SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ સીમાઓની સમ્યક્ જાણકારી માટે ગંભીરતમ્ અધ્યયન, મનન, ચિંતનની અપેક્ષા રાખે છે. ૨. અંતરંગ. તપના પ્રકાર : તપ બે પ્રકારનું છે. ૧. બહિરંગ: બહિરંગ તપ છ પ્રકારનું છે. ૫. ૧. અનસન ૩. વૃતિસંક્ષેપ ૨. ઊણોદરી ૪. રસપરિત્યાગ ૬. આ જ પ્રમાણે અંતરંગ તપ પણ છ પ્રકારનું છે. ૩. વૈયા નૃત્ય ૪. સ્વાધ્યાય ૧. પ્રાયશ્ચિત ૨. વિનય પડી સંલીનતા કાયા ફ્લેશ ૫. વ્યુતસર્ગ ૬. ધ્યાન ઉપર્યુક્ત સઘળાં તપોમાં ભલે તે બાહ્ય તપ હોય કે અંતરંગ એક શુદ્ધોપયોગરૂપ વીતરાગભાવની જ પ્રધાનતા છે. ઈચ્છાઓના નિરોધરૂપ શુદ્ધોપયોગરૂપી વીતરાગભાવ એ જ સાચું તપ છે. પ્રત્યેક તપમાં વીતરાગ ભાવની વૃદ્ધિ થવી જોઈએ. એ જ લક્ષ્ય છે અને તો જ એ તપ છે. અનરાનાદિ તથા પ્રાયશ્ચિતાદિનેતપકહ્યું છે કેમકે અનસનાદિ સાધન વડે પ્રાયશ્ચિતાદિરૂપ પ્રવર્તન કરીને વીતરાગ ભાવરૂપ સત્ય તપનું પોષણ કરવામાં આવે છે; તેથી ઉપચારથી અનશનાદિને તપ કહેવામાં આવ્યું છે. નિશ્ચય તપ ધર્મ તો વીતરાગભાવ જ છે. અન્ય અનેક પ્રકારે વિરોષ બાહ્ય સાધનની અપેક્ષાએ ઉપચારથી કહ્યા છે, તેને વ્યવહાર માત્ર ધર્મસંજ્ઞા જાણવી. જ્ઞાની જનોને ઉપવાસાદિની ઈચ્છાનથી હોતી. એક શુદ્ધોપયોગની ઈચ્છા હોય છે;પરિણામોની શિથિલતાને કારણે શુદ્ધોપયોગ શિથિલ થતો જણાય તો અશુભમાં જવા અટકવા અનશનાદિ શુભભાવ ગ્રહણ કરે છે. જો કે અંતરંગ તપ જ વાસ્તવિક તપ છે, બહિરંગ તપને જ ઉપચારથી તપસંજ્ઞા છે; તો પણ જગતના જીવોને બાહ્ય તપ કરવાવાળો જ મોટો તપસ્વી દેખાય છે. માત્ર ભોજન પાણીનેાત્યાગ ઉપવાસ નથી. ઉપવાસ તો આત્મસ્વરૂપની સમીપમાં સ્થિત કરવાનું નામ છે. કષાય, વિષય અને આહારના ત્યાગપૂર્વક આત્મસ્વરૂપમાં ઠરવું – જ્ઞાન, ધ્યાનમાં લીન રહેવું એ જ વાસ્તવિક તપ છે, ઉપવાસ છે. Jain Education International • ઉપર્યુક્ત ખાર તપોમાં પહેલાંની અપેક્ષાએ બીજું, બીજાની અપેક્ષાએ ત્રીજું, આ પ્રમાણે અંત સુધી ઉત્તરોતર તપ અધિક ઉત્કૃષ્ટ છે. અનાન For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy