબ્દના તાત્ત્વિક વિષય બની શકે છે. (“કોઈની વાણી ક્યારેય મિથ્યારૂપ નહીં બને તેવી ત્રીજી આપત્તિ પણ સંભવતી નથી. કેમકે મૃષાભાષાવર્ગણારૂપ ઉપાદાનવાળા શબ્દો દ્વારા મિથ્યાવાણી સંભવી શકે છે.) - શબદની અનેકાર્થતાની ઉપપત્તિ , (૯) બૌદ્ધઃ- “અનલ'શબ્દ અનલ (= અગ્નિ) અર્થઅભિધાન = વાચકસ્વભાવવાળો છે. તેથી આ શબ્દ અનલઅર્થમાં જે અભિધેય પરિણામને આશ્રયી પ્રવર્તે છે, તે અભિધેયપરિણામ “જળ'અર્થમાં નથી. જો જળ-અનલ (= અગ્નિ)નો સમાન વાચ્ય પરિણામ માનો, તો જળ અને અનલને એક જ માનવાનો-અભિન્ન માનવાનો પ્રસંગ આવે, જે ઈષ્ટ નથી. તેથી “અનલ” શબ્દનો પ્રયોગ જળઅર્થમાં થવો જોઈએ નહીં, પરંતુ દેખાય જ છે કે સંકેતના કારણે જળઅર્થમાં પણ અનલ શબ્દ વપરાય છે તેથી નક્કી થાય છે કે, શબ્દ અને અર્થ વચ્ચે વાસ્તવિક સંબંધ નથી. જૈન - તમારી વાત આવકાર્ય નથી. કેમકે શબ્દ અનેક શક્તિઓથી સભર હોવાથી તમે કહેલો દોષ પગ માંડી શકે તેમ નથી. તથાતિ- “અનલ' શબ્દનો અનલવસ્તુમાં રહેલા અભિધેય પરિણામની અપેક્ષાવાળો માત્ર અનલવાચક એક જ સ્વભાવ છે તેમ નથી. પરંતુ જળવસ્તુમાં રહેલ વાચ્યપરિણામની અપેક્ષાવાળો જળવાચકસ્વભાવ પણ છે જ. અલબત્ત, અનલશબ્દથી જળની પ્રતીતિ દીર્થસ્મૃતિ આદિના કારણે વિલમ્બિત થાય છે, પણ નથી જ થતી એવું દેખાતું નથી. (‘અનલ'શબ્દના શ્રવણથી તે શબ્દનો અભ્યાસ આદિના કારણે અનલવસ્તુમાં રહેલા વાચ્યપરિણામની અપેક્ષાવાળો અનલવાચકસ્વભાવ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy