SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ થિ%ાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता तदत्र तावदनेकान्तजयपताकाऽभिधानेन शठोक्त्यपाकरणमनन्तरप्रयोजनं कर्तुः, परम्पराप्रयोजनं तु धर्मः, उक्तवदनिन्धमार्गप्रवृत्तेः, विषये कृपासाफल्यकरणाच्च । अभिधेयमप्येतदेव । तथाऽभिधीयमानं कर्मरूपापन्नमिति साध्यसाधनलक्षणश्च सम्बन्धः । श्रोतृणां त्वनन्तरप्रयोजनं प्रकरणार्थपरिज्ञानमेव, परम्पराप्रयोजनं धर्म एव इति । एवं च नारब्धव्यमेवेदं प्रकरणं प्रयोजनादिरहितत्वात् उन्मत्तकविरुतवदित्येवमादि निराकृतमेव ॥ - અનેકાંતરશ્મિ ... એવું તત્ત્વથી બનેલું કાર્યવિશેષ અનેકાંત જયપતાકા નામનું પ્રકરણ પ્રારંભાય છે=અનેકાંત જયપતાકા નામનું પ્રકરણ ચાલુ કરાય છે, જે તત્ત્વ ગ્રંથકારશ્રીને બુદ્ધિમાં રહેલું છે, તેને શબ્દદેહ અપાય છે. પ્રશ્નઃ “પ્રકરણ” એટલે શું? ઉત્તર : જે પદાર્થો જે સ્વરૂપમાં હોય, તે પદાર્થના તે સ્વરૂપનું વિપરીત માન્યતાને દૂર કરવા દ્વારા જેમાં પ્રગટીકરણ કર્યું હોય, તેને “પ્રકરણ' કહેવાય છે. પ્રકરણનો વ્યુત્પત્તિ અર્થ પણ આ જ છે “પ્રક્રિયન્તડથ: વસ્થાનસ્થાપનામવ્યવસ્યાત્મિનિતિ પ્રણમ્ ” આ શ્લોકના અમુક પદોના પદકૃત્ય દ્વારા પ્રયોજન વગેરે જ્ઞાત થાય છે. તે આ પ્રમાણે – પ્રકરણ કરવા માટે ગ્રંથકારશ્રીનું (૧) અનંતરપ્રયોજન - એકાંતવાદીઓની ઉક્તિઓનું નિરાકરણ છે, અને (૨) પરંપરપ્રયોજન - ધર્મની પ્રાપ્તિ છે, કારણ કે પરંપરાએ બે રીતે ધર્મની પ્રાપ્તિ થાય છે, (ક) એક તો પ્રકરણ કરવાથી પહેલા જણાવી ગયા તે રીતે પૂર્વાચીર્ણ અનિંદ્ય માર્ગમાં પ્રવૃત્તિ થવાથી, અને (ખ) બીજું શઠોક્તિનું અપાકરણ કરવાથી કરૂણાના વિષયભૂત મંદ મતિ જીવો પ્રત્યેની કરૂણાનું સફળીકરણ થવાથી... અને આમ ધર્મની પ્રાપ્તિ એ જ ગ્રંથકારશ્રીનું પરંપરપ્રયોજન પ્રકરણ વાંચવા માટે શ્રોતાનું (૧) અનંતરપ્રયોજન - પ્રકરણના અર્થનું યથાર્થ જ્ઞાન છે, અને (૨) પરંપરપ્રયોજન - ધર્મની પ્રાપ્તિ જ છે. તથા, ગ્રંથનો પ્રતિપાઘ વિષય પણ “શઠોક્તિઓનું નિરાકરણ' જ છે અને જેનું કથન કરવાનું હોય તે કર્મરૂપ-સાધ્યરૂપ બને છે' એ નિયમ પ્રમાણે, પ્રસ્તુત પ્રકરણ વડે શઠોક્તિના અપાકરણનું કથન કરવાનું છે, માટે પ્રકરણ તે સાધન બનશે અને શઠોક્તિનું અપાકરણ તે સાધ્ય બનશે - આમ, પ્રકરણ અને શઠોક્તિના અપાકરણરૂપ વિષય વચ્ચે સાધ્ય-સાધનભાવરૂપ સંબંધ પણ છે. આ રીતે, પ્રયોજન-વિષય સંબંધ વગેરે બધું જ હોવાથી, જે લોકો એમ કહે છે કે, “આ પ્રકરણનો આરંભ ન કરવો જોઈએ, કારણ કે ઉન્મત્ત કવિ વડે બોલાયેલા શબ્દોની જેમ, આ પ્રકરણ, પ્રયોજનાદિથી રહિત છે” તે બધું કથન નિરાકૃત થાય છે. આ પ્રમાણે પ્રયોજન વગેરેનું સ્વરૂપ કહીને, હવે પ્રસ્તુત પ્રકરણનું જે મૌલિક અભિધેય છે, તે શઠોક્તિઓના અપાકરણનો પ્રારંભ કરાય છે – વિવરમ્ 8. ભિધેયમથેતવેતિ | શહોવાછરી II Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy