SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ = ૩૩ નિજાત્મા પ્રતિ અરુચિરૂપ જે અનંત ક્રોધ તેનો ત્યાગ કરી આપણે આપણા આત્મા પ્રતિ વાસ્તવિક ક્ષમાભાવ ધારણ કરી આત્મામાં જ રમીએ, સ્થિત થઈએ એવી ભાવના આના નિર્દેશનમાં છે. આ ઉત્તમ ક્ષમાદિ ધર્મનું યથાર્થ સ્વરૂપ જાણી દરેક ભવ્ય આત્મા ત ્રૂપ પરિણમે એવી અંતરની ભાવના સહિત એની રજુઆત થઈ છે. – ઉત્તમ ક્ષમા વ્યાખ્યા ક્ષમા આત્માનો સ્વભાવ છે. ક્ષમા સ્વભાવી આત્માના આશ્રયે આત્મામાં જે ક્રોધના અભાવરૂપ શાન્તિ સ્વરૂપ પર્યાય પ્રગટ થાય છે એને પણ ક્ષમા કહે છે. ક્ષમા આત્માનો સ્વભાવ છે તેથી તો તે ધર્મ છે. સાથે જ ક્ષમા સ્વભાવી આત્માના આશ્રયે ઉત્પન્ન થવાવાળી ક્ષમાભાવરૂપ સ્વભાવ પર્યાય પણધર્મ છે. પરંતુ ક્ષમા સ્વભાવી આત્મા જ્યારે ક્ષમા સ્વભાવરૂપ પરિણમનનકરતા વિભાવરૂપ પરિણમનકરે છે, તો તેના એ વિભાવ પરિણમનને ક્રોધ કહેવામાં આવે છે. ક્ષમાનું સ્વરૂપ : દુનિયાની સ્થિતિ કાંઈક એવી છે કે જ્યારે તેને એમ કહેવામાં આવે કે ક્રોધ નકરવો એ ક્ષમા છે તો એને સંતોષ થઈ જાય છે. પણ જો એને એમકહેવામાં આવે કે ક્ષમા ન કરવી એ ક્રોધ છે તો એને અટપટું લાગે છે, કાંઈ સમજમાં બેસતું નથી. ક્ષમાનું સ્વરૂપ જીવને ક્રોધ દ્વારા જ સમજાવવું પડે છે. ક્રોધ આત્માનો એક વિભાવ છે અને તે ક્ષમાના અભાવ સ્વરૂપે પ્રગટ થાય છે. વ્યવહારી જનોને વ્યવહારની ભાષામાં સમજાવવું પડે છે. ૦ ક્રોધનું સ્વરૂપ આ આત્મા જ્ઞાનનો ઘનપિંડ અને આનંદકંદ છે, સ્વભાવથી સ્વયં પરિપૂર્ણ છે; તથાપિ જ્યારથી (અનાદિથી) તે છે ત્યારથી જ તે કેટલીક વિકૃતિઓ અને નબળાઈઓથી સંયુક્ત છે. તે નબળાઈઓને શાસ્ત્રકારોએ વિભાવ કહ્યો, કષાય કહ્યો. સાચું સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય પણ એ ક્રોધાદિ કષાયના ત્યાગને જ બતાવ્યો. તે વિકારોમાં, તે કષાયોમાં સૌથી મોટો વિકાર, સૌથી મોટો કષાય ક્રોધ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy