SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માત્મા જ્ઞાનરૂપે જ રહે છે એ ભેદ વિજ્ઞાનનું બળ છે. ભેદ વિજ્ઞાનની એવી તાકાત છે કે તે જ્ઞાનને જ્ઞાનરૂપે જ રાખે છે. તેને જરા પણ વિપરીતતા પમાડતું નથી. તેમજ તેમાં રાગાદિ ભાવોને જરા પણ પ્રવેશવા દેતું નથી. આ રીતે ભેદ વિજ્ઞાનનું બળજ્ઞાનને અને રાગને ભેળસેળથવા દેતું નથી પણ જુદાજ રાખે છે, તેથી ભેદવિજ્ઞાનીધર્માત્માજ્ઞાનરૂપે જ રહે છે અને રાગરૂપે જરાપણથતાનથી. ‘પરને અને આત્માને સંબંધ નથી એ સમજવાનું પ્રયોજન એટલે પર લક્ષે જે વિકાર થાય તે મારું સ્વરૂપ નથી એમ પર સાથેનો સંબંધ તોડીને તેમજ પોતાની પર્યાયનું લક્ષ પણ છોડીને અભેદ સ્વભાવની દૃષ્ટિ કરવી તે જ આત્માનું પ્રયોજન છે. આત્માની અવસ્થામાં રાગ-દ્વેષાદિ વિકારી ભાવો થાય છે તે જીવના પોતાની પર્યાયમાં જ થાય છે, પોતે જ કરે છે. તેથી પર્યાય દષ્ટિથી રાગ જીવનો છે. દ્રવ્ય દૃષ્ટિથી દ્રવ્ય સ્વભાવમાં રાગ છે જ નહિ તેથી રાગ જીવનો નથી. પણ પુદ્ગલના લક્ષે થતો હોવાથી પુદ્ગલનો છે. રાગ-દ્વેષ થતાં દેખાય છે તે તો પર્યાય દ્દષ્ટિ છે, તે જ વખતે જો પર્યાય દષ્ટિને ગૌણ કરીને સ્વભાવની દૃષ્ટિથી જુઓ તો આત્માનો સ્વભાવ રાગરહિત જ છે, એની શ્રદ્ધા અને અનુભવ થાય છે. રાગ હોવા છતાં શુદ્ધ આત્માતે રાગથી રહિત છે- એમ જ્ઞાન વડે શુદ્ધ આત્મા જણાય છે. આત્મામાં એક જ ગુણ નથી, પણ શ્રદ્ધા- જ્ઞાન-ચારિત્ર વગેરે અનંત ગુણો છે; રાગ-દ્વેષ થાય છે. તે ચારિત્રગુણનું વિકારી પરિણમન છે અને શુદ્ધાત્માને માનવોને શ્રદ્ધાગુણનું નિર્મળ પરિણમન છે તથા શુદ્ધાત્માને જાણવો તે જ્ઞાન ગુણનું નિર્મળ પરિણમન છે. એ રીતે દરેક ગુણનું પરિણમન ભિન્ન ભિન્ન કાર્ય કરે છે. ચારિત્રના પરિણમનમાં વિકાર દશા હોવા છતાં શ્રદ્ધા- જ્ઞાન તેમાં ન વળતાં ત્રિકાળી શુદ્ધ સ્વભાવમાં વળ્યા, શ્રદ્ધાની પર્યાયે વિકાર રહિત આખા શુદ્ધ આત્મામાં વળીને તેને માન્યો છે અને જ્ઞાનની પર્યાયપણચારિત્રના વિકારનો નકાર કરીને સ્વભાવમાં વળી છે. એટલે તેણે પણ વિકાર રહિત શુદ્ધ આત્માને જાણ્યો છે. આ રીતે ચારિત્રની પર્યાયમાં રાગ-દ્વેષ હોવા છતાં શ્રદ્ધા- જ્ઞાન સ્વ તરફ વળતાં શુદ્ધ આત્માની શ્રદ્ધા તથા જ્ઞાન થાય છે. રાગ વખતે જો રાગરહિત શુદ્ધ આત્માનું ભાઈ થઈ શકતું ન હોય તો કોઈ જીવને ચોથું-પાચમું- છઠું વગેરે ગુણસ્થાનકે સાધક દશા જ પ્રગટી શકે નહિ અને સાધક ભાવ વગર મોક્ષનો પણ અભાવ ઠરે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy