SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ભાવતીર્થ-અનુષ્ઠાન શ્રાવકનાં બધાં અનુષ્ઠાનોમાં ઓછેવત્તે અંશે અવિરતિ તો જોડાયેલી જ છે. તેથી જ શ્રાવકને શાસ્ત્રમાં વિરતાવિરત કહ્યો છે. સંસારમાં અનેક રીતનાં પાપનાં connection (જોડાણ) ચાલુ જ છે. તમે માનો છો કે બીજા પાસે કરાવીએ તો આપણને પાપ ન લાગે. હકીકતમાં આગળપાછળની બધી વ્યવસ્થા ગોઠવીને સામાયિક-પૌષધમાં આવો છો. તમારી જાણકારીપૂર્વક, તમારા માટે જ પાપ થતું હોય, વળી તમે તેનો ભોગ-ઉપભોગ પણ કરો, છતાં પાપ ન લાગે, તેવું જૈનધર્મમાં નથી. બીજાના ખભા પર પાપ ચડે અને પોતે છૂટી જાય, તેવી અન્યાયી વ્યવસ્થા મંજૂર નથી. અહીં તો પાપ કરે, કરાવે કે અનુમતિ આપે, સીધી કે આડકતરી રીતે, મનથીવચનથી કે કાયાથી, તેને contribution પ્રમાણે પાપ લાગે, તેમ જૈનશાસન કહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005531
Book TitleDharmtirth Part 02
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2008
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy