SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ સમ્યગ્દર્શન ભૂમિકા • અનાદિ કાળથી આ આત્માએ પોતાનું ખરું સ્વરૂપ જાણ્યું નહિ, તેથી સ્વ પરનું યથાર્થ જ્ઞાન અને શ્રદ્ધાન થયું નહિ, સ્વને પર રૂપે માન્યો અને પારને સ્વરૂપ માન્યું, તેથી બાહ્ય પદાર્થો તરફ તીવ્ર મમત્વબુદ્ધિ થઈ. શરીરાદિ પર દ્રવ્યોને પોતાના માન્યાતવાતમાં અહંબુદ્ધિ અને મમત્વબુદ્ધિ કરીને અત્યંત આસક્તિપૂર્વક આ જીવ પ્રવર્યો. જીવનું અનાદિકાળથી આ અગ્રહીત મિથ્યાત્વ છે. આમિથ્યાત્વજીવને મૂળનિગોદમ્યાનથી જ ચાલ્યું આવે છે. એકેન્દ્રિય થી પંચેન્દ્રિય અસંજ્ઞી સુધી તો જીવને પોતાનું હિત શું છે અને અહિત શું છે તેનો વિચાર કરવાની શક્તિ જ પ્રાપ્ત થઈ નથી. પંચેન્દ્રિય સંજ્ઞી થયો, મનુષ્ય બન્યો, મંદ કષાય અને જ્ઞાનના ઉઘાડ વડે પોતાનું હિત-અહિત શું છે તેનો વિચાર કરવા યોગ્યશક્તિ પ્રાપ્ત થઈ. અહીં પણ વસ્તુસ્થિતિનું સ્વરૂપ જેમ છે તેમને જાણતાં, એને વિપરીત રીતે માન્યું; આગ્રહીત મિથ્યાત્વ છે. તે અગ્રહીત મિથ્યાત્વમાં ભળીને તેને દ્દઢ કર્યું. આ કારણે જીવ અનાદિકાળથી સંસારચક્રમાં પરિભ્રમણ કરતો રહ્યો. પ્રાણી માત્રને વિકાસના અને આત્મશ્રેયના અંગોનો યોગ મળવો અત્યંત દુર્લભ છે. એમાં પણ મનુષ્યપણું પ્રાપ્ત થવું, સદ્ગુરુનોયોગ થવો તથા સત્ ધર્મનું શ્રવણ કરી, ચિંતન-મનન કરી શુદ્ધાત્મતત્ત્વનું સ્વરૂપ સમજી તેનું યથાર્થ શ્રદ્ધાન કરવું એટલે સમ્યગ્દર્શન પ્રગટાવવું અતિ અતિ દુર્લભ છે. આવું દુર્લભ મનુષ્યન્ત પામ્યા પછી પણ સમ્યગ્દર્શનની સંપ્રાપ્તિ અત્યંત અત્યંત દુર્લભ છે. તેથી જો જીવસમ્યકજ્વપ્રગટાવવાનો પુરુષાર્થનકરેતો સંસાર ચક્રમાં પરિભ્રમણ કર્યા કરે અને મનુષ્યપણાની કાંઈ સાર્થક્તા થાય નહિ. માટે ભવ્ય આત્માઓ સમ્યકત્ત્વ પ્રાપ્ત કરવાની પ્રેરણા પામે એ માટે મિથ્યાત્વનું અને સમ્યગ્દર્શનનું સાચું સ્વરૂપ સમજવાની અત્યંત આવશ્યકતા આવું સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજી તેને પ્રાપ્ત કરવાની યથાર્થ વિધિ જાણી, આત્મતત્ત્વને તેના મૂળ શુદ્ધસ્વરૂપે ઓળખવામાં આવે તેવી જ પ્રતીતિવર્તે અને તેની પ્રાપ્તિની એક માત્ર ભાવના કરવામાં આવે તો જ સમ્યગ્દર્શન પ્રકાશે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy