SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ • પોતાનું સુખ પોતાનામાં જ છે, પરમાં નથી. પરમેશ્વરમાં પણ નથી. તેથી સુખાર્થી જીવે પરમેશ્વર પ્રતિકોઈ આશા-આકાંક્ષા વડે જોવુંનિરર્થક છે. તો પણ અરિહંતાદિકનું યથાર્થ સ્વરૂપ જાણી એની શ્રદ્ધા કરવી આવશ્યક છે. મોક્ષાર્થી જીવે પરથી ભિન્ન પોતાને ઓળખવો જોઈએ, તેની શ્રદ્ધા કરવી જોઈએ અને પોતામાં જામી જવું જોઈએ, રમી જવું જોઈએ. આજ સમ્યજ્ઞાન, સમ્યગ્દરન, સમ્યગચારિત્રની એકતારૂપરત્નત્રયી મોક્ષમાર્ગ છે. ધર્મ પરિભાષા નથી, પ્રયોગ છે. તેથી આત્માથીએ ધર્મજીવનમાં ઉતારો જોઈએ, ધર્મમય થવું જોઈએ. અહિંસા પરમો ધર્મ છે. તે માત્ર વીતરાગભાવરૂપ છે. આત્મામાં મોહરાગ-દ્વેષ ભાવોની ઉત્પત્તિ એ જ હિંસા છે અને આ ભાવોનો અભાવ અહિંસા છે. શુદ્ધોપયોગ જ ઉપાદેય છે અને શુભોપયોગ (પુણ્યની પ્રકૃત્તિ), અશુભયોગ (પાપની પ્રકૃત્તિ)ની જેમ હોય છે. પુણ્યથી ધર્મનથાય, આત્માનું હિત ન થાય. ગચ્છમતની જે કલ્પના છે એ સદ્વ્યવહાર નથી. એ તો વીતરાગ ધર્મની વિરુદ્ધ રાગ-દ્વેષના પરિણામ ઉત્પન્ન કરે છે. ધર્મ પામવા તેનાથી પર થવું પડશે. સંપૂર્ણ અનુયોગનો હેતુ વીતરાગતા છે. તેથી બધા અનુયોગોનો અભ્યાસ કરવો આવશ્યક છે. ખરેખર આ સર્વ પદાર્થોના દ્રવ્ય, ગુણ, પર્યાય સ્વભાવની પ્રકાશક પારમેશ્વરી (પરમેશ્વરે કહેલી) વ્યવસ્થા ભલી ઉત્તમ પૂર્ણ યોગ્ય છે, બીજી કોઈ નહિ. કારણકે ઘણાંય જીવો પર્યાય માત્રને જ અવલંબીને તત્ત્વની અપ્રતિ જેનું લક્ષણ છે એવા મોહને પામતા થકાપરસમયથાય A , , , કર્મ ઘટામાં મારો સ્વરૂપ સૂર્ય છુપાઈ રહ્યો છે. મારા સ્વરૂપ સૂર્યનો પ્રકાશ કર્મ ઘટાથી જરા પણ હણાયો નથી, માત્ર આવરણ પામ્યો છે. ગમે તેટલું એ કર્મ ઘટાનું જોર વધી જાય તો પણ તે મારા સ્વરૂપને હણી શકે નહિ, ચેતનને અચેતન કરી શકે નહિ. મારી જ ભૂલ થઈ, સ્વપદ ભૂલ્યો. ભૂલ મટી જાય તો મારું સ્વપદ તો જેમનું તેમ જ બની રહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy