________________
શું
ધર્મતીર્થનો મહિમા
LabజజజజజCES
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । અમર્યાવિમાdi, wાસ0 ળિOTIOાં મળ0Iof Ill
(પ્રતિત પ્ર9ર00 બ્લોઝ-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
તીર્થકરોનું સર્વોત્કૃષ્ટ કર્તવ્ય ધર્મતીર્થનું પ્રવર્તન :
આ જગતમાં સર્વને માટે વંદનીય, સર્વને માટે પૂજનીય અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મહામંગલકારી કોઈ તત્ત્વ હોય તો તે તીર્થંકરોએ સ્થાપેલ આ ધર્મતીર્થ જ છે. ધર્મતીર્થની સ્થાપના દ્વારા જ તીર્થકરો તીર્થકર કહેવાય છે.
તીર્થકરોના જીવનમાં જન્મથી જ કર્તવ્યપરાયણતા હોય છે. તીર્થકરોએ પોતાના સમગ્ર જીવનમાં અનેક ભૌતિક અને આધ્યાત્મિક ઉત્તમ કર્તવ્યો અદા કર્યા છે. ભગવાન ઋષભદેવ જન્મ્યા પછી તેમના જીવનમાં એવો કોઈ પ્રસંગ નહીં હોય કે જેમાં તેમણે યોગ્ય કર્તવ્ય અદા ન કર્યું હોય. આમ છતાં, તેમના જીવનનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કર્તવ્ય કોઈ હોય તો તે ધર્મતીર્થનું પ્રવર્તન જ છે. તીર્થકરોના જીવનનું મહાન સત્કાર્ય અને ઊંચામાં ઊંચો પરોપકાર તેમણે જગતમાં પ્રવર્તાવેલું ધર્મતીર્થ જ છે. १ यद्भगवद्भिः सर्वज्ञैः सर्वदर्शिभिः परमर्षिभिरर्हद्भिस्तत्स्वाभाव्यात् परमशुभस्य च प्रवचनप्रतिष्ठापनफलस्य तीर्थंकरनामकर्मणोऽनुभावादुक्तं भगवच्छिष्यैरतिशयवद्भिरुत्तमातिशयवाग्बुद्धिसम्पन्नैर्गणधरैर्दृब्धं तदङ्गप्रविष्टम् ।
(તસ્વાર્થમાણ ૨-૨૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org