SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ૨ આગળ કહ્યાં તે પાંચ પ્રકારના જ્ઞાન જ (સાચા જ્ઞાન છે) ખીજા કોઈ પણ પ્રમાણ જ્ઞાન નથી. પ્રમાણના બે ભેદ છે. ૧. પ્રત્યક્ષ ૨.પરોક્ષ. ઈન્દ્રિયો કે ઈન્દ્રિયો અને પદાર્યનો સંબંધ (સન્નિકર્ષ) એ કોઈ પ્રમાણ નથી– એમ સમજવું; એટલે કે ઈન્દ્રિયાથી જ્ઞાન થતું નથી અગર તો ઈન્દ્રિયો અને પદાર્થોના સંબંધથી જ્ઞાન થતું નથી પણ ઉપરકહેલાં મતિ આદિ જ્ઞાન પોતાથી થાય છે માટે જ્ઞાન પ્રમાણ છે. અપૂર્ણ જ્ઞાનનો ઉઘાડ જે વખતે પોતાનો વ્યાપાર કરે ત્યારે તેને લાયક બાહ્ય પદાર્થો એટલેકે ઈન્દ્રિયો, અજવાળું, જ્ઞેય પદાર્થો, ગુરુ, શાસ્ત્ર વગેરે પર દ્રવ્યો પોતપોતાને કારણે હાજર હોય જ, જ્ઞાનને તેની રાહ જોવી પડે નહિ. નિમિત્ત-નૈમિત્તિક તથા ઉપાદાન-નિમિત્તનો એવો મેળ હોય છે. ઈન્દ્રિયો જડ છે અને જ્ઞાન તો ચેતનનો પર્યાય છે, તે જડ નથી; માટે આત્મા વડે જ જ્ઞાન થાય છે. સામો જ્ઞેય પદાર્થ તેનાથી જ્ઞાન થાય- એ તો ખરું ને ? તે સાચું નથી; જો સામો પદાર્થ ( જ્ઞેય) અને આત્મા એ બે મળીને જ્ઞાન થાય તો જ્ઞાતા અને જ્ઞેય એ બન્નેનું ફળજ્ઞાન થયું, તો બન્નેને જ્ઞાનથવું જોઈએ, પણતેમ થતું નથી. આનંદ (સંતોષ), ઉપેક્ષા (રાગ-દ્વેષ રહિતપણું) અને અજ્ઞાનનો નાશ એ સમ્યજ્ઞાનનું ફળ છે; જ્ઞાન પોતાથી જ થાયછે, પર પદાર્થથી થતું નથી. જે જીવને સમ્યજ્ઞાન થયું હોય તે પોતાની સમ્યતિ અને સભ્યશ્રુતજ્ઞાન વડે પોતાને સમ્યક્ત્વ થવાનો નિર્ણય કરી શકે છે અને તે જ્ઞાન પ્રમાણ અર્થાત્ સાચું જ્ઞાન છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ પ્રમાણ છે. એ જ્ઞાનના ઉપયોગ વખતે ઈન્દ્રિય કે મન નિમિત્ત છે તેથી પર અપેક્ષાએ તેને પરોક્ષકહ્યા છે, સ્વ અપેક્ષાએ પાંચે પ્રકારના જ્ઞાન પ્રત્યક્ષ છે. સમ્યગ્દષ્ટિ જીવનો ઉપયોગ પર તરફ રોકાયો હોય ત્યારે તે વખતનો જ્ઞાન ઉપયોગ પરોક્ષ છે. સમ્યકદૃષ્ટિ જે વખતે પોતાના ઉપયોગમાં જોડાયો હોય ત્યારે તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પ્રત્યક્ષ છે. નિર્વિકલ્પતા વખતે બન્ને જ્ઞાનો પ્રત્યક્ષ છે. આ દશા ચોથા ગુણસ્થાનથી હોય છે. મતિશ્રુતાત્મક ભાવમન સ્વાનુભૂતિ સમયે પ્રત્યક્ષ માનવામાં આવ્યું છે. મતિ-શ્રુતજ્ઞાન વિના કેવળજ્ઞાનની ઉત્પત્તિ થતી નથી તેનું આ કારણ છે. અવગ્રહ, ઈહા, અવાય અને ધારણારૂપ મતિજ્ઞાનને ‘સાંવ્યવહારિક પ્રત્યક્ષ’ પણકહેવામાં આવે છે. ‘‘ઘડાના રૂપને જો પ્રત્યક્ષદીઠું'' એમલોકો કહે છે તેથી તે જ્ઞાન સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy