________________
88 જેને સનાતન વીતરાગ દર્શન @
નિવૃત્ત થતો જાય છે; અને જેમ જેમ આસ્ત્રવોથી નિવૃત્ત થતો જાય છે તેમ તેમ વિજ્ઞાનધન સ્વભાવ થતો જાય છે. આત્મા વિજ્ઞાનધન સ્વભાવ થતો જાય છે.
એટલે જ્ઞાનમાં સ્થિર થતો જાય છે – બે ઘડીમાં આત્માનો અનુભવ થાય છે. (૨) સમયસાર ગાથા ૧૮૬ :
જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મા જ મેળવે;
અણશુદ્ધ જાણે આત્માને અણશુદ્ધ આત્મા જ લડે.” જે સદાય અચ્છિન્ન ધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમયભાવ જ થાય છે. માટે શુદ્ધઆત્માની ઉપલબ્ધિથી
જ (અનુભવથી જ) સંવર થાય છે. (૩) શ્લોકાર્ધ ૧૨૭ : જો કોઈપણ રીતે (તીવ્ર પુરુષાર્થ કરીને) ઘારાવાહી જ્ઞાનથી
શુદ્ધ આત્માને નિશ્ચયપણે અનુભવ્યા કરે તો આ આત્મા, જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે (અર્થાત્ જેની આત્મસ્થિરતા વધતી જાય છે) એવા આત્માને પર પરિણતિના નિરોધથી શુદ્ધ જ પ્રાપ્ત થાય છે. ધારાવાહી જ્ઞાન એટલે
પ્રવાહરૂપ જ્ઞાન - અતૂટકજ્ઞાન. (૪) સમયસાર ગાથા ૨૯૭ : આ આત્માને પ્રજ્ઞા વડે કઈ રીતે ગ્રહણ કરવો?
પ્રજ્ઞાથી ગ્રહદ્દો – નિશ્ચયે જે ચેતનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ
થકી પર - જાણવું.' ગાથાર્થ પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે જે ચેતનારો છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે
ભાવો છે તે મારાથી પર છે એમ જાણવું. આ રીતે પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવો. અર્થાત્ પોતાને ચેતનાર તરીકે અનુભવવો.
આમ શુદ્ધનયથી અભેદરૂપે આત્માને ગ્રહણ કરવો. (૫) પરમાર્થ મોક્ષકારણ (નિશ્ચય સમ્યગ્દર્શનની વ્યાખ્યા)
જીવાદિનું શ્રદ્ધાન સમકિત, જ્ઞાન તેમનું જ્ઞાન છે, રાગાદિ વર્જન ચરણ છે, ને આ જ મુક્તિ પંથ છે.”
(સમયસાર ગાથા ૧૫૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org