SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ હoo ધર્મતીર્થ સ્થાપના ઉદેશ અને વિધિ બાહ્યદુઃખ છે, પરંતુ આત્મિક દૃષ્ટિએ દુઃખી નથી. આત્મા આંતરિક સુખનો અનુભવ કરે છે. વળી, બહારનું દુઃખ ભૂતકાળમાં કર્મસત્તાના સકંજામાં ફસાવાથી ઊભું થયેલું છે, તોપણ અત્યારે વજતંદુલવતું ભાવપાક નથી, તેવું શાસ્ત્રમાં જ કહ્યું છે. સિદ્ધગિરિમાં સ્ફટિકના એવા પારદર્શક ચોખા મળે છે કે જેને સવારથી સાંજ સુધી રાંધો તોપણ જરાય રંધાય નહીં; કેમ કે તે અનાજના ચોખા નથી. તેમ નારકીમાં રહેલા સમ્યગ્દષ્ટિ જીવોને દુઃખમાં ગમે તેટલા રાંધો પણ અંદરથી આત્મા સંક્લેશ દ્વારા શેકાય નહીં. જો નરકમાં દુઃખમાં પણ આજ્ઞાયુક્ત જીવોની આવી આંતરિક શાંતિ હોય તો તિર્યંચગતિમાં તો ક્યાં પ્રશ્ન જ આવે છે ? અરે ! શાસ્ત્રમાં લખ્યું કે તિર્યંચો હાથી, સર્પ વગેરે ધર્મ પામ્યા પછી જયણા સાથે અન્ય જીવો પ્રત્યે ન્યાયી વર્તનપૂર્વકના શક્ય શ્રાવકાચાર પાળે, અંદરમાં સમાધિ આદિથી શ્રેષ્ઠ સુખને અનુભવે, અને ભૂતકાળના પોતાના જ અપરાધોના સ્વૈચ્છિક પ્રાયશ્ચિત્તરૂપે તપ-ત્યાગ કે અણસણ સુધીનું અનુષ્ઠાન પણ આચરે, એવા અનેક દૃષ્ટાંતો છે. તીર્થકરોએ આ જગતમાં એવું સરસ ધર્મશાસન પ્રવર્તાવ્યું છે કે તેની રહેમનજરમાં જે આવ્યો તેને તત્કાલ આંતરિક સુખ તો માણવા મળે જ, અને ગમે તેવા વિકટ સંયોગોમાં પણ કદાચ થોડું જૂના અપરાધોનું બાહ્યદુઃખ આવે, પરંતુ તેના આત્માની સલામતી-સુરક્ષા તો ન જ જોખમાય, ધર્મસત્તા તેનું રક્ષણ કરે જ જેમ રાજ્યતંત્રની ત્રણ શાખા હોય છે તેમ તીર્થકરોના ધર્મશાસનમાં પણ ત્રણ પાંખ છે. (1) Legislature, (2) Administration અને (3) Judiciary. આનું વિગતવાર વર્ણન આગળ સંચાલનના પ્રકરણમાં આવશે. અત્યારે ધર્મતીર્થની સ્થાપનાનો ઉદ્દેશ સ્પષ્ટ સમજી લો, કે જેનાથી તમારા મન પર એવો પ્રભાવ પડે કે જેથી તીર્થ કે તીર્થકર શબ્દ બોલતાં તમારું હૃદય અહોભાવથી ભરાઈ જાય. બીજાં ધર્મતીર્થો પણ લોકોત્તર ન્યાયનાં પુરસ્કર્તા છે. છતાં તેમના श्रेणिकाद्युदाहरणात्। "प्रतिपतितसद्दर्शनानामनन्तसंसारिणामनेकधादुर्गतियोग इति यत्किंचिदेतत्,' न, अभिप्रायाऽपरिज्ञानात्, क्षायिकसम्यग्दृष्टेरेव नैश्चयिकवेद्यसंवेद्यपदभाव इत्यभिप्रायाद्, व्यावहारिकं अपि तु एतदेव चारु, सत्येतस्मिन् प्रायो दुर्गतावपि मानसदुःखाभावात्, वज्रतन्दुलवदस्य भावपाकाऽयोगात्। अचारु पुनरेकान्तत एव अतोऽन्यदिति।।७१।। (યોગાદિસમુચ્ચય ોવઝ-૭૨ મૂન-ટીવા) * उक्तार्थपरिज्ञानार्थमेव सम्यग्दृष्टिसुखस्वरूपं निरूपयतिसाभाविअं खलु सुहं आयसभावस्स दंसणेऽपुव्वं । अणहीणमपडिवक्खं सम्मद्दिहिस्स पसमवओ।।६९।। स्वाभाविकं अविकृताभ्यन्तरपरिणतिप्रादुर्भूतम् खलु-निश्चये सुखं आत्मस्वभावस्य दर्शने-निखिलपरद्रव्य-व्यावृत्तस्वस्वरूपस्य विगलितवेद्यान्तरानुभवे, अपूर्वप्रागप्राप्तजातीयं, सदा शैवलपटलाच्छन्नह्रदजलचारिणो मीनस्य कदाचित्तद्विलये राकाशशांकदर्शनजनितसुखतुल्यम्। तद्धि तन्मात्रप्रतिबन्धविश्रान्तचित्ततयाऽत्युत्कटपरिणतिकत्वेनेतरसुखातिशायि, तथा अनधीनं-अपरायत्तं निरन्तरस्वपरिणतिधारापतितत्वादित्थमपीतरकारणस्पृहौत्सुक्याभावादितरसुखातिशायित्वमव्याहतम्। तथा अप्रतिपक्षं, दुःखोपनिपातेऽपि स्वभावभावनाबलेनान्तरव्याहतत्वात्, इत्थमप्यन्यातिशायित्वं स्पष्टमेव। कस्येत्याह-सम्यग्दृष्टेः प्रशमवतोऽनन्तानुबन्धिविलयप्रादुर्भूतप्रशमगुणभाजः । ।६९।। (પારદર્શી, શ્નો-૧૨, મૂત્ર-ટીવા) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005531
Book TitleDharmtirth Part 02
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2008
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy