SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મજ્ઞાન ન થવા અંગેના પ્રતિબંધોઃ * સંયોગોની અનુકુળતાના અભિપ્રાયને લીધે અનેક પદાર્થોની ભોગાદિ કામનાનો અગ્નિ જેના પરિણામમાં બળે છે માટે ઉપરોક્ત પ્રકારના અભિપ્રાયને નિરસ કરવો ઘટે. * જીવને માન સત્કારાદિની કામના રહેવાથી તેનું વારંવાર સ્ફરવું થાય છે. મુમુક્ષુને ગુપ્ત રહીને, અજાણ રહીને, નિજ હિત સાધી લેવાની ભાવના વૃત્તિ રહેવી જોઈએ. અશાતાથઈ આવતા આકુળવ્યાકુળ થવા લાગે તે દેહપ્રત્યેનીમૂચ્છ તેનું પ્રયત્નપૂર્વક અલ્પત્ત થવું ઘટે. * સૌથી મોટો પ્રતિબંધ પોતાનું ઢીલાપણું છે, જેને શીધ્ર નિવૃત કરવું ઘટે છે. અન્ય પરિણામમાં જેટલી તાદાત્મયવૃતિ છે તેટલો મોક્ષ દૂર છે. • જે મોહસમસ્ત જગતને ઉન્માત બનાવે છે, જેને લીધે આ સમસ્ત સંસારનો વિશાળ વિસ્તાર છે અને જેને જીતવો અતિ અતિ દુષ્કર છે, એવા મહા બળવાન મોહને પણ સહજ રમત માત્રમાં જે જ્ઞાન ઉડાડી દે અને વચનાતીત આનંદની પ્રાપ્તિથી જે મસ્ત છે તે આત્મજ્ઞાન અને તેવા આત્મજ્ઞાનીની વંદના, સ્તુતિ, પૂજા, અવશ્ય છે અને એ આત્મજ્ઞાનનું જે ધ્યેય છે- ત્રિકાળી ભગવાન-શાયક ભાવ-તેનો મહિમા આવવો જોઈએ. અનંતકાળમાં જીવે સર્વદા પોતાના કલ્યાણ કરવાના ઉપાય વિષે ઉપેક્ષા જ સેવી છે. અંતરના ઉંડાણથી ક્યારેય છૂટવાનીખરીતૈયારી થઈ નથી અથવા જીવે કરી નથી, તે પોતાનો મહાન અપરાધ છે. જીવ જે શરૂઆતમાં ભૂલ કરે છે તે અસત્સંગમાં સત્સંગની કલ્પના કરે છે. ભેદજ્ઞાન એક પ્રક્રિયા છે. જે પરથી અને રાગથી ભિન્ન જ્ઞાનસ્વભાવી આત્માને (સ્વયંને ગ્રહણ કરવાની સૂક્ષ્મ અંતરંગ-અંતર્મુખી કાર્ય પદ્ધતિ છે. સ્વભાવ ત્રિકાળ શક્તિરૂપ હોવાથી તેનું ભાવભાસન સીધું થતું નથી. પરંતુ વ્યક્ત જ્ઞાન પર્યાયમાં ખૂલ્લો સ્વભાવ અંશ છે, તેનું અંતરંગ સૂક્ષ્મ અનુભવ દષ્ટિથી અવલોકન થતાં, અખંડ ત્રિકાળી અપરિણામી ધ્રુવ સ્વ તત્ત્વ સ્વરૂપે પ્રતિભાસે છે. તેમાં જ્ઞાન ક્રિયા ઉપયોગરૂપ પર્યાયના આધારે, પર્યાય વડે, પર્યાયમાં પ્રતિભાસ હોવા છતાં અનાદિ પર્યાય બુદ્ધિ છૂટી દ્રવ્ય બુદ્ધિ-દ્રવ્ય દૃષ્ટિ થવાની આ પ્રક્રિયા છે. જે પર્યાયરૂપ વેદન પ્રધાન હોવા છતાં અહીં પર્યાયત્વ ગૌણ થઈને દ્રવ્ય સ્વભાવનું અવભાસન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy