SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪) ભાવતીર્થ-અનુષ્ઠાન મચ્છર કરડે ત્યારે શાંતિથી સહન કરો તો દયા, ઉદારતા, સહિષ્ણુતા, નિર્મમત્વ આદિ અનેક ગુણો કેળવાય છે. જૈનશાસનમાં ક્યારેય એવું કષ્ટ નહિ બતાવે કે જે વેઠો છતાં તમારા ગુણો ન વિકસે. સભા : લોચમાં કયા ગુણો પોષાય છે ? સાહેબજી : લોચમાં બ્રહ્મચર્ય ગુણ પોષાય છે. જેમ શરીરશાસ્ત્રની દૃષ્ટિએ શિર્ષાસનમાં blood circulation reverseમાં થાય છે, જેથી શરીરનું સત્ત્વ ઊર્ધ્વગામી બને છે; તેથી આયુર્વેદમાં પણ શિર્ષાસનને એક ઉત્તમ આસન તરીકે સ્વીકાર્યું છે. તેમ લોચમાં તેના કરતાં કઈ ગણું રક્તનું સંચરણ મસ્તિષ્ક તરફ ઊર્ધ્વગામી થાય છે. તેથી લોચ એ બ્રહ્મચર્યની પુષ્ટિનું ઉત્તમ કારણ છે. ઉપરાંત અહિંસાનો આચાર પાળવા પણ લોચ સાધન છે. અસ્ત્રા દ્વારા મસ્તક મુંડન કરવામાં વાળમાં રહેલા જીવજંતુ કપાઈ જાય, હજામ પણ આગળ-પાછળ હિંસાઓ કરે, જે બધાનો પરિહાર લોચમાં છે. જૈનશાસનની દરેક ક્રિયામાં ગુણનું પોષણ હોય જ છે. અહીં તરંગ-તુક્કાથી કોઈ ક્રિયા બતાવી નથી. તમામ ક્રિયાઓમાં શુભભાવપોષતા જોઈએ જ. અનુષ્ઠાનમાત્ર ગુણપોષક હોવું જોઈએ. તે ન હોય તો, માત્ર જૈનધર્મના અનુષ્ઠાનનો કે અન્યધર્મના અનુષ્ઠાનનો સિક્કો ન ચાલે. જે ક્રિયામાં ગુણવૃદ્ધિ, ગુણપોષકતા, ગુણની સુરક્ષાનો આચાર નથી, તે ક્રિયાને ધર્મ કહેવાય જ નહીં. ગમે તે અનુષ્ઠાનને તારક તીર્થ સ્વીકારવાનું નથી. અનુષ્ઠાનને અજોડ ભાવતીર્થ બતાવ્યું તે તેની તારકતાના આધારે છે. જેમાં તારકતા જીવંત છે તે જ ભાવતીર્થ છે. આવાં ગુણપોષક ધર્મઅનુષ્ઠાનોને જોતાં અહોભાવ-બહુમાન થવું જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005531
Book TitleDharmtirth Part 02
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2008
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy