SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ જ કરે છે. છતાં પણ કોઈ પણ વસ્તુ બીજી કોઈપણ વસ્તુમાં હસ્તક્ષેપ નથી કરતી આ જ વિશ્વની વ્યવસ્થતા છે. આ વાતને આચાર્ય અમૃતચઢે સમયસાર ગાથા ૩ ની ટીકામાં નીચે પ્રમાણે સ્પષ્ટ કર્યું છે. - ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુગલ, જીવ દ્રવ્ય સ્વરૂપ લોકમાં સર્વત્ર જે કાંઈ જેટલા પદાર્થો છે એ બધા નિશ્ચયથી એકજ્વનિશ્ચયને પ્રાપ્ત હોવાથી સુંદરતા પામે છે, કારણ કે નહિ તો અન્ય પ્રકારના શંકર વ્યતિકર આદિ બધા દોષ આવી જશે. આ બધા જ દ્રવ્યો પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેવાવાળા અનંત ધર્મોના સમુહને ચુંબન કરે છે, સ્પર્શ કરે છે તથાપિતેઓ એક બીજાને સ્પર્શ નથી કરતા. અત્યંત નિકટ એક ક્ષેત્રાવગાહરૂપી તિષ્ઠ રહેવા છતાં પણ પોતાના સ્વભાવ (સ્વરૂપથી) સદાકાળ ગ્યુતનથી થતાપરરૂપ પરિણમનન કરવાથી પોતાની અનંત વ્યક્તિ (પ્રગટતા) નષ્ટ નથી થતી એટલે જે ઢોર્ણ ભાંતી (શાશ્વત) સ્થિર રહે છે અને સમસ્ત વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્ય બની હેતુતાથી (નિમિત્તભાવથી) તેઓ હંમેશા વિશ્વનો ઉપકાર કરે છે, વિશ્વને ટકાવી રાખે છે. આના ઉપરથી એ નિષ્કર્ષ નીકળે છે વિશ્વની પ્રત્યેક વસ્તુ અથવા દ્રવ્ય પ્રત્યેક સમયે સમયે સ્વતંત્રતાથી પોત-પોતાના ગુણ પર્યાયોમાં પરિણમન કરતા જ રહે છે. પરના ગુણપર્યાયોમાં પરિણમન કરવાનું અશક્ય હોવાથી કોઈપણ દ્રવ્ય પરના પરિણમનમાં કાંઈ કરતું નથી અને કંઈકરવાની અપેક્ષા પણ રાખતું નથી. છતાં પણ બધાના પરિણમન એક સાથે હોવાથી એના પરિણમનમાં કોઈ અન્યદ્રવ્યનું કોઈ પણ પરિણમન સહજ રૂપે, કોઈપણ બીજા પ્રયાસ વગર અનુકૂળ અથવા પ્રતિકુળદેખાવા લાગે જ્યારે એ અનુકૂળ અથવા પ્રતિકૂળ દેખાતા દ્રવ્યના પરિણમનને ખબર પણ નથી કે મારું પરિણમન કોઈને અનુકૂળ પ્રતિકૂળ થઈ રહ્યું છે. પણ ખરેખર એમ નથી. ખરેખર સમસ્ત દ્રવ્યોના પરિણમન અર્થાત પર્યાયો કોઈના પણ માટે અનુકૂળતા અથવા પ્રતિકુળતા ઉત્પન્નર્યા વગર પોતપોતાનાક્રમ અનુસાર અનાદિ-અનંતકાળ સુધી નિબંધ (ગતિ) પણે પરિણમન કરતી જ છે. આ આંગમસમ્મત વિશ્વની વ્યવસ્થા છે. ઉપરોકત છ દ્રવ્યમાં પાંચ દ્રવ્યો તો અચેતન છે, તેમા જ્ઞાનનો અંશ પણ નથી, એ તો જાણતા પણ નથી બીજાનું શું થઈ રહ્યું છે. પોતાનું શું થઈ રહ્યું છે તો પછી બીજાને અનુકૂળ પ્રતિકૂળ કેવી રીતે બની શકે?તેથી આ કરવા માટે તેઓ અસમર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy