________________
ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ
શ્રીસંઘની આજ્ઞા માથે ચડાવવાનાં અન્ય પણ દૃષ્ટાંતો :
શ્રીસંઘની ઉચિત આજ્ઞાને દશપૂર્વધર છેલ્લા શ્રુતકેવલી પૂ. વજસ્વામીએ પણ માન્ય કર્યાનો પ્રસંગ છે. એક વખત ઉત્તરાપથમાં વિચરતાં પૂ. વજસ્વામીજી મહાનગરમાં પધાર્યા. ત્યાં અતિશય કપરા ઉપરાઉપરી દુષ્કાળ પડવાથી શ્રીસંઘ અનેક રીતે આપત્તિમાં આવેલ છે. તે અવસરે આવા સમર્થ પુરુષને જાણીને શ્રીસંઘે વિનંતિ કરી કે આ વિકટ સંયોગોમાં શ્રીસંઘ નિરાકુલ ટકી શકે તેમ નથી, તો સમર્થ એવા આપનું કર્તવ્ય છે કે શ્રીસંઘને કોઈ પણ પ્રયત્નથી ટકાવવો. તેમણે પણ શ્રીસંઘની વિનંતિને માન્ય કરી, વિદ્યાબળથી દેવાધિષ્ઠિત પટ રચી, સમગ્ર શ્રીસંઘને દુષ્કાળગ્રસ્ત ઉત્તરાપથમાંથી સુકાળયુક્ત દક્ષિણાપથના પુરી નગરમાં લાવ્યા, અને ત્યાંના સ્થાનિક સંઘ સાથે તેનું નિયોજન કરી શ્રીસંઘને નિરાકુલ કર્યો. આમ, સંધરક્ષાનું ભક્તિરૂપે મહાન કાર્ય શ્રુતકેવલી પણ આદરપૂર્વક કરે.
નજીકના સમયમાં થયેલા જગદ્ગુરુ પૂ. હીરસૂરીશ્વરજી મહારાજાના જીવનનો પણ પ્રસંગ છે. તેઓ તપાગચ્છના એકછત્રી નાયક હોવા છતાં મહાતપસ્વી પ્રભાવક પુરુષ હતા. અનેક જવાબદારીઓ વચ્ચે પણ તેમણે જીવનમાં હજારો ઉપવાસ, આયંબિલ આદિની તપશ્ચર્યા કરી હતી. વળી જીવનમાં જયણા, સંયમ, આદિની જાળવણી પણ ખૂબ તેજ હતી. જીવનનાં છેલ્લાં વર્ષોમાં અતિ માંદગીના કારણે તેમને એમ લાગ્યું કે, હવે આ દેહ સાધના માટે બહુ ઉપયોગી નથી, અને જે આરાધનામાં સહાયક ન બને તેવા શ૨ી૨ને
૩૨૧
१ ततश्च सकलः संघो दुष्कालेन कदर्थितः । दीनो विज्ञपयामास सुनन्दानन्दनं मुनिम् ।।३१९ ।। अस्माद्दुःखार्णवादस्मान्कथंचि तारय। सङ्घप्रयोजने विद्योपयोगोऽपि न दुष्यति । । ३२० ।। ततश्च वज्रो भगवान्विद्याशक्त्या गरिष्ठया । पटं विचक्रे विपुलं चक्रभृच्चर्मरत्नवत् ।।३२१ । । श्रीवज्रस्वामिना सङ्घो निर्दिष्टः सकलस्तदा । पोते वणिक्सार्थ इवाधिरुरोह महापटे ।। ३२२ ।। वज्रर्षिणा भगवता विद्याशक्त्या प्रयुक्तया । उत्पुप्लुवे पटो व्योम्नि पवनोत्क्षिप्ततूलवत् । । ३२३ ।। तदा शय्यातरो दत्तनामा वज्रमहामुनेः। समाययौ सहचारिग्रहणार्थं गतोऽभवत् । । ३२४ ।। सङ्घेन सहितं वज्रस्वामिनं व्योमयायिनम् । निरीक्ष्य मूर्धजा शीघ्रमुत्खायैवमुवाच सः । । ३२५ । । शय्यातरोऽहं युष्माकमभवं भगवन्पुरा । अद्य साधर्मिकोऽप्यस्मि निस्तारयसि किं न माम्।।३२६।। शय्यातरस्य तां वाचं श्रुत्वोपालम्भगर्भिताम् । दृष्ट्वा च लूनकेशं तं वज्रः सूत्रार्थमस्मरत् । । ३२७ ।। ये साधर्मिकवात्सल्ये स्वाध्याये चरणेऽपि वा । तीर्थप्रभावनाथां चोद्युक्तास्तांस्तारयेन्मुनिः । । ३२८ ।। आगमार्थमिमं स्मृत्वा वज्रस्वामिमहर्षिणा। पटे तस्मिन्नध्यरोपि सोऽपि शय्यातरोत्तमः । । ३२९ । । विद्यापटोपविष्टास्ते यान्तः साद्रिसरित्पुराम् । सर्वे विलोकयामासुः करामलकवन्महीम् । । ३३० ।। भक्तिप्रह्वैः पूज्यमानो मार्गस्थव्यन्तरामरैः । व्योम्नि प्रदीयमानार्घो भक्तैर्ज्योतिषिकामरैः।।३३१ । । विद्याधरैर्वर्ण्यमानः शक्तिसम्पच्चमत्कृतैः । आलिङ्ग्यमानः सुहृदेवानुकूलेन वायुना । । ३३२ ।। पटच्छायादर्शिताभ्रच्छायासौख्यो महीस्पृशाम् । वन्दमानो नभःस्थोऽपि मार्गचैत्यान्यनेकशः ।। ३३३ ।। पटस्थोऽपि पटस्थेभ्यस्तन्वानो धर्मदेशनाम्। वज्रर्षिराससादाथ पुरीं नाम महापुरीम् ।।३३४ ।। (परिशिष्ट पर्व बारमो सर्ग)
२ कुल ९ गण १० सङ्घ ११ कार्येषु समुत्पन्नेषु वशीकरणादि चूर्णयोगादि वा करोति ११ ।
Jain Education International
(गुरुतत्त्वविनिश्चय द्वितीय उल्लास श्लोक २०-२१ टीका)
For Personal & Private Use Only
www.jalnelibrary.org