SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૯ બધાયને, લક્ષણભેદે ભેદ હોવા છતાં, પ્રદેશભેદ નથી; આત્માના એક પરિણામમાં બધાય ધર્મોનું પરિણમન રહેલું છે. તેથી આત્માના એક જ્ઞાનમાત્ર ભાવની અંદર અનંતશક્તિઓ રહેલી છે. માટે જ્ઞાનમાત્ર ભાવમાંજ્ઞાનમાત્ર ભાવસ્વરૂપ આત્મામાં-અનંત શક્તિઓ ઉછળે છે. અનેક શક્તિઓથી યુક્ત આત્મા છે તો પણ તે જ્ઞાનમાત્રપણાને છોડતો નથી. તેની સર્વ અવસ્થાઓ, પરિણામો- પર્યાયો-જ્ઞાનમય જ છે. શૈયાકાર થવાથી જ્ઞાન સ્વરૂપી પ્રભુ શેય-જણાવા યોગ્ય પદાર્થનો આકાર અહીંયા આવવાથી તે જાણે યકૃત આકાર છે એમ તેને થાય છે. પરંતુ એમ નથી. એ તો શાનનો પોતાનો જ આકાર એ રીતે પરિણમ્યો છે. જેમ બળવા યોગ્યને આકારે અગ્નિ થાય છે તેથી બળવા યોગ્ય પદાર્થની અશુદ્ધતા એટલી પરાધીનતા છે એમ નથી. પરંતુ અગ્નિ પોતે જ એ આકારે થયો છે. એવી રીતે જોયાકાર જ્ઞાનમાં શરીર, વાણી, મન, મકાન, પૈસાનો આકાર દેખાય છે તેથી તેને આમરે અહીં જ્ઞાન થયું માટે તે શેયાકારની અપેક્ષાથી જ્ઞાન થયું છે એવી જ્ઞાનમાં અપેક્ષાનથી, એવી પરાધીનતા જ્ઞાનની પર્યાયમાં નથી. પરંતુ તે સ્વયં પોતે જ્ઞાન તે રીતે તે આકારે થયું છે. અર્થાત્ પરને જાણવાકાળેપરની જેવી ચીજ છે તેવા આકારે જ્ઞાન થાય છે. છતાં પણ એ જ્ઞાન જે જણાવા લાયક છે તેને કારણે થયું છે એમ નથી. પરંતુ તે જ્ઞાન જ પોતે પોતાથી સ્વતંત્રતે આકારે પરિણમ્યું છે. • શેયાકાર થવાથી એટલેકે શું? તે હવે થોડું સુક્ષ્મ લઈએ. સમકિતીને-જ્ઞાનીને જે રાગ થાય છે તે રાગના જેવું અહીં જોયાકાર થાય છે. અર્થાત્ સમકિતીને જ્ઞાનીને પણ રાગ થાય છે. તો જેવો રાગ છે તેવી અહીં જ્ઞાનની પર્યાય થાય છે પરંતુ એથી કરીને તે જ્ઞાનની પર્યાય રાગને લઈને થઈ છે એમ નથી. પણ એ જ્ઞાનની પર્યાય જ તે આકારે પ્રણમી છે, એવા આકારે સ્વતંત્રપણે પોતાથી થઈ છે. અહા! ધર્મી જીવને જેને આત્મજ્ઞાન થયું છે તેને હજી રાગ આવે છે અને રાગ આકારે તેનું જ્ઞાન પણ થાય છે. પર્યાયમાં જેવો રાગ તેવું તેને જ્ઞાન પણ થાય છે. પણ તેથી રાગને આકારે તે જ્ઞાનાકાર થયુ છે માટે જ્ઞાન પરાધીન છે એમ નથી. કેમ કે એ જ્ઞાનાકાર રાગના જ્ઞાનપણે થયેલા શાનાકાર- જ્ઞાન પોતે પોતાથી પરિણમ્યું છે. પરંતુ તે શેય-રાગને લઈને પરિણમ્યું નથી. જ્ઞાન શેયાકાર થયું માટે યકૃત અશુદ્ધતા તેને છે એમ નથી. પણ એ જ્ઞાનનો સ્વભાવ જ એ પ્રકારે થયો છે. રાગ સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાથી થયેલું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy