SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ * ધર્માત્મા સંબંધી દોષનાં સ્થાન છુપાવીને સત્ય ધર્મની વૃદ્ધિ કર * માર્ગથી વિચલીત થતા આત્માને ઉપદેશાદિ વડે ધર્મમાં સ્થિર કર. * રત્નત્રય ધર્મમાં અને ધર્માત્માઓમાં અતિશય પ્રીતિરૂપ વાત્સલ્યકર. * જ્ઞાનની ઉત્કૃષ્ટ ભાવના વડે જેન શાસનની પ્રભાવના કર. આ પ્રમાણે આઠે અંગોથી સુશોભિત એવા વિશુદ્ધ સમ્યકત્ત્વને તું ધારણકર. હે આર્ય આ સમ્યગ્દર્શનને જતુંધર્મનું સર્વસ્વસમજ. સર્વસુખનું કારણ સમ્યગ્દર્શન છે. આ સંસારમાં તે જ પુરુષ શ્રેષ્ઠ છે તે જ કૃતાર્થ છે અને તે જ મુમુક્ષુ છે. જેના હૃદયમાં નિર્દોષ સમ્યગ્દર્શન પ્રકાશે છે. હે ભવ્ય! તું આ સમ્યગ્દર્શનને જ સિદ્ધિ પ્રસાદનું પ્રથમ સોપાન જાણ. મોક્ષ મહેલનું પહેલું પગથિયું સમ્યગ્દર્શન જ છે, તે દુર્ગતિને રોકનાર છે, તે જ ધર્મનાઝાડનું મૂળિયું છે, તે જ સ્વર્ગ અને મોક્ષનો દરવાજો છે અને તે જ સારભૂત રત્ન છે. હે ભવ્યા આવા સમ્યગ્દર્શનને તું તારા આત્મામાં ધારણકર...આજે ધારણકર... અમે તને સમ્યક્ત્વપમાડવા માટે જ અહીં આવ્યા છીએ, તેનો અત્યારે અવસર છે. અહો! આ સમ્યગ્દર્શન સંબંધમાં અધિક શું કહેવું? એની તો એટલી જ પ્રશંસા બસ છે કે જીવને સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં અનંતકાળના સંસારનો પણ અંત આવી જાય છે અને તે મોક્ષસુખને પામે છે. માટે હે આર્યા લોકમૂઢતા, ગુરુ મૂઢતા, અને દેવમૂઢતાનો પરિત્યાગ કરીને તું સમ્યગ્દર્શનની ઉજજવલતાને ધારણ કર. સમ્યગ્દર્શનરૂપી તલવાર દ્વારા સંસારની વેલને તું છેદી નાખ તું નિકટ ભવ્ય છો અને ભવિષ્યકાળમાં તીર્થંકર થનાર છો. હે ભવ્ય! અહંત દેવના વચન અનુસાર મેં આ સમ્યગ્દર્શનની દેશના કરી છે, તે શ્રેયની પ્રાપ્તિ માટે તારે અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય છે. સંસારસમુહુથીપારથવામાટેનકાસમાન એવા એ સમ્યગ્દર્શનને અતિ શીધ્રપણે ગ્રહણ કર. આ બોધ સાંભળતા આર્ય વજજે અંતરમુખ થઈને પોતાના પરમાત્મા તને દેખ્યું. રાગથી પાર શાંત રસમય જ્ઞાન ધારાનું વેઠન થયું; ક્ષણ ભર તેનો ઉપયોગ સર્વ વિકલ્પોથી રહિત થઈને આત્મામાં જ થંભી ગયો. પરમાનંદમય આત્માનુભૂતિ થઈ ચેતન્યના અતીન્દ્રિય આનંદનો અનુભવ થયો. પ્ર સમ્યગ્દર્શન થતાં બધું વ્યવસ્થિત છે ? ઉ. + અમસ્તુ પણ બધું વ્યવસ્થિત છે, પણ સમ્યગ્દર્શન થતાં એના નિર્ણયમાં આવી જાય છે કે બધું વ્યવસ્થિત છે. સમયસાર ગાથા ૩૦૮/૧૧ માં જીવ અજીવનો કર્તા નથી એમ સિદ્ધક્યું છે, પણ ખરેખર તો જીવદ્રવ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy