________________
આમુખ
આમુખ |
I શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમ: II. |ી માત્મ-મ-કાન-પ્રેમ-રામચંદ્ર-મોતિસંખ્ય
નમઃ |
ગીતાર્થગંગાનું તેમજ અનેક જ્ઞાનપિપાસુ અને જિજ્ઞાસુ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓનું દીર્ઘકાલીન સ્વપ્ન આજે સાકાર થઈ રહ્યું છે. ઈ. સ. ૧૯૯૨માં જે સદ્ભાવનાઓથી સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી તે ભાવનાબીજને આજે ચતુર્વિધ શ્રીસંઘના સહયોગથી અંકુરા ફૂટ્યા છે.
બીજબુદ્ધિના ધારક ગણધર રચિત આગમો તથા ગીતાર્થશિરોમણિ પૂર્વાચાર્યો, ચૌદ પૂર્વધર શ્રુતકેવલી પૂજ્ય શ્રીભદ્રબાહુસ્વામીજી મહારાજા, પૂજ્ય શ્રી ધર્મદાસગણિ મહારાજા, દશપૂર્વધર પૂજ્ય શ્રીઉમાસ્વાતિવાચક મહારાજા, શ્રુતકેવલી તાર્કિકશિરોમણી પૂજ્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજા, સૂરિપુરંદર પૂજ્ય શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, અધ્યાત્મયોગી પૂજ્ય શ્રીસિદ્ધર્ષિગણિ મહારાજા, નવાંગી ટીકાકાર પૂજ્ય શ્રીઅભયદેવસૂરીશ્વરજી મહારાજા, કલિકાલસર્વજ્ઞ પૂજ્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, ન્યાયવિશારદ સ્વાધ્યાયનિપુણમતિ લઘુહરિભદ્ર પૂજ્ય મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજા આદિ મહાપુરુષોનાં રચેલા તથા ચારે ફિરકાનાં મળીને વર્તમાનમાં ઉપલબ્ધ આશરે ૧૦૦૦ પ્રાચીન ગ્રંથરત્નોના ગર્ભમાં મોતીની જેમ વિખરાયેલાં એવાં આત્મહિતકારી અનેકવિધ પદાર્થો જેવા કે ધર્મતીર્થ, પર્ષદા, દેશના, દ્વાદશાંગી, સામાયિક, વેશ્યા, ધ્યાન, યોગ, ગુણસ્થાનક આદિ વિધવિધ વિષયોના રહસ્યમય તત્ત્વના નિચોડનું એક સ્થાને નય-નિક્ષેપ-પ્રમાણ-ઉત્સર્ગ-અપવાદના સમન્વયપૂર્વક સમ્યકુ સંકલન લોકભોગ્ય શૈલીમાં કરવું તેવા શુભ હેતુને લક્ષમાં રાખીને “ગીતાર્થગંગા' સંસ્થાએ ભગીરથ કાર્યનો પ્રારંભ કર્યો. પસાર થયેલા દસ વર્ષમાં અથાગ પ્રયત્નો અને ચતુર્વિધ શ્રી સંઘની શુભેચ્છાઓ પૂર્વકનાં સહયોગથી અત્યારે સહસ્ત્રાધિક શાસ્ત્રપાઠોના અવતરણ સાથે મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા સૌ પ્રથમ “ધર્મતીર્થ' વિષયને પ્રકાશિત કરવા સાહિત્ય તૈયાર થઈ ગયું છે અને તેની સંલગ્ન સંસ્થા “ગંગોત્રી ગ્રંથમાળાને પુસ્તક તૈયાર કરી શ્રીસંઘનાં કરકમળમાં મુકવા પ્રેરણા આપી. “ગંગોત્રી' એટલે દ્વાદશાંગી અને તે ઉપર ઉપકારબુદ્ધિએ પૂર્વાચાર્યોએ રચેલી નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા સ્વરૂપ પંચાંગી વગેરે, જેનું તત્ત્વ અપ્રતિમ છે. આવી અનુપમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org