SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ 9 સ્વરૂપનો યથાર્થ નિર્ણય યોગ્યમુમુક્ષુતાના સદ્ભાવમાં, મહામંગલકારી પ્રત્યક્ષ યોગરૂપ સમાગમમાં આત્માર્થી જીવ સહજ માત્રમાં પોતાનો જ્ઞાયક સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી શકે છે કે જેને લીધે ભેદજ્ઞાન પ્રગટે અને સ્વાનુભવ થાય. સ્વરૂપનો યથાર્થ નિર્ણય કહો, સ્વરૂપનું ભાવભાસન અર્થાત્ અવભાસન કહો, આત્મસ્વરૂપનો પ્રતિભાસરૂપ નિશ્ચય કહો તે સર્વ એકાર્ય છે. આ તબક્કે જીવસ્વરૂપની ઓળખાણથી સ્વરૂપસન્મુખતામાં આવે છે. અર્થાત્ સમ્યકત્વ સન્મુખ દશામાં આવે છે. પ્રાય સમજણ કરવાની ભૂમિકામાં શાસ્ત્રના આધારે મુમુક્ષુ જીવ આત્માનું સ્વરૂપ વિચારી નિર્ણય કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારે આત્માના અનેક ગુણ ધર્મોના ભેદ સંબંધી અને અભેદતાસંબંધી વિકલ્પો લંબાવીને નિર્ણય કરે છે. આવો નિર્ણય અનાદિથી રાગની પ્રધાનતા વાળી વિકલ્પની ભૂમિકામાં જ કરવામાં આવે છે, આવા કલ્પીત નિર્ણયના આધારે આગળ વધી શકાતુ નથી. અથવા પરલક્ષી જ્ઞાનના ક્ષયોપશમમાં માત્રધારણા રહી જાય છે પરંતુ એવી ધારણા થી આગળ વધાતું નથી. જ્યાં સુધી નિબ્રાંત દર્શન ની અનુભૂતિની દશા પ્રગટ થતી નથી, જ્યાં સુધી સર્વજ્ઞ પરમાત્માએ કહ્યો છે તેવો પૂર્ણ પરમાત્મા (અસ્તિત્ત્વ) પોતાને અંતરંગમાં ભાસવાન લાગે ત્યાં સુધી તે વિષયમાં જિજ્ઞાસુ રહીને અંતરશોધ ચાલુ રહેવી ઘટે છે. આત્મસ્વરૂપનો યથાર્થનિર્ણયનથાય ત્યાં સુધી જિજ્ઞાસાની ભૂમિકાલબાય છે અને તે અપૂર્વ જિજ્ઞાસા જ નિર્ણયને લઈ આવે છે. ત્યારે જિજ્ઞાસાનું કાર્ય પુરુ થાય છે. હવે જ્ઞાનમાં અવભાસિત થયેલ આત્મસ્વરૂપની અનન્ય રૂચી પૂર્વક પુરુષાર્થની ફુરણા ચાલુ થાય છે. બાહ્ય દેખાવની અપેક્ષાએ સ્વાધ્યાય, પૂજા, ત્યાગ, વ્રત, દાન, યાત્રા, ઉંધા અભિપ્રાયના સદ્ભાવમાં, આત્માના લક્ષ વિનાની તે પ્રવૃત્તિઓ પ્રયોજન ભૂતકાર્ય માટે નિષ્ફળ થાય છે. પ્રાયઃ રૂઢિગતપણે એટલેકે આત્મજાગૃતિના અભાવ પૂર્વક તે તે ક્રિયાઓમાં ગોઠવાઈ જાય છે અને ઊંડે ઊંડે સંતોષાઈ જાય છે અને તે અનર્થનું કારણ બને છે. યથાર્થ પ્રકારે નિર્ણય ન બદલાયો હોવાથી અનાદિ વિપરીત નિર્ણય યથાવત્ રહે છે. • Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy