________________
૩૦૮
ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ શાસ્ત્રો કે ધર્માનુષ્ઠાનો સમ્યક્ત પામવામાં અવરોધક છે. આર્યદર્શનો સરળ મુમુક્ષુ જીવને કદાચ મોક્ષમાર્ગમાં ચડવામાં સહાયક બની શકે, પરંતુ સમકિત પામવામાં તો અવશ્ય અવરોધક બને છે.
સભા મોક્ષમાર્ગમાં ચડાવે છતાં સમકિત પમાડવામાં અવરોધક કેવી રીતે ?
સાહેબજી : કોઈ માણસ બે પગથિયાં સુધી સીડી ચડાવી શકે પણ આગળ ચડવા તેનો ટેકો કામ ન લાગે, ઊલટું તેને પકડી રાખવાથી તમે આગળ ચડી ન શકો તો તેને આગળ ચડવામાં અવરોધક પણ કહી શકાય. છતાં તેણે પૂર્વે જે ચડવામાં સહાય કરી તે તો અવશ્ય સ્વીકારવી પડે. જૈનદર્શન તટસ્થતાથી મૂલ્યાંકન કરે છે.
જિનશાસનનો શ્રાવક પણ અન્યદર્શનના સંન્યાસી કરતાં ચડિયાતો છે :
અન્યદર્શનમાં અધ્યાત્મનો ઉપદેશ હોવાથી અનુયાયીને મોક્ષમાર્ગમાં ચડાવવાની શક્તિ ખરી, પણ સમકિત વગેરે ગુણ પમાડવાની શક્તિ નથી. તે તાકાત જૈનશાસનમાં જ હોવાથી જૈનશાસનનો આજ્ઞાનુસારી સંઘ જગતમાં અધ્યાત્મની દૃષ્ટિએ ચડિયાતો છે. તેની તોલે આ જગતમાં અન્ય કોઈ ન આવે. 'કલિકાલસર્વજ્ઞ પૂ. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે સાફ શબ્દોમાં લખ્યું કે જિનશાસનનો શ્રાવક પણ અન્યદર્શનના સંન્યાસીઓ કરતાં આચાર-વિચાર બંનેથી ઊંચો છે. અહીં આપણા છે માટે ઊંચા અને પારકા છે માટે નીચા, એવું ધોરણ નથી બાંધ્યું, પણ ગુણથી સાબિત કર્યું છે કે શ્રાવકધર્મમાં જે ગુણો છે તે આજીવન બ્રહ્મચર્ય પાળનાર સંન્યાસીમાં પણ નથી. જયણા, પાપનો ત્યાગ, સદાચારનું સેવન, સૂક્ષ્મ વિવેક આદિથી તુલનાત્મક તટસ્થ મૂલ્યાંકન છે.
સભા : નિસર્ગથી અન્યધર્મમાં રહેલ વ્યક્તિમાં સમકિત હોય તો તે શ્રીસંઘમાં છે ?
સાહેબજી : નિશ્ચયથી ગણી શકાય, પરંતુ તેનો પરિચય-ઓળખ કરવાં મુશ્કેલ છે. બાકી તો ભાવથી સમકિત કે દેશવિરતિ પામ્યો હોય તેવો જંગલનો પશુ પણ શ્રીસંઘમાં આવી શકે. ચંડકૌશિક સર્પ ભાવથી સમકિત પામ્યો અને વ્રત સ્વીકાર્યા તો તે શ્રીસંઘમાં છે. ધર્માત્મા શ્રાવકને ખ્યાલ આવે તો તેની સાધર્મિક તરીકેની ભક્તિ પણ કરે. ટૂંકમાં સમજી જ લેવાનું કે સમકિત કે ભાવશ્રાવકપણું જેનામાં આવે તે બધા ચતુર્વિધ સંઘમાં અવશ્ય ગણી શકાય. અરે ! મનુષ્યો કરતાં પશુઓમાં ભાવશ્રાવકની સંખ્યા વધારે છે.
૨ મુક્તિગામી જીવોમાં પણ માર્ગભેદ સંભવિત, પરંતુ શ્રીસંઘમાં માર્ગભેદ અસંભવિત :
સંઘ એટલે ગુણોનો સંઘાત, મોક્ષે જનાર એક જ પથના પદયાત્રિકોનો સમૂહ, જેનું ધ્યેય એક જ છે.
१ यामन्यतीथिका यान्ति गति तीव्रतपोजुषः। उपासका: सोमिलवत् तां विराद्धव्रता अपि।।३७ ।। मासे मासे हि ये बाला: कुशाग्रेणैव भुञ्जते। सन्तुष्टोपासकानां ते कलां नार्हन्ति षोडशीम्।।३८ ।। अप्यद्भुततपोनिष्ठस्तामलि: पूरणोऽपि वा। सुश्रावकोचितगतेरतिहीनां गतिं ययौ ।।३९।।
(योगशास्त्र प्रकाश २ श्लोक ११५ टीका) २ भावे भावविषयं श्रुतविहितं श्रुतप्रतिपादितं सङ्घस्तीर्थम्, तथा च भगवत्यामुक्तम्, “तित्थं भंते! तित्थं तित्थयरे तित्थं? ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org