SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ २१२ अनेकान्तजयपताका (હિતીઃ __न चास्य संवेदनस्य बाधकः प्रत्ययोऽस्ति, कदाचिदप्यनुपलब्धेः । न च योगिप्रत्ययो बाधक इति युज्यते वक्तुम्, प्रमाणाभावात् । (१५६) उक्तं च વ્યાધ્યા विग्रहः, तेषाम् अनन्वयात्, उच्छेदेन इत्यादि । न चास्य संवेदनस्य अन्वयव्यतिरेकवतो बाधकः प्रत्ययोऽस्ति । कुत इत्याह-कदाचिदप्यनुपलब्धेः, जातिविकल्पभावनाकालेऽपि । न चेत्यादि । न च योगिप्रत्ययोऽपास्ताशेषप्रपञ्चो बाधकः, अस्य प्रत्ययस्येति प्रक्रमः, इति युज्यते वक्तुम् । कुतो न युज्यत इत्याह-प्रमाणाभावात्, योगिप्रत्ययाग्रहणादित्यर्थः । उक्तं છેઅનેકાંતરશ્મિ .. - યથોક્ત સંવેદનની નિબંધકતા : અનુવૃત્ત અને વ્યાવૃત્તાકારે થતાં સંવેદનમાં કોઈ બાધક પ્રતીતિ નથી, કારણ કે તેની બાધક પ્રતીતિ કદી ઉપલબ્ધ જ નથી થતી. તમે વ્યતિરિક્ત-અવ્યતિરિક્ત (ભેદભેદ...) વગેરેના વિકલ્પો ઉઠાવો, તો પણ પ્રત્યક્ષપ્રતીતિ તો અનુવૃત્ત-વ્યાવૃત્ત સંવેદનની જ છે (એટલે તેનો બાધક કોઈ ન બને.) પૂર્વપક્ષ: “ક્ષIિ : સર્વે સંસ્કાર :' વગેરે રૂપે થતું, યોગીઓનું જ્ઞાન બાધક બનશે... આશયઃ આપણને સહુને થતું જ્ઞાન વાસનાજન્ય છે, તેથી તેમાં વિકલ્પો, અન્વય વગેરે હોય છે. યોગીને જે જ્ઞાન થાય છે, તે શુદ્ધ છે, વાસનાદિ માયાપ્રપંચથી રહિત છે અને તે જ્ઞાન જ આપણા જ્ઞાનનું બાધક બનીને ક્ષણિક વસ્તુને સિદ્ધ કરે છે. ઉત્તરપક્ષ પણ “યોગીઓને માત્ર ક્ષણિકનું જ જ્ઞાન થાય છે, નિત્યનું નહીં” એવું કહેવામાં પ્રમાણ શું? કારણ કે યોગીના જ્ઞાનનું જ્ઞાન તો આપણને થતું જ નથી. પૂર્વપક્ષ: “ક્ષણિI: સર્વે સંજ્જરી? એવી દેશના અપાતી હોવાથી જણાય છે કે, યોગીને માત્ર ક્ષણિકતાનું જ જ્ઞાન હશે. ઉત્તરપક્ષ એવું નથી કે, જેવી દેશના અપાય તેવું જ જ્ઞાન હોય... કારણ કે દેશના તો ઘણી વાર શ્રોતાને અનુસારે પણ અપાતી હોય છે. જેમ કે - (૧) કોઈક વ્યક્તિને કોઈક વસ્તુ પર દ્વેષ હોય, ત્યારે અતાંશને પ્રધાન કરીને એવી દેશના અપાય છે, કે “અરે ભાઈ ! શા માટે દ્વેષ કરો છો? તે પણ એક પ્રકારનું આપણું જ સ્વરૂપ છે, આપણા સ્વરૂપમાં જ વૈષ કરવાથી મતલબ શું?... વગેરે” (૨) કોઈક વ્યક્તિને કોઈ વસ્તુ પર ગાઢ રાગ હોય, ત્યારે દ્વૈતાંશને પ્રધાન કરીને એવી દેશના અપાય છે, કે “અરે ભાઈ ! શા માટે રાગ કરો છો? એ વસ્તુમાં તો આપણું કશું જ નથી, એવી પરાયી વસ્તુ પર રાગ કરવાથી શું મતલબ?... વગેરે.” (૩) એક બ્રાહ્મણને પોતાની ભાર્યા પર ઘણો પ્રેમ હતો. એક વખત તેની ભાર્યા મરી ગઈ... છતાં પણ તેને એકાએક આઘાત ન લાગી જાય, તે માટે તટસ્થ “હજુ મરી નથી” એવો ઉપદેશ આપ્યો.. એ રીતે, શ્રોતાના અનુસારે દેશના અપાતી હોવાથી, વૈરાગ્ય ઊભો કરવા પણ “ક્ષણિI: સર્વે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy