SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ તો અતિ અતિ દીર્ઘકાળ બને છે, એટલે કે જીવ “મનુષ્ય ભવ’ લગભગ નહિવત્ પામે છે. . ધર્મ પામવાનો સમય જીવને ધર્મ પામવાનો મુખ્ય સમય મનુષ્યપણું છે, તેથી જો જીવ ધર્મ સમજવાની શરૂઆત કરે તો તે કાયમને માટે દુઃખ ટાળી શકે. પરંતુ મનુષ્ય ભવમાં પણ કાં તો ધર્મનો યથાર્થ વિચાર કરતો નથી. અથવાતો ધર્મને નામે ચાલતી અનેક મિથ્યા માન્યતાઓમાંથી કોઈને કોઈ ખોટી માન્યતાને ગ્રહણ કરે છે અને કુદેવ-ગુરુ તથા કુશાસ્ત્રમાં તે ફસાઈ જાય છે, અથવા તો બધા ધર્મો એક છે એમ ઉપલક દષ્ટિએ માની લઈને બધાનો સમન્વય કરવા લાગે છે. પોતાની એ ભ્રમણાવાળી બુદ્ધિને વિશાળ બુદ્ધિમાનીને અભિમાન સેવે છે; કઠીતે જીવસુદેવ-સુગુરુ- અને સુશાસ્ત્રનું બાહ્ય સ્વરૂપ સમજે તો પણ પોતાનું ખરું સ્વરૂપ સમજવા જીવ યથાર્થ પ્રયાસ કરતો નથી. તેથી તે ફરીને સંસારચક્રમાં રખડી પોતાનો મોટામાં મોટો કાળ નિગોદ એકેન્દ્રિયપણામાં કાઢે છે. મિથ્યાવનું મહા પાપ ઉપર કહ્યું તે બધાનું મૂળ કારણ પોતાના સ્વરૂપની જીવને ભ્રમણા છે. પરનું હું કરી શકું, પર મારું કરી શકે, પરથી મને લાભ થાય, પરથી મને નુકસાન થાય એવી મિથ્યા માન્યતાનું નિત્ય અપરિમિત મહાપાપ દરેક ક્ષણે જીવ સેવ્યા કરે છે, તે મહા પાપને શાસ્ત્રીય પરિભાષામાં મિથ્યાદર્શન કહેવામાં આવે છે. તેના ફળતરીકે ક્રોધ, માન, માયા, લોભ જે પરિમિત પાપ છે તેને તીવ્ર કે મંદપણે સેવે છે. જીવો ક્રોધાદિકને પાપ ગણે છે, પણ તેનું મૂળિયું મિધ્યાહનરૂપ મહાપાપ છે તેને તેઓ ઓળખતા નથી, તો પછી તેને ટાળે ક્યાંથી? સમ્યગરિની ભાવના - સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે. વસ્તુનું સ્વરૂપ યથાર્થ સમજાય તેને ધર્મ કહે છે. સમ્યગદદિ શુભભાવને ધર્મ માનતા નથી પણ બંધનું કારણ માને છે. જેટલો રાગટળે છે તથા સમ્યગ્દર્શન- જ્ઞાનની જે દૃઢતાથાય છે તેને તે ધર્મ માને છે. તેથી તેને સંવર-નિર્જરા થાય છે. અજ્ઞાનીઓતો શુભ ભાવને ધર્મ અથવા ધર્મમાં સહાયક માને છે. સમ્યગ્દષ્ટિ જીવ પોતાના સ્વરૂપમાં સ્થિર રહે તેને સમ્મચારિત્ર કહે છે. આ રીતે સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રથી જ મોક્ષમાર્ગ બને છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy