SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ શ્રી નમસ્કાર મંત્રનું સ્વરૂપ णमो अरहंताणं णमो सिद्धाणं णमो आयरियाणं णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं નમસ્કાર મંત્ર અનાદિથી છે અને તે સર્વોત્કૃષ્ટ મહામંત્ર છે. શ્રી અરિહંત શ્રી સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુજીનું સ્વરૂપ શું છે તેનું યથાર્થ જ્ઞાન કરીને ભાવપૂર્વક તેમનું સ્મરણ કરી નમસ્કાર કરવા તે જ યોગ્ય છે. માત્ર વચનથી નમોકાર મંત્ર બોલવાથી તથા વંદના કરીને નમસ્કાર કરવા તે વાસ્તવિક નમસ્કાર નથી. પાંચ પરમેષ્ઠિનું સ્વરૂપ સમજી તેમના ગુણોનો મહિમા આવવાથી–પોતાના શુદ્ધાત્માનો મહિમા આવે છે અને પોતાની પર્યાયમાં તેમના જેવા ગુણો પ્રગટ થાય એ મહત્વનું છે. જે જાણતો હતને ગુણ દ્રવ્યને પર્યય પણ, તેજીવ જાણે આત્મને, તસુમોહ પામે લય ખરે, - પ્રવચન સાર ગાથા૮૦ નમોકાર મહામંત્રની મહિમાનું સર્વને જ્ઞાન હોવું જોઈએ. આ મહામંત્ર સમ્યજ્ઞાનની પ્રાપ્તિમાં નિમિત્તભૂત છે અને મોહ-રાગ-દ્વેષનો અભાવ કરે છે તથા વિષય કષાયોથી બચાવે છે. આ મંત્રના જાપ કરવાથી વિષય ભોગની ભાવના રહેતી નથી. માટે ઉત્તમ છે. % શબ્દમાં પંચપરમેષ્ઠિ નો સમાવેશ છે. તેનું જ્ઞાન કરવું. આ મંત્રનો પ્રયોગ માંગલિક પ્રસંગે થાય છે. આ પ્રકારે નમોકારમંત્રનો ઘણો જ મહિમા છે. જેમકે નમસ્કાર મંત્રને ભાવ સહિત સ્મરણ કરતાં અંજન ચોરમાંથી અંજનકેવળીભગવાન થયા. તે ક્યા જગતમાં પ્રસિદ્ધ છે. પુરાણોમાં આવા ઘણા દ્રષ્ટાંતો આવે છે. - હવે આપણે પંચ પરમેષ્ઠિના સ્વરૂપને વિચારીએ. નમો લોએ સવ્ય ત્રિકાળવતી અરિહંતાણંદ જે ગૃહસ્થપણું છોડી, મુનિધર્મ અંગીકાર કરી, નિજ સ્વભાવના સાધન વડે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy