SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) ‘ઉપયોગની કોઈ અસાધારણ નિર્મળતા છે' એ અસાધારણ નિર્મળતા તે જ્ઞાનનું સ્વચ્છત્ત્વ છે જે સ્વચ્છવમાં સ્વ અને પર અર્થાત સમસ્ત પ્રકારના શેયો સદાકાળ સ્વયં ઝળક્યા કરે છે – સદાકાળ પ્રતિભાસ પામ્યા કરે છે..સદાકાળ પ્રતિબિંબિત થયા કરે છે. સ્વચ્છત્ત્વના ઉપયોગનું પરિણમન તે પ્રતિભાસ, એ જ સમયે જ્ઞાનની પર્યાયનું પરિણમન છે તો જ્ઞાનાકાર રચાય છે. એ જ્ઞાનાકાર જોયો જેવા જ છે. ત્યાં કાળભેદ નથી. જ્ઞાનની પર્યાયમાં જાણવું થઈ રહ્યું છે. (૧૨) જ્ઞાન પાસે ત્રણ પ્રકારની વ્યવસ્થા છે. (૧) જ્ઞાનનું સ્વચ્છવ (૨) જ્ઞાનનું પરિણમન (૩) જ્ઞાનની વિશેષતા તે જાણવું. (૧) સ્વચ્છત્ત્વનો અર્થ લોકાલોકનો પ્રતિભાસ થવો અર્થાત્ અંદર જોયાકારો સ્વયં રચાવા એ સ્વચ્છત્ત્વ શક્તિનું વ્યક્તરૂપ છે. જ્ઞાનમાં પણ જ્ઞાનનું સ્વચ્છત્ત્વ હોવાથી આ ક્રિયા નિરંતર થયા કરે છે. સ્વચ્છત્ત્વશક્તિ તો નિગોદથી માંડી સિધ્ધ સુધી પડી છે. આહા! અજ્ઞાનીનું જ્ઞાન પણ સ્વ-પર પ્રકાશક છે; માટે પ્રકાશનનો અર્થ પ્રતિભાસ થાય છે, જ્ઞાન નહીં. કેમ કે અજ્ઞાનીનું જ્ઞાન ઈન્દ્રિયોના અને મનના સંગે વર્તતું જ્ઞાન છે એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને જાણી શકતું નથી. જાણવું એ વેદનપૂર્વક હોય છે. * (૨) જ્ઞાનનું પરિણમન સમયે સમયે ઉત્પાદ પામતી શાયની પર્યાયની પરિણમવાની યોગ્યતા અથત જ્ઞાનકારો રચાઈ જવાની યોગ્યતા. જ્ઞાનનું પરિણમવું એટલે જ્ઞાનકાર રચાવા એટલે કે જાણવું. જેવા સામે જોય હોય છે તેવા જ તેના જેવા જ આકાર અહીં જ્ઞાનમાં જ્ઞાનાકારે સ્વયં પોતાથી પોતામાં પોતે વડે રચાય છે એ જ્ઞાનની પર્યાયની તે સમયની એવી જ યોગ્યતા છે એ એનો સ્વકાળ છે. શેયનું એમાં કાંઈ નથી. એમાં પરની કોઈ અપેક્ષા નથી. " “પરને હું જાણું છું' એ અધ્યવસાનરૂપે જ્ઞાન વર્તી રહ્યું છે એ મિથ્યા માન્યતા છે એ રાગ-દ્વેષની ઉત્પત્તિનું સ્થાન છે, ‘પરને હું જાણું છું. આ બુદ્ધિ જ્યાં સુધી હશે તે પર સાથે એકત્ત્વ કર્યા વગર રહેશે નહીં, આ એકત્ત્વમાંથી મમત્વ, સ્વામીત્વ, ભોકતૃત્વ, કર્તૃત્વ, જ્ઞાતૃત્વ વગેરે અનિષ્ટો ઊભા થાય છે. ઉપર મને જણાય છે અર્થાત પરને શેય માનવાથી આ આખો ઘોર દુઃખમય સંસાર ઉભો થાય છે. ઉપયોગ દોષીત નથી પણ જાણવાની ક્રિયાઓમાં જે મિથ્યા માન્યતા છે એ દોષ ઊભા કરે છે. એ મિથ્યાત્વ મહા પાપ છે. Jan Education international for Pets44 vate use omiya www.jainemorary.org
SR No.005527
Book TitleSamyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy