SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે. તે પ્રકાર અતિ સૂક્ષ્મ છે તેથી ગુપ્ત રહેલ છે. તો પણ આત્મરૂચિ અને સત્પાત્રતાથી તેની ઉપલબ્ધિ થાય છે. . આત્મશુચિ: જીવના પરિણમનમાં જેમ જ્ઞાનની પ્રધાનતા છે તેમ રુચિના પરિણામ પણ આગવું મહત્ત્વ ધરાવે છે. નિજ હિત સાધવા ઉપયોગી છે. દર્શન મોહન અનુભાગ ઘટવાથી ઉત્પન્ન જે આત્માના નિર્દોષતા પવિત્રતા પ્રત્યથી સુહાના પરિણામને રુચિ કહેવા યોગ્ય છે; જે વિકસીત થઈ નિર્દોષ પરિપૂર્ણ પવિત્ર આત્મસ્વભાવને જ વિષયકરે છે અથવા અનન્ય ભાવે ચાહે છે. આમ સવળી રુચિથી સમ્યકત્ત્વની પ્રાપ્તિ થાય છે. અને આ સિવાય રાગની-દોષની-પુણ્યની-કષાયની-અનેક પ્રકારના સંસારના ભાવોની જો રુચિ હોય તો તેથી મિથ્યાત્વ દૃઢ થાય છે. સ્વભાવની યથાર્થ રુચિ સ્વભાવના ભાવ ભાસનથી ઉત્પન્ન હોય છે અને તેથી સ્વભાવનું અનન્ય ભાવે ભાસવું થાય છે. - રચિવંતજીવને ઉદયના અનેક કાર્યોના પ્રસંગ પૂર્વ કર્મ અનુસાર રહે છે, ત્યારે ઉદયની પ્રવૃત્તિ ખટકે છે અને બોજારૂપ લાગે છે. તેવા સમયે અનેક કાર્યો કરવાં છતાં પણ જાગૃતિ અને સાવધાની તેમજ લક્ષ્ય, આત્મસ્વભાવનું જ રહ્યા કરે છે. આત્મ-રુચિ પુરુષાર્થના વેગને ઉત્પન્ન કરનારી હોવાથી શિથિલતા અને પ્રમાદને દૂર કરી, સ્વભાવ પ્રતિજોરકરીને ઉછળે છે. રુચિમાં સ્વભાવ સિવાય બીજું પોષાતું નથી. સ્વ વિષયની પ્રાપ્તિ સિવાય ચાલે નહિ-તેવી સ્થિતિ જ યથાર્થ રુચિમાં હોય. રુચિવાનને આત્મકલ્યાણ દૂર નથી. આત્મશુચિ સ્વયં ધર્મની પાત્રતા છે. રુચિ સહિતના પરિણામ સહજ વૈરાગ્ય અને ઉપશમથી તરબોળ હોય છે. પરંતુ યથાર્થ રુચિ વગરના શુભ ભાવો પણ લૂખા અને ચંચળતાવાળા હોય છે. આત્મ-રુચિ વગર ભેદજ્ઞાન પણ થઈ શકતું નથી. પર લક્ષી ક્ષયોપશમ જ્ઞાનમાં ‘ભેદજ્ઞાન સંવરનું કારણ હોવાથી કરવા યોગ્ય છે તેમ સમજવા છતાં રુચિના અભાવે ભેદ જ્ઞાન થતું નથી. પરંતુ આત્મ રુચિવંત જીવ સહજ ભેદ જ્ઞાન (રાગની અરુચિ હોવાને લીધે) કરે છે. સ્વરૂપ સાધના કરવા ઈચ્છતા કોઈ જીવો બહિર્મુખ પ્રવર્તતા ઉપયોગને પલટાવી અંતર્મુખ કરવા ચાહે છે. પરંતુ અનાદિથી પર અને રાગની રુચિને પલટાવ્યા વગર ઉપયોગ પલટીને અંતર્મુખ થયો નથી. આ માર્ગની વિધિનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy