SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૬ * કરણાનુયોગ: માણાધિરૂપ જીવનું, કર્મોનું વા ત્રિલોકાદિનું જેમાં નિરૂપણ ક્યું હોય તે કરણાનુયોગ છે. * ચરણાનુયોગઃ ગૃહસ્થ - શ્રાવક - મુનિનાધર્મ આચરણ કરવાનું જેમાં નિરૂપણ હોય તે ચરણાનુયોગ છે. * દ્રવ્યાનુયોગ: છ દ્રવ્ય, સાત તત્ત્વાદિક અને સ્વ-પર ભેદ - વિજ્ઞાનાદિકનું જેમાં નિરૂપણ હોયતેદ્રવ્યાનુયોગ છે. આ ચારે પ્રકારના અનુયોગોનું વિશેષ પ્રયોજન છે. • પ્રથમાનુયોગનું પ્રયોજન:પ્રથમાનુયોગમાંતો સંસારની વિચિત્રતા, પુણ્યપાપનાં ફળ તથા મહાપુરુષોની પ્રવૃત્તિ ઈત્યાદિ નિરૂપણથી જીવોને ધર્મમાં લગાવ્યા છે. જે જીવતુચ્છ બુદ્ધિના હોય તે પણ આ અનુયોગથીધર્મસન્મુખ થાય છે કારણકે તે જીવ સૂક્ષ્મનિરૂપણને સમજતો નથી, પણ લૌકિક વાર્તા ઓને જાણે છે તથા ત્યાં તેનો ઉપયોગ લાગે છે. પ્રથમાનુયોગમાં લૌકિક પ્રવૃત્તિરૂપ જ નિરૂપણ હોવાથી તેને તે બરાબર સમજી શકે છે. વળી જે જીવોને તત્ત્વજ્ઞાન થયું હોય પછી તેઓ આ પ્રથમાનુયોગવાંચ-સાંભળતો તેમને તો આ ઉદાહરણરૂપ ભાસે છે, જેમકે – જીવ અનાદિનિધન છે. જેમ આ જાણતો હતો તેમ જ કોઈ જીવને અવસ્થા થઈ તેથી તે આના જાણવામાં સાક્ષી થઈ. કરણાનુયોગનું પ્રયોજન : કરણાનુયોગમાં જીવોની વા કર્મોની વિશેષતા તથાત્રિલોકાદિકની રચનાનિરૂપણ કરી જીવોને ધર્મમાં લગાવ્યા છે. જે જીવ ધર્મમાં ઉપયોગ લગાવવા ઈચ્છે છે તે જીવોના ગુણસ્થાન માર્ગણાદિ ભેદ તથા કર્મોનાકારણ અવસ્થાફળકોનેકોને કેવી રીતે હોય છે ઈત્યાદિ ભેદ તથા ત્રણલોકમાં નર્મ-સ્વર્ગાદિનાં ઠેકાણાં ઓળખી પાપથી વિમુખ થઈ ધર્મમાં લાગે છે. વળી જો એવા વિચારમાં ઉપયોગ રમી જાય તો પાપપ્રવૃત્તિ છૂટી સ્વયં તત્કાળધર્મ ઊપજે છે તથા તેના અભ્યાસથી તત્ત્વજ્ઞાનની પણ પ્રાપ્તિ શીધ્ર થાય છે. વળી આવું સૂક્ષ્મ અને યથાર્થ કથન જૈન મતનો જ છે, અન્ય ઠેકાણે નથી એવો તેનો મહિમા જાણી તેને જે મતની શ્રદ્ધા થાય છે. ચરણાનુયોગનું પ્રયોજન: ચરણાનુયોગમાં અનેક પ્રકારના ધર્મ-સાધન નિરૂપણ કરીને જીવોને ધર્મમાં લગાવવામાં આવે છે. જે જીવ હિત-અહિતને જાણતો નથી અને હિંસાદિ પાપકાર્યોમાં તત્પર થઈ રહ્યો છે, તેને જેમ તે પાપકાર્યોને છોડી ધર્મકાર્યોમાં જોડાય તેમ અહીં ઉપદેશ આપ્યો છે તેને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy