SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ - ૭૧ ૭. આ પ્રમાણે એનિર્વિવાદ સિદ્ધ થાય છે કે જે પ્રકારે મિશ્રિત સુવર્ણમાં શુદ્ધ સુવર્ણ ઓળખવા માટે શુદ્ધ સુવર્ણ નું જ્ઞાન કાર્યકારી સિદ્ધ થાય છે તેવી જ રીતે મિશ્રિત દશાને પ્રાપ્ત અર્થાત નવ તત્ત્વોમાં છુપાયેલા આપણા આત્માના યથાર્થ સ્વરૂપને સમજવા માટે આપણે પણ શુદ્ધ સુવર્ણની સમાન ભગવાન અરિહંતના આત્માનેદ્રવ્ય, ગુણોના માધ્યમથી સમજવો પડશે. ત્યારે પોતાના અશુદ્ધ આત્મામાં પણ આપણે દ્રવ્ય ગુણોની ઓળખાણના માધ્યમથી, આપણા આત્માસ્વરૂપને ઓળખી શકીશું. - ભગવાન અરિહંતના આત્માને સમજવાની વિધિ ૧. ભગવાન અરિહંતના આત્મામાં જેટલા પણ જેવા જેવા ગુણ છે તેવા જગતના પ્રત્યેક આત્મામાં એવા ને એવા જ અને એટલાને એટલા જ ગુણ, તે જ્યાં પણ હોય ત્યાં તે પ્રતિ સમય વિદ્યમાન જ છે. ૨. જેવી રીતે સુવર્ણ ક્યાં પણ કોઈપણ દશામાં હોય સુવર્ણમાં ગુણતો જેવાને તેવા જ અને તેટલાને તેટલા જ પ્રત્યેક સમયે તેમાં હોય જ છે. એ કારણથી બધી જ દશાઓમાં શુદ્ધ સુવર્ણ ઓળખી લેવામાં આવે છે. ૩. આ જ પ્રકારે પ્રત્યેક આત્મામાં અરિહંત જેવા ગુણોની વિદ્યમાનતાથી એક જેવી રહેવાથી આત્માકોઈપણ દશામાં હોય તો પણ એમાં શુદ્ધ આત્મસ્વરૂપ ને ઓળખી શકાય છે. ૪. ઉપરોક્ત કથનનું કેન્દ્ર બિંદુ ભગવાન અરિહંતના આત્માને એના ગુણોની વ્યક્તતાના માધ્યમથી ઓળખી શકાય છે. ૫. ભગવાન અરિહંતના આત્મામાં પ્રત્યેક આત્માની જેમ અનંત ગુણ છે પરંતુ પ્રયોજનભૂત મોક્ષમાર્ગમાં પ્રયોજનભૂત જ્ઞાન, દર્શન, (શ્રદ્ધા) ચારિત્ર અને સુખ આ ચાર ગુણોની મુખ્યતાથી જ આત્મસ્વરૂપને સમજવું છે. ૬. ભગવાન અરિહંતનું જ્ઞાન પોતાના જ આત્માને સ્વમાની લેવાને કારણે સ્વને જાણવામાં તત્પર હોવારૂપ તન્મય થઈને પ્રવર્તે છે તથા પર શેયોમાં કોઈના પણ સાથે કાંઈપણ સંબંધ નહિ હોવાથી એમના પ્રત્યે અતત્પર બની રહી તન્મયતા વિના એમને જાણતો રહે છે. પરંતુ જ્ઞાન પૂર્ણતાને પ્રાપ્ત હોવાથી એક સાથે બધું જ જ્ઞાનમાં પ્રત્યક્ષ થઈ જાય છે. સર્વજ્ઞ થઈ જવાથી કાંઈ પણ જાણવાનું બાકી નથી. તે સંબંધી ઈચ્છાઓના અભાવથી આકુળતાનો અવકાશ જ રહેતો નથી. એટલે પૂર્ણ સુખી છે. એ પર દ્રવ્યો પ્રત્યે કોઈ પણ રાગ-દ્વેષની ઉત્પત્તિ થતી નથી અને એ પૂર્ણ તૃપ્તતૃપ્ત જ રહે છે. એવો જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy