SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ * સ્વ-સન્મુખની દિશા બદલાયા વિના દશા બદલાતી નથી. આ રીતે સમ્યક્દર્શન રૂ૫ દશા થયા પહેલા ઉક્ત પ્રકારે દિશા બદલાય છે. • સ્વરૂપ પ્રાપ્તિની તીખી ભાવનાપૂર્વક, સ્વરૂપની અંતર વિચારણામાં આત્મ સ્વરૂપનો નિશ્ચય થાય છે, તે નિશ્ચય જ્ઞાનની ઉપયોગરૂપ દશામાં થાય છે. તે ઉપયોગ થયા બાદ ઉપયોગનું લબ્ધ પરિણતરૂપ થાય છે. આવું જ્ઞાનનું લબ્ધ થયુતેવું પૂર્વે કઠી થયું નથી. અર્થાત્ પૂર્વે જે જ્ઞાનનું લબ્ધ હતું તેમાં રાગ અને પર તે હું તેવું લબ્ધ હતું. હવે એવા ઉધા લબ્ધનું જોર કામ કરતું નથી. જેમ સવળી દશામાં સમ્યફદ્દષ્ટિને લબ્ધ જ્ઞાનમાં આત્મા હોવાથી-પરમાં ગયેલા ઉપયોગનું જોરચાલતુનથી. યથાર્થસ્વરૂપનાભાવભાસનથીચેતન્યની સૂરણા થાય છે અને તે ઉદ્યમ ભેઠજ્ઞાન કરવામાં કાર્યગત થાય છે. આ રીતે વર્તમાન જ્ઞાન-બળમાં, લબ્ધ- ઉપયોગની સંધિ થવારૂપકાર્યજ અનુભવને ઉત્પન્ન કરે છે. એટલેકે ઉપયોગ અને લબ્ધના વિષયની સંધિથવાથીસ્વકાર્ય અવશ્ય સફળ થાય છે. આવા સમ્યફ સન્મુખ જીવની, તજ્યાભ્યાસ, સ્વરૂપ ચિંતવન-મંથનની પરિણતી કેવી હોય છે તે આ પ્રમાણે છે. હું પૂર્ણાનંદનોનાથ શાયક પ્રભુ છું એમ શાયકના લક્ષે (તે) જીવ સાંભળે છે. તેને સાંભળતા અને ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ જ્ઞાયક છું -એમજોર રહે છે. તે જીવને સમ્મસન્મુખતા રહે છે. મંથનમાં પણલક્ષ શાયકનું રહે છે. આ ચિતન્યભાવ પરિપૂર્ણ વસ્તુ છે-એમ એના જોરમાં રહે છે. તેને ભલે હજુ સમ્યક્દર્શન ન થયું હોય, જેટલું કારણ આપવું જોઈએ તેટલું કારણ ન આપી શકે તો પણ તે જીવને સમ્યની સન્મુખતા થાય છે. એ જીવને અંદર એવી લગની લાગે કે હું જગતનો સાક્ષી છું, જ્ઞાયક છું. એવાઢ સંસ્કાર અંદરમાં પાડે કે જે સંસ્કાર ફરે નહિ. જેમ સમ્યક દર્શન થતાં અપ્રતિહતભાવ કહ્યો છે તેમ સમ્યફસન્મુખતા એવો દઢ સંસ્કાર પાડે કે તેને સમ્યફદર્શન થયે જ છૂટકો.” આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ કે હું આવો મહાન પદાર્થ-એમ નિરાલંબનપણે કોઈના આધાર વિના અધ્ધરથી ધૂન ચાલતાં ચાલતાં એવો રસ આવે કે બહારમાં આવવું ગોઠે નહિ. હજુ છે તો વિકલ્પ પણ એમ જ લાગે કે આ હું આ... હું એમ ધોલનનું જોર ચાલતાં ચાલતાં એ વિકલ્પો છૂટીને અંદરમાં ઉતરી જાય છે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy