SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવતીર્થ - રત્નત્રયી ૬૫ સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર ઉત્તરોત્તર વધતાં જાય. દરેક ગુણસ્થાનકમાં દર્શન-જ્ઞાન-ચારિત્રની સમ્યક્ માત્રા વધતી જ જાય છે. સભા ઃ પહેલા ગુણસ્થાનકે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર કેવી રીતે હોય ? સાહેબજી : પ્રથમ ગુણસ્થાનકમાં રહેલા અપુનબંધક આદિ અવસ્થાવાળા જીવને આધ્યાત્મિક વિકાસ માન્યો છે, અને જ્યાં જ્યાં અધ્યાત્મ છે ત્યાં ત્યાં અંશરૂપે પણ સમ્યજ્ઞાન, સમ્યક્રક્રિયા આદિ છે જ, તે વાત પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ અધ્યાત્મસાર ગ્રંથમાં તર્કથી સ્થાપિત કરેલ છે. શુદ્ધ વ્યવહારનય ચોથે ગુણસ્થાનકે સમ્યગ્દર્શન માને, જ્યારે ઉપચરિત વ્યવહારનય પ્રથમ ગુણસ્થાનકે પણ બીજરૂપે સમ્યગ્દર્શનને માને. ચારિત્રમાં પણ નયોના અભિપ્રાયમાં તફાવત આવવાનો. એક નય સાધ્યને જ સ્વીકારે, જ્યારે બીજો નય સાધ્ય સાથે સાધનને પણ સ્વીકારે. આ માત્ર દૃષ્ટિકોણનો તફાવત છે, વાસ્તવમાં વિસંવાદ નથી, એકબીજાના પૂરક છે. જેમ લોકવ્યવહારમાં ધન સાધ્ય છે તો ધનનું સાધન ધંધો પણ કરવા લાયક બને છે. જેને ધન જોઈએ તે ધનના સાધનને પણ ઉપાદેય માની અપનાવે છે. આવી જ આ વાત છે. અગિયારે અગિયાર ગુણસ્થાનક અને રત્નત્રયીનો વિકાસ સાથે જ ચાલે છે. ગુણસ્થાનકમાં મોક્ષમાર્ગની નિમિત્તકારણતાં નથી, પણ ઉપાદાનકારણતા છે. આ દુનિયામાં જે કારણ પોતે જ કાર્યરૂપે પલટાય તેને શાસ્ત્રમાં ઉપાદાનકારણ કહે છે. દા. ત. લાકડામાંથી ટેબલ બન્યું છે, પણ ૧. પુનર્ણવ્યવસ્થાપિ, યા પ્રિય શમસંયુતા/ વત્રા દર્શનમેન, ધર્મવલયાય સતાધ ! ... મધ્યાત્માભ્યાસાર્લેપ, क्रिया काप्येवमस्ति हि। शुभौघसंज्ञानुगतं, ज्ञानमप्यस्ति किञ्चन।।२८।। अतो ज्ञानक्रियारूपमध्यात्म व्यवतिष्ठते। एतत्प्रवर्द्धमानं स्यानिर्दम्भाचारशालिनाम्।।२९ ।। (અધ્યાત્મસાર, થિર-૨) ૨. "ધર્મ " નારં શ્વિ , પવૃચત્તે છિદ્યન્ત નતિ-નર-મારિયો તોષ મિન્નિત્યપર્વ: મોક્ષ:, તી, "પરમ્પ” अविरतसम्यग्दृष्टिगुणस्थानाधारोहणलक्षणेन सुदेवत्व-मनुष्यत्वादिस्वरूपेण वा "साधकः" सूत्रपिण्ड इव पटस्य स्वयं परिणामिकारणभावमुपगम्य निर्वर्त्तक इति।।२।। (ઘર્ષવિન્યુ, અધ્યાય-૨, સ્નોવ-૨, ટીવા) * किं च "शीलवानश्रुतवान् देशाराधकः इत्यत्र योग्यताबलादपि मार्गानुसारिबालतपस्व्येव गृहीतुं युज्यते नान्यः, तद्गतभावशून्यक्रियायाः समुदायादेशत्वादपुनर्बन्धकादिक्रियायामेव मोक्षसमुचितशक्तिसमर्थनाद्, अनुपचितशक्तिकोपादानकारणस्यैव देशत्वेन शास्त्रे व्यवहाराद्, अत एव मृद्रव्यमेव घटदेशो न तु तन्त्वादिर्दण्डादि। मोक्षोपादानत्वं च क्रियायां योगरूपायामुपयोगरूपायां वेत्यन्यदेतत्।।२०।। (ધર્મપરીક્ષા, સ્નો-૨૦ ટીવા) * भावोज्झितव्यवहाराद् भवाभिनन्दिनां द्रव्यव्रतधारिणां विधिसमग्रादपि न किमप्याराधकत्वं भवति, परं प्रति निश्चयप्रापकस्यापि तस्य स्वकार्याऽकारित्वाद। भावस्तु सर्वज्ञमते स्तोकोऽपि बोधिबीजं, विशेषधर्मविषयस्य स्तोकस्यापि भावस्य विशेषफलत्वाद्। (ધર્મપરીક્ષા, શ્નો-રૂ૨ ટી) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005531
Book TitleDharmtirth Part 02
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2008
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy