SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ३२४ નિમિત્તોના યોગે તે સમ્યકત્વ ભાવના પણ ઉપર કહ્યાં દશ ભેદ થાય છે. તેમાંના ગમે તે નિમિત્તે ઉત્પન્ન થયેલી તત્ત્વાર્થ શ્રદ્ધા તો એક જ પ્રકારની હોય છે. તે સિવાય દર્શનમોહ પ્રકૃત્તિના ઉપશમથી થાય તે પથમિક, ક્ષયથી થાયતે ક્ષાયિક અને ક્ષયોપશમથી થાયતે ક્ષયોપથમિક સમ્યગ્દર્શન છે. આ રીતે ત્રણ ભેદ પણ કહ્યાં છે. ' ઉપશમ સમ્યકત્ત્વજેનાતળીયે કીચડજામ્યો છે અને ઉપરનિર્મળ જળ છે તેવું છે. ક્ષાયિક સમ્યકત્ત્વ શુદ્ધ સ્ફટિકમણી સમાન કેવળ નિર્મળરૂપ છે. ક્ષયોપાસક સમ્યકત્ત્વ ઉગતા સૂર્યની માફક કંઈક રાગાદિ મલ સહિત વર્તે છે. હેય, ઉપાદેયતત્ત્વોનો વિવેક કરતાં વિપરીત અભિપ્રાયરહિત એવું પવિત્ર સમ્યગ્દર્શન વાસ્તવિક તો એક જ પ્રકારે છે અને તે છે “નિર્વિકલ્પ સ્વાનુભૂતિ” તે જ નિશ્ચય સમ્યગ્દર્શન છે. હે ભવ્યો! અનંત અનંત દુઃખરૂપ અનાદિ સંસારની આત્યંતિક નિવૃત્તિ અર્થે, ભક્તિપૂર્વક, કલ્યાણમૂર્તિરૂપ સમ્યગ્દર્શનને અંગીકાર કરોસમયે સમયે આરાધો! સમ્યગ્દર્શનનો મહિમા પ્રીતિકર મુનિરાજ પરમ અનુગ્રહપૂર્વક વજનજંઘના આત્માને (ઋષભદેવના આત્માને) સમ્યગ્દર્શન અંગીકાર કરાવતાં કહે છે કે હે આર્ય! તું હમણાં જ સમ્યગ્દર્શનને ગ્રહણ કર! તારે માટે આ સમ્યકત્ત્વના લાભનો કાળ છે.” દેશના લબ્ધિ વગેરે બહિરંગ કારણ અને કરણલબ્ધિરૂપ અંતરંગ કારણ વડે ભવ્ય જીવ દર્શનવિશુદ્ધિ પામે છે. સર્વ કહેલાં જીવાદિ સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. નિઃશંકતા, વાત્સલ્ય વગેરે આઠ અંગરૂપી કિરણોથી સમ્યગ્દર્શનરૂપી રત્ન બહુ જ શોભે છે. હે ભવ્યા * તું આ શ્રેષ્ઠ જેના માર્ગને જાણીને માર્ગ સંબંધી શંકાને છોડ. * ભોગોની આકાંક્ષા દૂર કર, ધર્મના ફળમાં ભોગોની ચાહનાન કર. કે વસ્તુ ધર્મ પ્રત્યેની ગ્લાની છોડ દેહની મલિનતા દેખીને ધર્મ પ્રત્યે અણગમો ન કર. * અમૂઢ દૃષ્ટિ (વિવેક દષ્ટિ) પ્રગટકર; સત્યતત્ત્વને પરીક્ષાર્થી ઓળખ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy