________________
धर्मसङ्ग्रहणी
परिशिष्ट - २ __ "यदेव च वदन्निस्तत्त्वमारोपितम् । यस्तत्त्वं जगते जगाद विजयीति" । अतस्तद्व्यवच्छेदार्थमिदं विशेषणमिति । (३) एतेन यदुच्यते - "प्रमेयं हि वस्तु परिच्छिन्नं प्रापयत्प्रमाणमुच्यते, प्रमेयं च विषयः प्रमाणस्येति प्रामाण्यं विषयवत्तया व्याप्तं, ततो यद्विषयवन्न भवति, न तत् प्रमाणं, यथा गगनेन्दीवरज्ञानं, न भवति च विषयवत् शाब्दं ज्ञानमिति । तथाहिद्विविधो विषयः, प्रत्यक्षः परोक्षश्च । तत्र न तावत्प्रत्यक्षः शाब्दज्ञानस्य विषयः, यस्य हि प्रतिपत्तुः संबन्धिनो ज्ञानस्य प्रतिभासेन स्फुटाभनीलाद्याकाररूपेण योऽनुकृतान्वयव्यतिरेकोऽर्थः स तस्य प्रत्यक्षः तस्य च प्रत्यक्षस्यार्थस्यायमेव प्रतिपत्तिप्रकारो नापरः । तदर्थान्वयव्यतिरेकानुविधायि च स्फुटप्रतिभासं ज्ञानं प्रत्यक्षं, प्रत्यक्षज्ञेयत्वात् । तन्नो प्रत्यक्षोऽर्थोऽनेकप्रकारप्रतिपत्तिविषयो
બૌદ્ધાચાર્યો અપોહનિરૂપણનાં આરંભ શ્લોકમાં કહ્યું છે કે, “જે (સકળ દોષ દુશ્મનોના) વિજયીએ (=બુદ્ધ) જગતને તત્ત્વવિકલ અને આરોપિત માત્ર જે તત્ત્વ (=અપોહ) કહ્યું છે.' ઇત્યાદિ અહીં શબ્દના વિષય તરીકે નિસ્તત્ત્વ અને કલ્પિત અપોહ જ બતાવ્યો. આમ, શબ્દને અવસ્તુવિષયક બતાવ્યો. આમ, શબ્દ અને અર્થ વચ્ચે સંબંધ નહીં સ્વીકારનાર બૌદ્ધોના મતનો વ્યવચ્છેદ કરવા દ્વારા “યથાસ્થિત અશેષજ્ઞેય પ્રતિબદ્ધ’ વિશેષણ પદ સાર્થક નીવડે છે.
શાદજ્ઞાન નિર્વિષયક હોવાથી અપ્રમાણ-બૌદ્ધ અહીં બૌદ્ધમત દર્શાવી તેનું નિરાકરણ કરે છે. (૩) બૌદ્ધઃ “પ્રમેય વસ્તુને પરિચ્છિન્ન અવસ્થા (જ્ઞાનાત્મક સચોટપણું) પ્રાપ્ત કરાવે તે પ્રમાણ” અર્થાત્ બોધ્ય વસ્તુનો જે સચોટ બોધ કરાવે, તે જ પ્રમાણ છે. જયારે વસ્તુ જ્ઞાનયોગ્ય હોય, ત્યારે પ્રમેય=શેય અવસ્થામાં છે, અને જયારે વસ્તુનું યોગ્ય જ્ઞાન થયું હોય, ત્યારે વસ્તુ પરિચ્છિન્ન= જ્ઞાત અવસ્થામાં આવે છે. પણ વસ્તુ સ્વયં જ્ઞયઅવસ્થામાંથી જ્ઞાતઅવસ્થામાં આવી શકવા સમર્થ નથી. વસ્તુ સ્વયં પોતાનું જ્ઞાન કરાવવા સમર્થ નથી, તેથી વસ્તુને જ્ઞાત અવસ્થામાં આવવા પ્રમાણની જરૂર પડે છે. પ્રમાણનું આ જ કાર્ય છે, શેય વસ્તુને જ્ઞાત બનાવવી.) અને પ્રમેય વસ્તુ પ્રમાણનો વિષય હોય છે. આમ પ્રામાણ્ય વિષયવત્તાથી વ્યાપ્ત છે. અર્થાત્ જે જે પ્રમાણ હોય, તે તે વિષયવાળું જ હોય, જે વિષયવાળું ન હોય તે પ્રમાણ બની શકે નહીં. જેમકે ખપુષ્પનું જ્ઞાન. શાબ્દજ્ઞાન પણ વિષયવાળું નથી તેથી પ્રમાણભૂત નથી. તે નીચે પ્રમાણે -
- શાદજ્ઞાનની અવિષયવત્તાની સિદ્ધિ જ્ઞાનના વિષય બે પ્રકારના છે : (૧) પ્રત્યક્ષ અને (૨) પરોક્ષ. તેમાં પ્રત્યક્ષ વસ્તુ શાબ્દજ્ઞાનનો વિષય બની ન શકે. “જે જ્ઞાતાના જ્ઞાનના પ્રતિભાસ દ્વારા સ્કુટનીલ વગેરે આકાર રૂપે જે અર્થ (=વસ્તુવિષય)ના અન્વય-વ્યતિરેકનું અનુકરણ કરાય છે, તે અર્થ તે જ્ઞાતાને પ્રત્યક્ષ છે.” જે વસ્તુનો જેને અન્વય-વ્યતિરેક દ્વારા નીલાદિ આકારરૂપે ફુટ પ્રતિભાસ થાય, તે વસ્તુ તેના માટે પ્રત્યક્ષપ્રમાણનો
१. एतत्खण्डं चेदं पद्यम्-बुद्धया कल्पिकया विविक्तमपरैर्यद्रूपमुल्लिख्यते, बुद्धि! न बहिर्यदेव च वदन्निस्तत्त्वमारोपितम् । यस्तत्त्वं जगते जगाद विजयी निःशेषदोषद्विषो, वक्तारं तमिह प्रणम्य शिरसाऽपोहः स विस्तार्यते ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org