SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ રાગને સર્વથા પરનો જ માને તો જીવ સ્વચ્છંદી થઈ જશે અને રાગને સર્વથા પોતાનો જ સ્વભાવ છે તેમ માનશે તો રાગ નીકળી શકશે નહિ. માટે પહેલાં પોતાના અપરાધથી પોતે જ કરે છે. કર્મ રાગ કરાવતું નથી. એ રીતે નિર્ણય કરીને પછી સ્વભાવ દૃષ્ટિ કરાવવા, રાગ મારું સ્વરૂપ નથી, ઉપાધિભાવ છે માટે કર્મ કહીને રાગનું લક્ષ છોડાવીને સ્વભાવનું લક્ષ કરાવ્યું છે. આજે ભેદ વિજ્ઞાનની કળા. રાગ આત્માથી જુદો છે. રાગમાં જ્ઞાન ગુણ નથી; જેનામાં જ્ઞાન ગુણ ન હોય તેને આત્મા કેમ કહેવાય? માટે રાગ તે આત્મા નથી. આત્માની શક્તિના નિર્મળ પરિણામથી રાગના પરિણામ જુદા છે. વર્તમાનમાં રાગ હોવા છતાં રાગરહિત સ્વભાવની શ્રદ્ધા કેમ થાય? જે જીવ રાગને જ પોતાનું સ્વરૂપ માનીને સમ્યકશ્રદ્ધા પણ કરતો નથી તેને આચાર્ય ભગવાન કહે છે કે હે જીવ! તું પર્યાય દષ્ટિથી રાગને તારું સ્વરૂપ માની રહ્યો છે. પણ પર્યાયમાં રાગ હોવા છતાં તું પર્યાય દૃષ્ટિ છોડીને સ્વભાવદષ્ટિથી જો તો તારા રાગરહિત સ્વરૂપનો તને અનુભવ થાય. જે વખતે ક્ષણિક પર્યાયમાં રાગ છે તે વખતે જ રાગ રહિત ત્રિકાળી સ્વભાવ છે, માટે પર્યાય દૃષ્ટિ છોડીને તું તારા રાગરહિતસ્વભાવની પ્રતીતિ કરજે; એ પ્રતીતિના જોરે રાગ અલ્પકાળે ટળી જશે, પણ એ પ્રતીતિ વગરરાગકદી ટળતો નથી. આ તો છે ભેદ વિજ્ઞાન! ભેદ જ્ઞાનના અભાવથી અજ્ઞાની રાગ અને જ્ઞાનની અતિ નિકટતા દેખી એકમેક હોય તેવું માને છે પણ રાગ અને જ્ઞાન એકમેકનથી. આ જ ભેદ જ્ઞાન કરવાનું છે. • ખરેખર એક વસ્તુ બીજી વસ્તુની નથી. તેથી બન્નેના પ્રદેશ ભિન્ન છે. આત્મ વસ્તુથી શરીરાદિ પર દ્રવ્યો તો ભિન્ન છે. જ પણ અહીં તો મિથ્યાત્વ રાગશ્રેષના જે પરિણામ છે તે નિર્મળાનંદ પ્રભુ એવા આત્માથી ભિન્ન સ્વરૂપે છે. તેથી પુણ્ય-પાપ ભાવતે આત્માથી ભાવે ભિન્ન છે. ભાવે ભિન્ન હોવાથી તેના પ્રદેશ પણ ભિન્ન છે. અસંખ્ય પ્રદેશી આત્મા છે, તેનાથી આસવના પ્રદેશ ભિન્ન છે; એ છે તો જીવના અસંખ્ય પ્રદેશમાં જ, પણ નિર્મળાનંદ પ્રભુ અસંખ્ય પ્રદેશ ધ્રુવ છે. તેનાથી આસ્રવ ભાવના પ્રદેશ ભિન્ન છે. આત્માની આશ્રયે પ્રગટેલી નિર્મળ પર્યાય છે તેને પણ આસ્રવ વસ્તુથી ભિન્નકહી છે. આવી રીતે બધું ભિન્ન જ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય, જે પૂર્ણ સ્વરૂપ એવા મોક્ષનું સાધક છે, તે ઉપચારથી જીવનું સ્વરૂપ કહેવાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy