________________
1998 જૈન સનાતન વીતરાગ દર્શન (૧૬) ચૈતન્યની નિર્વિકલ્પ અનુભૂતિ તે જ સમ્યગ્દર્શનઃ
પહેલાં સ્વરૂપસન્મુખ થઈને નિર્વિકલ્પ અનુભૂતિ થાય-આનંદનું વેદના થાય ત્યારે જ યથાર્થ સમ્યગ્દર્શન થયું કહેવાય. તે સિવાય યથાર્થ પ્રતીતિ કહેવાય નહિ. અનુભૂતિ પહેલાં તત્ત્વવિચાર કરીને દઢ નિર્ણય કરે; એકલા વિકલ્પથી જ તત્ત્વવિચાર કર્યા કરે તો, તે જીવ પણ સમ્યકત્ત્વ પામતો નથી. અંતરમાં ચૈતન્ય
સ્વભાવનો મહિમા કરીને તેની નિર્વિકલ્પ અનુભૂતિ કરવી તે જ સમ્યગ્દર્શન છે. (૧૭) પાંચ લબ્ધિઓનું સ્વરૂપ : સમ્યકત્વ થયાં પહેલાં પાંચ લબ્ધિ થવી કહી છે.
સમ્યક્ત્વ થતાં પ્રથમ શુદ્ધોપયોગ-નિર્વિકલ્પ ધ્યાન હોય છે. અતીન્દ્રિય આનંદનું વેદન થાય છે. બુદ્ધિપૂર્વકના વિકલ્પ છૂટી જાય છે. હવે આ પ્રમાણે આગમ જ્ઞાનથી તેમજ ગુરુ પાસેથી અભ્યાસ કરી જીવ પ્રથમ ત્રણ લબ્ધિ સુધી આવી ગયો છે. (૧) ક્ષયોપશમ લબ્ધિ (૨) વિશુદ્ધિ લબ્ધિ (૩) દેશના લબ્ધિ. હવે ચોથી (૪) પ્રાયોગ્ય લબ્ધિ-એ પ્રેક્ટીકલ વસ્તુ છે એ કેમ છે તે વિચારીએ. વિકલ્પપૂર્વક ભેદજ્ઞાન અને નિર્ણય સુધી તો જીવ પહોંચી ગયો. “હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું ત્યાંથી નિર્વિકલ્પ અનુભૂતિ કેમ થાય તેના સંસ્કાર કેમ પડે એ બહુ જ અગત્યની વાત છે અને છેલ્લે પાંચમી કરણલબ્ધિ થતાં સમ્યક્ત્ત્વ અવશ્ય થાય જ એવો નિયમ છે; પણ તે તો પૂર્વે કહેલી ચાર લબ્ધિઓ થઈ હોય અને અંતર્મુહૂર્ત પછી જેને સમ્યકત્ત્વ થવાનું હોય તે જ જીવને કરણલબ્ધિ થાય છે. એ કરણલબ્ધિવાળા જીવને બુદ્ધિપૂર્વક તો એટલો જ ઉધમ હોય છે તત્ત્વવિચારમાં ઉપયોગને તદ્રુપ થઈને લગાવે અને તેથી સમયે સમયે તેના પરિણામ નિર્મળ થતા જાય છે અને એ રીતે
જ્યારે વર્તમાન જ્ઞાનની પર્યાય એક સમય માટે પૂર્ણ શુદ્ધ થઈ જાય છે – જેવો દ્રવ્યસ્વભાવ શુદ્ધ છે તેવી થઈ જાય છે એ જ્ઞાનની સ્વભાવસમ્મુખ થયેલી પર્યાયમાં રાગથી ભિન્ન ભગવાન આત્મા જણાય છે. આ છે અનુભૂતિ આ જ
સમ્યગ્દર્શન અને ધર્મ છે. મોક્ષમાર્ગની પહેલી સીડી. (૧૮) સમ્યગ્દર્શન પ્રગટ કરવાની સૂમવિધિ બસ! બે ઘડી...
સમયસાર કલશ ૨૩માં આચાર્ય આ પ્રમાણે વિધિ બતાવે છે. શ્લોકાર્થ: હે ભાઈ ! તું કોઈપણ રીતે મહાકષ્ટ અથવા મરીને પણ તત્ત્વોનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org