SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૩૫ ૧૭ના ધર્મના દશ લક્ષણ ભૂમિકા : • દશલક્ષણ મહાપર્વ એક મહા-મંગલકારી પર્વ છે. આત્મ-આરાધના અને આત્મભકિતનું આ મહાપર્વ વ્યકિત અને સમાજના જીવનમાં સંયમ અને શાંતિની પ્રેરણાદેનાર મહા પ્રેરણા સ્તોત્ર છે. • આ પવિત્ર અવસરથી પ્રેરણા પામી જે જીવો ધર્મ સાર્થનામાં રત બને છે તેમની કર્મ કાલિમા ધોવાઈ જાય છે, તેમનું જીવન પરમ ઉદાત્ત અને ઉજજવળ બને છે. તેઓ વીતરાગ-વિજ્ઞાન કે જે પરમ સુખની પ્રાપ્તિનું એકમાત્ર અમોઘ સાધન છે તે પ્રાપ્ત કરી મોક્ષમાર્ગમાં અગ્રેસર બને છે. ધર્મના દશલક્ષણો' એ ધર્મસાધનાના એકભાગરૂપ હોવાથી ધર્મનું સમ્યક સ્વરૂપે પ્રસિદ્ધ કરે છે. • આ ધર્મના દશ લક્ષણ નીચે પ્રમાણે છે. પક્ષ પ્રતિપક્ષ * ઉત્તમ ક્ષમા ક્ષમા ક્રોધ * ઉત્તમ માર્દવ નમ્રતા માન ઉત્તમ આર્જવા સરળતા માયા * ઉત્તમ શોચ પવિત્રતા લોભ * ઉત્તમ સત્ય સત્યતા અસત્યતા * ઉત્તમ સંયમ નિયંત્રણ અસંયમ * ઉત્તમ તપ ત૫ "ઈન્દ્રિયો વિષય * ઉત્તમ ત્યાગ ત્યાગ દાન-પરિગ્રહ ક ઉત્તમ કિચન્ય અપરિગ્રહ પરિગ્રહ * ઉત્તમ બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય અબ્રહ્મચર્ય ક્ષમા-માર્દવાઢિ આત્માના નિજ સ્વભાવ છે અને સ્વભાવ હોવાથી ધર્મ છે. ક્ષમાદિ-સ્વભાવી આત્માના આશ્રયે પ્રગટ થતી જે આત્માની નિર્મળ-નિર્દોષ, શુદ્ધ સ્વભાવ-પર્યાય એ જ ઉત્તમ ક્ષમાદિ દશ ધર્મ કહેવામાં આવેલ છે. • વાસ્તવમાં આ પ્રકારે કોઈ દશધર્મતો નથી પણ એકવીતરાગ રત્નત્રયસ્વરૂપ ધર્મનાં આ દશ લક્ષણો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy