SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ શાસન કદી ટકે નહીં. કારણ કે ગીતાર્થની નિશ્રા વગર ક્યારેય ભાવસાધુપણું સંભવે નહીં અને ભાવસાધુના સર્વથા અભાવમાં શાસનનો ઉચ્છેદ છે. ચારિત્રધર મહાત્મા જૈનશાસનનું અવિનાભાવી ઘટક છે. ભૂતકાળમાં એવો સમય આવેલો છે કે “અમારા વડીલોમાં પંન્યાસ સત્યવિજયજી થયા તે વખતે સંવેગી સાધુઓમાં એક પણ આચાર્ય, ઉપાધ્યાય નહોતા, તોપણ શાસન રહ્યું છે'; કારણ કે ગીતાર્થ સાધુઓ તે વખતે વિદ્યમાન હતા. જોકે શાસનમાં ગચ્છાચાર્ય, કુલાચાર્ય, ગણાચાર્ય, સંઘાચાર્ય હોય તો બહુ સારી વાત છે. સંઘમાં જેટલા પણ ઉત્તમ પુરુષો વધારે હોય, અને યોગ્ય વ્યક્તિઓ યોગ્ય સ્થાને બિરાજમાન થાય તો તેટલી શાસનની જાહોજલાલી વધે; પરંતુ તે ન હોય તો શાસન ટકે નહીં તેવું નથી, જ્યારે ગીતાર્થ વિના તો શાસન crisisમાં (કટોકટીમાં) પણ ન ટકે તેવું સ્પષ્ટ વિધાન છે. હા, જેનામાં આચાર્ય બનવાની ક્ષમતા ન હોય છતાં શાસન ટકાવવાના નામથી એવાને બેસાડી દો તોપણ બહુ નુકસાન થાય. શાસ્ત્રમાં કહ્યું છે કે શાસનની ધુરા વહન કરવાની શક્તિ નથી તેવાને આચાર્યપદવી આપનારા શાસનનો ઉચ્છેદ કરે છે'. દુનિયામાં મોટામાં મોટું પાપ તીર્થનો ઉચ્છેદ કરવો તે છે. તેથી નાલાયકને તો ગમે તેવા ૧. યદુસ્તદેવાદगीयत्थो य विहारो बीओ गीयत्थमीसओ भणितो। एत्तो तइयविहारो णाणुण्णाओ जिणवरेहिं ।।२०।। व्याख्या-गीतार्था बहुश्रुताः साधवस्तेषां सत्को गीतार्थ एव एकः। चशब्दो भिन्नक्रमः। विहारो विहरणं। द्वितीयश्च गीतार्थमिश्राः संवलिता येऽगीतार्थास्ते गीतार्थमिश्रास्तेषां सत्को गीतार्थमिश्रः स एव गीतार्थमिश्रकः। विहार इति वर्तते। भणित उक्तः । जिनवरैरिति योगः। 'एत्तो त्ति' अतो विहारद्वयात्तृतीयः केवलागीतार्थविहारलक्षणो विहारो यतिवर्तनं। नानु-ज्ञातो नानुमतः। जिनवरैर्जिनेन्द्रैः। इति गाथार्थः ।।२०।। (પંચાર પ્રUિT, પંવાશ-૨૪, શ્નો-૨૦ મૂન-ટી) ગ્ન તથા[વ્યવહારમM- દેશ-૨૦થા-૩૮૪] " વિUT તિર્જ નિયહિં" "નતિ નિયંથ" "છાયસંગમો जाव ताव अणुसज्जणा दोण्हं।" (पंचाशक प्रकरण, पंचाशक-१७, श्लोक-५० टीका) - પાલિ વિણ જિમ પાણી ન રહે, જીવ વિના જિમ કાયા રે; ગીતારથ વિણ તિમ મુનિ ન રહે, જૂઠ કષ્ટની માયા રે. શ્રીજિન ! ૧૯ ... લોચન આલંબન જિનશાસન, ગીતારથ છે મેઢી રે; તે વિણ મુનિ ચઢતી સંયમની, આરોહ કિમ સેઢી રે? ૨. શ્રીજિન ! ૨૨ (સિદ્ધાંત-વિચાર રહસ્ય ગર્ભિત સાડા ત્રણસો ગાથાનું શ્રી સીમંધર જિન-સ્તવન ઢાળ-૫) ૨. ક્રમાદિત્યાદિइहरा उ मुसावाओ पवयणखिसा य होइ लोगम्मि। सेसाणवि गुणहाणी तित्थुच्छेओ अ भावेणं ।।९३३ ।। दारगाहा, 'इतरथा' अनीदृशानुयोगानुज्ञायां मषावादो गरोस्तमनजानतः, प्रवचनखिसा च भवति लोके, तथाभतप्ररूपकात, शेषाणामपि च गुणहानिः सन्नायकाभावात्, तीर्थोच्छेदश्च भावेन ततः सम्यग्ज्ञानाद्यप्रवृत्तेरिति द्वारगाथार्थः ।।९३३।। (પંચવસ્તુ, સ્નો-રૂરૂ મૂન-રા) * જે કુગુરુ હોએ ગચ્છનાથ, નવિ લીજે તેહનો સાથ; અજ્ઞાની જે ગચ્છાધારી, તે બોલ્યો અનંત સંસારી. ૫ (ઉપા. યશોવિજયજી કૃત કુગુરુની સઝાય ઢાલ-૭) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005531
Book TitleDharmtirth Part 02
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2008
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy